Mukesh Patel Health Immunity Natural Science

Mukesh Patel Health Immunity Natural Science Naturopath Consultant; with Ayurveda. TV shows, Health Awareness Programs,

Founder: (Since 1994) Nihar Aarogya Mandir, 7, Samadhan soc., Ranip, Ahmedabad.

Editor: Anupan Health Magazine. APPOINTMENT,(એપોઈન્ટમેન્ટ માટે)
7874744676, 9913230263. Established in 1994. For several years, many patients have availed naturopathy treatment free of cost.Initially started at Bakarsha’s Wadi at Pirana, Ahmedabad. Then at Swaminarayan Mandir, Ahmedabad. Here also a large number of patients took naturopathy consultations and treatment. In 1994 itself, at Sabarmati Jail, Ahmedabad, imparted Habits, Diet & Yoga training in an innovative and easy way to a batch of forty prisoners for three months while they were serving life sentence.In 2000, a centre for free naturopathy treatment was run at Preksha Vishwa Bharati Kendra ( a Jain institution) for some time where a large number of patients had benefited.From July 2011 to December 2011, several villages in Kapadwanj Taluka were provided free treatment through Nihar Charitable Trust. Be it Nihar Arogya Mandir or Nihar Charitable Trust, non affording patients have always received free treatment ( or have paid a lower fee) and this shall continue in future also.For first two years, the treatment was provided almost at free of cost level. But free treatment has its dangers. It is die-hard human nature that free services are never taken seriously and some people even make fun of it. So, some practical re-packaging was called for.As the human nature is, the new packaging was accepted quickly and seems to work far better.Several booklets published by Nihar have been freely distributed ( rather than being sold) and this has made it possible for the booklets and ANUPAN to reach more than 5,00,000 Gujarati readers.For past one year, every day morning for ten minutes , about 30,00,000 TV viewers in Gujarat, tune in to GTPL Movie Channel and are able to benefit from the naturopathy talks by Mukesh Patel.

02/12/2025

તમાકુ-શરાબ વિજ્ઞાનની મદદથી ઓછા કરવા છે? તો આ વિડીયો તમારા કામનો છે.

30/11/2025

..... આપણી ટેવમાં નાનકડો ફેરફાર કઈ રીતે મૃત્યુથી બચાવી શકે? અનેક લોકોને સવારે washroom(મળ વિસર્જન વખતે)માં જોર કરવું પડે છે. પણ, ક્યારેક મળ કઠણ હોય અને થોડું વધુ જોર કરાય તો એની ગંભીર અસર હૃદય અને આંખો ઉપર પડે છે. આ જોર વધુ પડતું થાય તો ત્યાં જ હૃદય બંધ પડી શકે છે. વધુ જોર કરાય તો આંખોના મસલ્સને ગંભીર નુકસાન થઈ શકે છે. તમારામાંથી અનેકને ખબર જ છે કે જોર કરતી વખતે હાંફી જવાય છે, ગભરામણ થાય છે અને પરસેવે રેબઝેબ થઈ જવાય છે.
સવારે જોર કરવાને બદલે જમતી વખતે ડાઇનિંગ ટેબલ ઉપર થોડી શાંતિ રાખીએ. હું એવું નથી કહેતો કે સાવ બીજા છેડે જઈને દરેક કોળિયો 32 વાર ચાવીએ..! પણ, પાંચ મિનિટમાં ફટાફટ ખાવાની ટેવ હોય એને બદલે 10 મિનિટ જમતા થાય એવું તો કરાય ને.
Rumen, reticulum, omasum, abomasum. પ્રાણીઓના પેટમાં કુદરતે આવા ચાર ભાગ આપ્યા છે. કારણ કે પ્રાણીઓ એક વાર બધું ઉતારી જાય પછી પાછું મોંની અંદર કાઢીને નિરાંતે ચાવે છે. એટલે, મજાકમાં એમ કહી શકાય કે પ્રાણીઓના પેટમાં દાંત છે, આપણા પેટમાં નથી..!
તો, આપણે જ્યારે મોટા ટુકડાવાળો, અડધોપડધો ચાવેલો ખોરાક પેટમાં ફટાફટ પધરાવી દઈએ છીએ ત્યારે એવા ખોરાક ઉપર આપણા પેટમાં રહેલો એસિડ, પાચકરસો પણ સારી રીતે કામ કરી શકતા નથી. જાડા પથ્થર ઉપર થોડા ટીપા નાખ્યા હોય તો નીચે નીકળે એટલો જલદ આપણા પેટમાં રહેલો એસિડ છે. એ એસિડ પણ આવા ટુકડાઓને બરાબર પચાવી નથી શકતો..!
કેવળ ધીરમે જમીને એક ભાઈએ બે વર્ષમાં 60 kg વજન ઉતાર્યું હતું. એ મારા દર્દી નથી. આપણે ક્યાં જઈ રહ્યા છીએ એની આપણને જ ખબર નથી. ધીમે જમવાથી ગૅસ, એસિડિટી, અપચો, કબજિયાત, પાઈલ્સ અને ફિશર સુધીની તકલીફમાં ઝડપથી ફાયદો થાય છે. સોનાની થાળીમાં જમનારને પણ આરોગ્ય વેચાતું નથી મળતું. આભાર, મુકેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, નિહાર ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.(🪔🪔 ચાવીને જમવા છતાં જેમને બીમારીમાં મદદની જરૂર છે એમને માટે કરુણા જાગે તો 9409921244 ઉપર માત્ર મેસેજ મોકલી શકો છો.)

29/11/2025

મોબાઈલના ટાવર વિનાની દુનિયામાં બે દિવસ. કુદરતને ખોળે, દર્દીઓની સાથે...

28/11/2025

.....મજબૂરી હોય ત્યારે કલાકો કામ કરવું પડે, જે વર્ષો કર્યું છે. અત્યારે જયાં ચાલું છું ત્યાં વહેલી સવારથી મોડી સાંજ સુધી કારીગરો કામ કરે છે. પણ, વચ્ચે બે કલાક શરીરને આરામ, મસ્તીથી ચાની રિસેસ અને સાત્વિક જમવાનું પણ જાતે જ બનાવી દે.
બીજી બાજુ, કરોડો લોકો 10થી 12 કલાક નોકરી કરે છે. આવા મનથી વધું થાકેલા લોકો થાક ઉતારવા ઘરે આવે છે. એમાંથી અનેક(પતિ-પત્ની બંને) માટે બેડરૂમ સાચા અર્થમાં બેડરૂમ જ બને છે..!
મોબાઈલ નામનાં બજારમાં ફસાયેલા ઘરનાં લોકોની demands(જુદી જુદી માંગણીઓ) ચાલતી જ રહે છે અને શરૂ થાય છે લોન. અભિમન્યુ માટે પણ લોનના કોઠાઓ ભેદવા મુશ્કેલ છે..!
મગજની લિમિટ તો, શરીર કરતાં ક્યાંય વહેલી પૂરી થઈ જાય છે. અને, મગજ પાસેથી કામ લેનારા લોકોનાં મગજ ઉપર ભયંકર દબાણ રોજેરોજ પેદા થતું રહે છે. પરિણામે, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, થાયરોઈડ જેવી મન સાથે જોડાયેલી બીમારીઓ શરૂ થાય છે.
કઈ રીતે ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ પણ મન સાથે જોડાયેલા છે? જવાબ: તેલ-ઘી, ગળપણ બંધ કર્યા બાદ પણ આ રોગની દવાઓ લેવી પડે છે ને..! અને એક દિવસ મગજની અંદર ફાટતો તણાવનો જ્વાળામુખી હૃદય, મગજને બંધ કરે છે, બેટરી ઊતરી જાય છે, શરીર મૃત્યુ પામે છે. બધાંથી દૂર થઈ અને સુખની દોડમાં ભાગતા લોકો, પરફેક્ટ બનવાની દોડમાં ભાગતા લોકોનું મગજ-હૃદય એમની પહેલાં હાંફી, થાકી જાય છે.
પૃથ્વી ઉપરનાં પ્રાણીઓ, પક્ષીઓ અને જમીન સાથે જોડાયેલા લોકો cosmic rhythm, બ્રહ્માંડીય લયમાં જીવે છે. આ બધા માટે કોઈ આવતીકાલ નથી. અહીંયા સંતોષ, કોમળતા અને કરુણા છે. માણસ જ્યારે કોઈ વસ્તુ પાછળ ભાગે છે ત્યારે એની આંખોમાંથી કરુણા ઘટતી જાય છે, આંખો સૂકી થતી જાય છે. મશીનો વચ્ચે એ અજાણપણે કોમળતા ગુમાવતો જાય છે, શરીર અક્કડ અને આંખો કોરી થતી જાય છે.
પોલ્યુશન અને કોમ્પ્યુટર આંખોને dry(સૂકી) કરે એ બરોબર છે પણ, માણસ અંદરથી સંવેદનહીન બને અને આંખો કોરી પડે એ દુનિયા માટે ખતરનાક વસ્તુ છે. આજે ગણ્યાગાંઠ્યા ધનવાન અને રાજકારણી માણસોથી દુનિયા બરબાદ થઈ રહી છે. કારણ, એમની આંખો લાગણી વગરની અને પ્લાસ્ટિક જેવી છે; પથ્થર તો કદાચ પીગળી શકે..! પોતાની પાશવી દોડમાં આવા લોકો અનેક માણસોને દોડાવી રહ્યાં છે. સુખની દોડમાં યુવાનો એમની સાથે કે પાછળ ફના થઈ રહ્યાં છે.
આભાર, મુકેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી નિહાર ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ (કોઈને માટે કરુણા જાગે તો આ નંબર ઉપર અમને મદદ મોકલવા કેવળ મેસેજ થી સંપર્ક કરી શકો છો: 9409921244)

27/11/2025

કાપો કે ઉકાળો તોય આમળાં કેમ પૂરો ફાયદો આપે છે? (પિત તાસીરની વાત સાથે)

26/11/2025

.....વૃક્ષો, છોડ અને ફૂલો એટલે અસ્તિત્વની ભીની, લીલી, રંગબેરંગી સુંદરતા. ઝાકળ અને ધુમ્મસ પરમાત્માની હાજરીનો અહેસાસ કરાવે છે. ઝાકળને માથે ચડાવનાર લીલી સુંદરતા એટલે ઘાસ. આ સૌની વચ્ચે એક દેવદૂત ઉડાઉડ કરીને એક મેસેજ આપે છે: મારો છેડો અનંત બ્રહ્માંડ સાથે જોડાયેલો છે. હું કદી મરતું નથી; ભલે મારું શરીર થોડાં કલાકોનું જ મહેમાન હોય. એનું નામ છે પતંગિયું.
આપણે સ્ત્રી-પુરુષનાં શરીર ભેગા કરી, બાળક જન્મે એ માટેની પરિસ્થિતિ પેદા કરી શકીએ છીએ પરંતુ, બાળકને જન્માવી નથી શકતા. કેવળ સ્થૂળ ધનના ઢગલા પર બેઠેલા અનેક લોકો ઉપર હજુ કુદરતની કૃપા થવાની બાકી છે. બાળક નામની અને તંદુરસ્તી નામની કૃપાથી એ દૂર છે; ભલે વિજ્ઞાને અને એમણે ભેગા થઈને ધમપછાડા કરી લીધા..!
અને ચૂપચાપ, બુદ્ધિની પાંખ સંકેલીને અમારી સારવાર કરાવનાર લોકોમાંથી 32 વર્ષમાં ઘણાં લોકો બાળક મેળવી ચૂક્યા છે, જુદા જુદા રોગોમાં સારું પરિણામ મેળવી ચૂક્યા છે, મેળવતા રહે છે, મેળવશે.
માણસ એકલો જ, પૃથ્વી ઉપરનું પાયા વિનાનું અસ્તિત્વ છે. જો એ પતંગિયું બને, પુષ્પ બને, વૃક્ષ બને અને અન્યનો વધુ અને વધુ વિચાર કરે તો એનો ઉદ્ધાર, એની રોગમુક્તિ નક્કી છે. અને ન બને તો એનું જન્મોજન્મ બીમાર, ભટકતા રહેવાનું નક્કી છે. આભાર, મુકેશ, (7874744676//9913230263), નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.

25/11/2025

પેટ કેમ ફૂલે છે કે પેટ કેમ બગડે છે? આવો, જાણો, સટિક કારણો.

24/11/2025

.....સાંજે અંધારું થાય એટલે, વૃક્ષો ઉપર ભેગા થયેલા પક્ષીઓ ખાલી કલબલાટ જ કરે છે? ના. એવું લાગે કે જાણે આખા દિવસનાં, સાંજે ભેગા થયા તો દિવસભરની વાતો કરી લે છે. કારણ, એમની પાસે મોબાઈલ ફોન નથી..! પક્ષીઓ પણ પોતાની ભાષામાં ગીતો ગાય છે. અને, એકબીજાનાં ગીતોનો અવાજ સાંભળતા સાંભળતા જ એકાદ કલાકની અંદર જ સૂઈ જાય છે.
બીજા દિવસે સવારે ચાર વાગ્યાથી, અલગ અલગ પક્ષીઓની અલગ અલગ, એમની અંતઃ સ્ફુરણાએ(intution) આપેલી એક કોસ્મિક ડ્યુટી છે; ભાર વગરની. કુદરતે એમને કામ સોંપ્યું છે, ગાતા રહેવાનું.
પતંગિયું અવાજ વિના, એની હાજરીથી આસપાસના વાતાવરણને સંગીતમય અને તરબતર કરી મૂકે છે. ભમરો અને તમરો એમના કોસ્મિક ઓમકારથી, નાદબ્રહ્મથી દરરોજ રાત્રે કે દિવસે નિશબ્દ વાતાવરણમાં યાદ કરાવે છે કે, આપણું અસ્તિત્વ આ શબ્દ વિનાનો શબ્દ, જે પોતે જ પૂર્ણ છે એ છે. અને એમાંથી જ શક્તિ, કરંટ વાઈબ્રેસન્સ પેદા થતા રહે છે.
દરેક પક્ષીઓ વહેલી સવારથી જે તે સમય મુજબ પોતાનો અવાજ વાતાવરણની અંદર ઉમેરીને એ વાતાવરણને વધુ દિવ્ય, વધુ સહજ અને વધુ આનંદમય બનાવે છે. આપણને કાગડાનો કર્કશ લાગતો અવાજ નથી ગમતો. પણ, કુદરતની પ્રયોગશાળામાં કોયલ અને કાગડાનાં અવાજનું સરખું જ મહત્વ છે અને એટલે જ કદાચ કોયલ, કાગડાના માળામાં જઈને ઈંડા મૂકી આવે છે ને..!
માણસના આનંદ માટે આપણે કદી પૂરું જાણી, સમજી ન શકીએ એટલી સ્પીસીસ પૃથ્વી ઉપર છે. કેટલાં જંતુઓ, પક્ષીઓ, પશુઓ...
પૃથ્વી ઉપર આવ્યાને આપણને કેટલો બધો સમય થઈ ગયો. પણ હજુ આપણી અંદર પાંચ મિનિટ માટે પણ ઉતરીને આપણને જાણી નથી શકતા. અને, એક વિજ્ઞાનની પાંખ ઉપર બેસીને આખેઆખી દુનિયાને જાણવા માટે રોજ માથા પછાડીએ છીએ. એકવાર એક મિનિટ માટે તો પોતાની અંદર ઉતરો; સમય આવતા, આ જે બહારનું જગત છે, જે મસ્તીમાં એ જીવે છે એ મસ્તીનું રહસ્ય સમજાઈ જશે. ધીરે ધીરે તમે પણ, આ પક્ષીઓની માફક જ કુદરતનું ગીત ગાતા થઈ જશો. અને, જ્યારે ગીત ગાતા નહીં હોવ ત્યારે પતંગિયાની માફક જ તમારું અસ્તિત્વ, તમારી હાજરી એ આખા વાતાવરણને વાઇબ્રેશન, સંગીત અને કોસ્મિક નૃત્યથી ભરી દેશે. આભાર, મુકેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, નિહાર ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.

23/11/2025

.....ચાલવાનો કે કોઈ કસરતનો થાક ક્યારે લાગે છે? જ્યારે આપણે એને કામ ગણીએ છીએ ત્યારે. વર્ષો અગાઉ વાંચેલું કે બૌદ્ધ સાધુઓ હિમાલયમાં ચાલતા હોય ત્યારે દૂરથી લાગે કે હવામાં ઉડે છે. દુનિયાનો કોઈપણ માણસ જ્યારે સહજ, કુદરતી વોક કે વ્યાયામ કરે છે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ(gravitational force) એને ખેંચી નથી શકતું.
એક અર્થમાં, આપણે ખાઈએ,પીએ ચાલીએ, સૂઈએ કે આપણું કામ કરીએ; એ બધામાં સહજતા આવતી જાય એટલે પૃથ્વી નીચે તરફ ખેંચી નથી શકતી.
એક અર્થમાં તમે એને, "તમે જેવા છો એવા માણસનું જ એક વોક કે એક કસરત" એમ કહી શકો છો. પરંતુ, એ માટે કોઈ પ્રયત્ન કરવાથી એ વાત ન આવે. તમારા દરેક શ્વાસે તમારે સામાન્ય માણસ બનીને જીવવું પડે. જ્યાં જ્યાં તમે કે હું આગળ બીજો ચહેરો રાખી દઈએ છીએ ત્યાં ત્યાં પૃથ્વી આપણને નીચે તરફ ખેંચે છે.
પૃથ્વીને પ્રાણીઓ, બાળકો અને હળવા, સહજ, સામાન્ય લોકોનો ભાર નથી લાગતો. પૃથ્વીને, કડક ચહેરાવાળા, મેકઅપ વાળા અને ચીપી ચીપીને બોલવાવાળા લોકોનો ભાર લાગે છે. ગુરુત્વાકર્ષણ બળ એ કોઈ વિજ્ઞાને પેદા કરેલું બળ નથી! એ તો હતું અને છે જ. તમે ભૌતિક વસ્તુઓનો વધુ ઉપયોગ કરો છો, આહાર, નિદ્રા, ભય અને મૈથુનમાં ગુંચવાઈ જાઓ છો, ત્યારે તમારા પગ જમીન પર પછડાય છે, જમીનની અંદર વધુ અને વધુ ખૂંપતા જાય છે. અને, આપણે સૌ ઉપર અવકાશ તરફ જવાને બદલે, નીચે જમીન તરફ અને પાતાળલોક તરફ જતા જઈએ છીએ.
યોગની ભાષામાં સહસ્ત્રાર ચક્ર તરફ જવાને બદલે મૂલાધાર તરફ જતા જઈએ છીએ. શબ્દો કરતા પણ, આપણો પોતાનો અનુભવ, ફિલિંગ એ અલ્ટીમેટ, અદભુત હોય છે. આભાર મુકેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, નિહાર ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ (🪔કોઈકનાં કલ્યાણ માટે મદદ કરવાની ઈચ્છા હોય તો મેસેજ મોકલી શકો છો.:9409921244.)

22/11/2025

કુદરતનો ફ્રી મેડીક્લેમ પોલ્યુશનથી થતું નુકસાન ઘટાડશે, વીમા-કંપનીઓ ભાવ વધારશે.

20/11/2025

તણાવ, ડિપ્રેશનમાંથી બહાર આવવાના સીધાસટ રસ્તાઓ તો ખુલ્લાં જ છે.

18/11/2025

.....ચાલતા ચાલતા, ટેવ મુજબ, ડાંગનાં જંગલનાં એક વૃક્ષના થડ ઉપર, ધીમે ધીમે હાથ ફેરવ્યો. એ પછી બાજુમાં ધ્યાન ગયું તો હું સ્તબ્ધ રહી ગયો. હાથ ફર્યો એ સિવાયના આજુબાજુનાં બધાં ભાગ ઉપરથી લાઈન બંધ મોટી, લાલ મકોડીઓ અવરજવર કરી રહી હતી. જે એક જ કરડે તો પણ ઘણીબધી બળતરા અને તકલીફ આપી દે. અહીં તો એની સંખ્યા ગણાય એવી પણ નહોતી...
મારો હાથ કેમ અજાણપણે ખાલી જગ્યામાં જ ગયો? એ હાથ કોણે ત્યાં જ મુકાવ્યો? દરેક પળે આપણી અંદર પણ એ જ બ્રહ્માંડ છે જે બહાર છે, દરેકેદરેક જીવની અંદર છે. આપણે અંદર બહાર જેમ જેમ બદલાતા જઈએ અને, સુધરતા જઈએ તેમ તેમ, આપણો દરેક શ્વાસ વધુ સારી રીતે બીજા દરેક જીવો અને કુદરતની સાથે જોડાતો જાય છે.
જેમ વાહનમાં સામે મેપ ઉપર આગળનો રસ્તો દેખાય છે એમ જ, આપણા પોતાના જ સૂક્ષ્મ શરીરને એમની પોતાની અસંખ્ય આંખોથી, એમના ટાવરથી આસપાસની વસ્તુઓ દેખાય છે, અનુભવાય છે પકડમાં આવે છે.
આ કુદરતની, પરમાત્માની શક્તિ છે જે દરેક પળે, આ શરીરને ચલાવે છે, અટકાવે છે, સુવાડે છે, નાશ કરે છે અને ફરીથી જન્મ આપે છે. પોતાનાં જ શરીરને, રોજની નાની મોટી ક્રિયાઓને જોવાનો પ્રયત્ન ચાલુ રાખીએ. બાકી, શબ્દોનાં ઘરેણાં દ્વારા આપણે કુદરતને કેટલી સમજાવી કે સમજી શકીશું? આભાર, મુકેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, નિહાર ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.

Address

Nihar Aarogya Mandir, 7, Samadhan Soc. , Ranip
Ahmedabad
382480

Opening Hours

Monday 9:30am - 6:30pm
Tuesday 9:30am - 6:30pm
Wednesday 9:30am - 6:30pm
Thursday 9:30am - 6:30pm
Friday 9:30am - 6:30pm
Saturday 9:30am - 6:30pm

Telephone

+919913230263

Website

https://www.youtube.com/@NiharNatureCure

Alerts

Be the first to know and let us send you an email when Mukesh Patel Health Immunity Natural Science posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Mukesh Patel Health Immunity Natural Science:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Our Story

Nihar Aaroga Mandir established in 1994. For several years, many patients have availed naturopathy treatment with minimum or free of cost. Initially started at Bakarsha’s Wadi at Pirana, Ahmedabad. Then at Swaminarayan Temple as well as at Ranip, Ahmedabad. At Swaminarayan temple also a large number of patients took free naturopathy consultations. In 1994 itself, at Sabarmati Jail, Ahmedabad imparted Habits, Diet & Yoga training in an innovative and easy way to a batch of forty prisoners for three months while they were serving a life sentence.In 2000, a center for free naturopathy treatment was run at Preksha Vishwa Bharati Kendra ( a Jain institution) for some time where many patients had benefited. From July 2011 to December 2011, several villages in Kapadwanj Taluka were provided free treatment through Nihar Charitable Trust. Officially, Nihar Charitable Trust started in 2008. Nonaffording patients have received free treatment, several booklets and e booklets and magazines published by Nihar have been distributed and this has made it possible for the free e-booklets and free e-magazine Anupan to reach many Gujarati readers. From 2011, on various TV channels, people get health knowledge regularly.

Our mission is serving simple as well as effective home remedies to people. Also, we try to educate people about their own miraculous body which having tremendous inert healing power.

Actually, we try to make people fearless. If people are free of fear, their journey towards health will start with a rapid speed.