Mukesh Patel Health Immunity Natural Science

Mukesh Patel Health Immunity Natural Science Naturopath Consultant; with Ayurveda. TV shows, Health Awareness Programs,

Founder: (Since 1994) Nihar Aarogya Mandir, 7, Samadhan soc., Ranip, Ahmedabad.

Editor: Anupan Health Magazine. APPOINTMENT,(એપોઈન્ટમેન્ટ માટે)
7874744676, 9913230263. Established in 1994. For several years, many patients have availed naturopathy treatment free of cost.Initially started at Bakarsha’s Wadi at Pirana, Ahmedabad. Then at Swaminarayan Mandir, Ahmedabad. Here also a large number of patients took naturopathy consultations and treatment. In 1994 itself, at Sabarmati Jail, Ahmedabad, imparted Habits, Diet & Yoga training in an innovative and easy way to a batch of forty prisoners for three months while they were serving life sentence.In 2000, a centre for free naturopathy treatment was run at Preksha Vishwa Bharati Kendra ( a Jain institution) for some time where a large number of patients had benefited.From July 2011 to December 2011, several villages in Kapadwanj Taluka were provided free treatment through Nihar Charitable Trust. Be it Nihar Arogya Mandir or Nihar Charitable Trust, non affording patients have always received free treatment ( or have paid a lower fee) and this shall continue in future also.For first two years, the treatment was provided almost at free of cost level. But free treatment has its dangers. It is die-hard human nature that free services are never taken seriously and some people even make fun of it. So, some practical re-packaging was called for.As the human nature is, the new packaging was accepted quickly and seems to work far better.Several booklets published by Nihar have been freely distributed ( rather than being sold) and this has made it possible for the booklets and ANUPAN to reach more than 5,00,000 Gujarati readers.For past one year, every day morning for ten minutes , about 30,00,000 TV viewers in Gujarat, tune in to GTPL Movie Channel and are able to benefit from the naturopathy talks by Mukesh Patel.

30/12/2025

અસાધ્ય બીમારીમાં અને બપોર પછીનાં થાકમાં ગાજરનો જ્યુસ અકસીર છે

29/12/2025

,.....વર્ષો અગાઉની વાત. ઠંડા પ્રદેશમાં એક ભારતીય ડોક્ટરના પત્નીને ઢીંચણ, કમરનો દુઃખાવો થયો. ઘણી દવાઓ લીધી પણ ખાસ ફાયદો ન થયો. અને, એમના ધ્યાનમાં આવી મેથી. ભારતમાં વર્ષોથી અનેક લોકો આખી કે અધકચરી મેથી લેવા ટેવાયેલા છે. પણ એમના ધ્યાન ઉપર આવ્યો અલગ જ પ્રયોગ. રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી, અડધી ચમચી ગંઠોડા પાવડર અને અડધી ચમચી હળદર પાવડર પલાળવાના. સવારે એને ધીમા તાપે ગરમ કરી, અડધું પાણી બળી જાય એટલે ઠંડુ કરી ગાળી અને બ્રશ કર્યા બાદ પીવાનું. 30 મિનિટ બાદ ચા નાસ્તો કરવા હોય કરાય.
"Mukoadhesive properties" ને લીધે જેમનું પાચન નબળું હોય, જેમને ડાયાબિટીસ હોય એમનાં આંતરડામાં મેથી ચોંટી જાય છે અને જલદી આગળ નથી જતી. પરંતુ, જેમનું પાચન સારું હોય એમના આંતરડામાં આવી આખી મેથી પણ આગળ ખસે છે અને મળ સાથે નીકળે છે.
મેથીને રાત્રે પાણીમાં પલાળવામાં આવે એટલે એની અંદર રહેલ ચીકાશ, mucus પાણીની અંદર ઓગળી જાય, dissolve થઈ જાય છે. અને જ્યારે આ પાણીને ઉકાળી, ગાળીને પીવામાં આવે છે ત્યારે નબળા પાચનવાળા લોકો માટે પણ એ ફાયદાકારક બની શકે છે.
પરંતુ, પોતાને સારું લાગે એ બધા માટે સારું હોય એ જરૂરી નથી..! અનેક લોકો એવા પણ છે કે જે એસિડિટી, પિત અને અલ્સરથી પીડાય છે. એટલે, એવા લોકો માટે મેથી, હળદર, ત્રાંબાનું પાણી, ગરમ પાણી, રાગી નુકસાનકારક સાબિત થઈ શકે છે.
દોસ્તો, "માણસનું શરીર" અને "મનની સમજણ" આ બે સિવાય આરોગ્યના જગતમાં બીજો કોઈ મોટો ચમત્કાર નથી. તમે કોઈ વસ્તુ લો એટલે પેટમાં અલગ જ, ન ગમે એવી ફીલિંગ આવે મતલબ એ વસ્તુ તમારા માટે બરોબર નથી. કોઈની હાજરીથી તમારી ઉર્જા ઘટવા લાગે મતલબ ત્યાંથી તમારે ખસી જવું જોઈએ. આભાર, મુકેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, નિહાર ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.

28/12/2025

.....શરીરનાં એક એક cell, કોષમાં બે વસ્તુ સમાંતર ચાલે છે; દુખાવો અને હળવાશ, બીમારી અને આરોગ્ય, આશા અને નિરાશા, કંટાળો અને સારું future, ભવિષ્ય, બંધ નાક કે ખુલ્લું નાક, રામ અને રાવણ.
સવારે જાગીને તરત, કેવળ બે મિનિટ આંખો બંધ રાખીને પથારીમાં જ બેસી રહો. બ્રશ કરીને તરત, બે મિનિટ ઊંડા શ્વાસ લો. ઊંડા શ્વાસ કંટાળો ઘટાડે છે. અને, પૂજા-પાઠ પતે એટલે એ જ આસન ઉપર, દિવસે ફોન ઉપર કે ઓફિસમાં જે કાવાદાવા, કરપ્શન કરાય છે એને યાદ કરો. અને, જ્યારે ફોન ઉપર કે ઓફિસના ટેબલ ઉપર લાંચ લેવાનું કે કોઈને છેતરવાનું શરૂ થાય ત્યારે, પૂજાપાઠવાળી પ્રભુની મૂર્તિને યાદ કરો.
આપણાં એક એક cell, કોષની અંદર એકસાથે, બાજુબાજુમાં જ આ દરેક વસ્તુઓ રહેલી છે. ઇચ્છો તો દુખાવાને અને ઇચ્છો તો exercise, વ્યાયામને, ગળે લગાડી શકો છો. કુદરતે શરીર વાપરવા આપ્યું તોય આપણે ખુરશી પર લાંબા થઈને બેસી રહીએ છીએ. મન એણે વાંચવા, સારું વિચારવા અને પૂજા-ધ્યાન માટે આપ્યું તો આપણે એને ભવિષ્યની ચિંતામાં બગાડતા રહીએ છીએ.
કોમ્પ્યુટર અને સેલ ફોન એણે જ્ઞાન વધારવા આપ્યા. આપણે તો એનાથી ચિંતા વધારીએ છીએ. સરવાળે એમાંથી પેદા થાય છે કંટાળો. તમારે નિરાશામાં જ જીવન પૂરું કરવું છે તો પણ કરાય. કુદરત ફરીથી જો નવો જન્મ માણસનો આપે તો ત્યારે વિચારવાનું..!
દોસ્તો, "મનની શાંતિ અને શરીરનાં આરોગ્ય" નામનો "તાળા વિનાનો ખજાનો" નજર સામે ખુલ્લો પડ્યો છે. તોય જ્યારે કુદરત પાસે આપણે શાંતિ અને આરોગ્યની ભીખ માંગીએ તો કુદરતને આપણી ઉપર હસવું જ આવે ને..
શાંતિ, નિરાંત, સારું પાચન અને ઊંડી ઊંઘનો રસ્તો ટ્રાફિક વગરનો હોય અને આપણે હાથમાં મોબાઇલ સાથે રોડની વચ્ચોવચ, રોંગ સાઈડમાં દોડીએ તો પછી પરમાત્મા પણ, મોટે મોટેથી હસવા સિવાય આપણાં માટે બીજું કાંઈ ન કરી શકે. આભાર, મુકેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, નિહાર ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.

27/12/2025

..... નરેન્દ્ર ભાઈનું હૃદયનું ઘટેલું પમ્પિંગ, LVE function કઈ રીતે વધ્યું? સત્ય આરોગ્યકથા, એમનાં શબ્દોમાં પણ.

25/12/2025

લિગામેન્ટની ઇજામાં ઘરનાં અસરકારક ઉપચાર.

23/12/2025

મોટે મોટેથી આવતા ઓડકારનાં સટીક ઇલાજ.

22/12/2025

.....1944ની વહેલી સવાર; નવ વર્ષનો છોકરો. ખેતી માટે, તાકાત ઓછી પડે છે એટલે લાકડાના પાટિયા, કોશ ઉપર સૂઈને કૂવામાંથી પાણી કાઢે છે. એનું મન મજબૂત છે એટલે અભ્યાસની સાથે સતત મજુરી કરીને પોતાના ગરીબ કુટુંબને ટેકો આપે છે. પરંતુ, એને લાગે છે કે ઉંદેલ(ખંભાત) ગામ છોડીને ક્યાંક બીજે જવું જોઈએ. અને, કુદરત એને ખેંચીને લઈ જાય છે નૈનીતાલ નજીકના શેરડીના ખેતરોમાં.
ત્યાં, જંગલમાં જ રહેવા માટે સરસ ઘર અને મહેનતની નોકરી. પરંતુ, વાઘ ક્યારે કોને શિકાર બનાવે એ નક્કી નહીં..! ત્યાં વાઘની વસ્તી વધારે. અમુક વર્ષો બાદ ત્યાંથી કુદરત એમને લઈ આવી ગાંધી આશ્રમ, અમદાવાદમાં.
ખાદી ભંડારની નોકરી. એક નાના રૂમના ઘરમાં, પરાણે ખાવાપીવાનો ખર્ચ નીકળે. એટલે, વ્યાજે રૂપિયા લાવી શરૂ કરી કરિયાણાની દુકાન. જે દિવસે મમ્મી ચલાવે, રાત્રે નોકરી પછી આ બાળક એટલે કે મારા પિતા ચલાવે.
આવા એક રૂમના ઘરમાં જ પોતાના ગરીબ ભાઈઓ, સાળાને ગામડેથી લાવીને રાખ્યા. અમુકને પરણાવ્યા, સેટ કર્યા. આવા કામની સાથે એવા ગરીબ લોકો દુકાનેથી ઉધાર લઈ જાય કે જેમના રુપિયા ડૂબવાની શક્યતા વધુ હોય..!
જીવનભર સતત મહેનત મજૂરી જ કરી. ગમે તે પરિસ્થિતિ હોય, એમના મોંમાંથી એક જ વાક્ય નીકળે: જેવી ભગવાનની ઇચ્છા. આજથી બરોબર 31 વર્ષ અગાઉ, 22 ડિસેમ્બરે રોડ અકસ્માતમાં એમના શરીરનું મૃત્યું થયું. મૃત્યુ બાદ મને વારસામાં મળ્યો ખૂબ અમૂલ્ય સમજણનો ખજાનો અને રહેવાનું ઘર.
પોતાની પાસે હોય અને કોઈકને મદદ કરવી એ ઘટના નાની છે. પણ, પોતાનું ઘર પરાણે ચાલતું હોય અને પોતાનાથી વધુ ગરીબીમાં જીવતા લોકોને સતત મદદ કરવી એ કામ ઘણું અઘરું છે. માતાપિતા બંનેએ સાચા અર્થમાં કાળી મજુરી કરી. પણ, કમાણી ધોળી કરી..! અને, દુકાનમાં અનેકના રૂપિયા ભલે ડૂબ્યા હશે પણ પિતાજી પોતે તો આ ગણતરીની, સ્વાર્થની દુનિયા તરીને પાર થઈ ગયા. એમની સાથે ખાદી ભંડારમાં કામ કરનાર લોકોની આંખો આજે પણ એમની વાત નીકળે તો ભીની થઈ જાય છે. વાંચવા બદલ આભાર, મુકેશ મગનભાઈ પટેલ, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.

21/12/2025

..... સવારે જાગીને, કોઈનું પેટ ખાલી તો કોઈનું ભરેલું. તો કોઈ ઊઠીને તરત તરસ્યા. કોઈનું શરીર અક્કડ તો કોઈનું કૂદાકૂદ કરતું. અને, અમુકને તો સૂઈ જ રહેવું છે..!
જો સવારે જાગીને પણ પેટ ભરેલું જ લાગે છે, મતલબ અંદર ટ્રાફિક જામ છે. આને માટે જાતે જ ટ્રાફિક પોલીસ બનીને ટ્રાફિક હટાવો. જરૂર મુજબ પાણી પીને ધીમે ધીમે ચાલો. પાણી અને ચાલવાની કસરત ભેગા થઈને પેટનો ટ્રાફિકજામ ઓછો કરશે. એ પછી પણ, ચા/કોફી/દૂધ સાથે સાથે મમરા/ખાખરો/માપસર ગાંઠિયા લો તો ટ્રાફિક મુવિંગ રહેશે.
પણ, જો અહીં રોટલી ભાખરી કે રોટલો લેશો તો ફરી ટ્રાફિક જામ..! અને હવે શરૂ થશે અરાજકતા. મન ફાવે ત્યાંથી ગેસ નીકળશે, એસિડ ઉપર ચડીને ગમે ત્યાં દબાણ કરશે. અને, નીચે તરફ ખોરાક બરોબર ખસે એવું નથી. એટલે ત્યાં બધા ભેગા થઈને પેટની અંદર ટોં...ટો..., હોં...હો... પોં...પો... કરીને હોર્ન વગાડશે અને પેટને ભારે કરતા રહેશે.
પણ, રસ્તો જ્યાં સાફ છે, જેમના પેટમાં જગ્યા અને ભૂખ છે એ લોકો નિરાંતે સવારે નાસ્તો કરી શકે છે. અને, આવા નાસ્તો કરી શકનાર લોકો, ભવિષ્યમાં એમના પેટમાં ટ્રાફિક જામ ન થાય એ માટે રોજ કસરત કરી, ખાવામાં ધ્યાન રાખી અને એની વ્યવસ્થા કરતા રહે. તો પાચનનાં રસ્તા કાયમ ટ્રાફિક વગરના રહેશે.
જેમને સવારે તરસ લાગે છે એમણે, બેસીને, શાંતિથી, શરીરમાં અંદર ગરમી છે તો સાદું કે માટલાનું પાણી જરૂર મુજબ પીવું જોઈએ. અને, જેમની કફની તાસીર છે એવા લોકોએ સવારમાં જરૂર મુજબ નવશેકુ પાણી પીવું જોઈએ. એ સિવાય પણ કફ પ્રકૃતિના લોકોએ દિવસ દરમિયાન એક લીટર જેટલું નવશેકુ પાણી ટુકડે ટુકડે પીવું જોઈએ.
જે લોકોને સવારે ઊઠીને તરત જ કૂદાકૂદ કરવાનું મન થાય છે એમણે ચાલવું, દોડવું કે સાયકલિંગ કરવા જરૂરી છે. આનાથી એમના શરીરની બેટરી ચાર્જ પણ રહે છે અને, લાંબી ચાલે છે. જે લોકોના શરીર સવારે અક્કડ હોય છે, ચાલવામાં જ એમને તકલીફ છે, એવા લોકોએ ધીમે ધીમે તડકામાં કે ખુલ્લામાં ચાલવું જરૂરી છે. આમ કરતા રહેવાથી, એમના શરીરના સાંધા વધુ નબળા નહીં પડે.
અને, જેમને સૂઈ જ રહેવું છે એ એમનો અંગત વિષય છે. કેમ કે, પોતાના શરીર-મનનાં માલિક દરેક વ્યક્તિ પોતે છે. માણસનો જન્મ લીધા પછી પણ, અગાઉના જન્મોની મુખ્ય બે આદતો; "સૂવું અને ખાવું" જડતાથી પકડી જ રાખવી કે એમાં સુધારો કરવો એ જે તે માણસે જાતે નક્કી કરવાનું છે. આપ ટ્રસ્ટમાં મદદ કરવા ઈચ્છો તો 9409921244 ઉપર મેસેજ મોકલી શકો છો. આભાર, મુકેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, નિહાર ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.

20/12/2025

વિરુદ્ધ આહાર એટલે, આપણી જ વિરુદ્ધમાં જવું.

19/12/2025

.... રોજનો ચાલવાનો રસ્તો સરસ, સીધો અને લગભગ આંખો બંધ રાખીને ચાલી શકાય એવો છે. પરંતુ, ક્યાંક નવો રસ્તો બને છે, ખાડા કે ટેકરાઓ છે, રેતીના નાના ઢગલા છે જયાં પગને જરાક ઊંચો કે નીચો કરવો પડે છે. આવા રસ્તે બે ત્રણ દિવસ થોડું ચાલ્યો ત્યાં, શરીરના અમુક સાંધાઓએ બૂમો પાડવાનું શરૂ કર્યું. કે: "અમને થોડી તકલીફ પડી ગઈ", "અમે આરામમાં હતા અને, અમને કેમ જગાડ્યા?"
દોસ્તો, દરરોજ જ્યાં ચાલું છું ત્યાં મજાથી ચાલી શકાય છે. એક કલાક ચાલીએ, વચ્ચે આંખો બંધ રાખીને ચાલીએ તો પણ કોઈ વાંધો નથી આવતો. પણ જ્યાં જરાક રસ્તો બદલાયો ત્યાં શરીરના સૂતેલા, વણ વપરાયેલા સાંધાઓએ પોતાનો અવાજ ઉઠાવવો શરૂ કર્યો. એમના આળસુ યુનિયને "જાગીને કામ કરવું પડ્યું" એ બાબતે એકતા બતાવી..!
દોસ્તો, આપણી રોજની જે દિનચર્યા છે એમાં શરીરને ક્યાંક જરાક શ્રમ પડે એટલે એ સાંધાઓ બૂમો પાડે છે.
શરીરના લિગામેન્ટ, ટેન્ડન અને હાડકાઓનું સાચું માલિક તો આપણું "મજબૂત મન" છે. જરાક અલગ, ભારે ખાઈએ એટલે પેટ મોટો વિરોધ નોંધાવે છે. અને, વર્તમાન ક્ષણમાં, નજર સામેનો આનંદ છોડીને આપણે જ્યારે ભવિષ્યની કાલ્પનિક દુનિયામાં મગજને દોડાવીએ ત્યારે મગજ પોતાનો કંટાળો રજૂ કરે છે.
આ કંટાળાને, જ્ઞાનતંતુઓના થાકને કે વિચારોને વધારે દોડાવીએ એનું જ બીજું નામ છે; માઈગ્રેન, માથાનો દુખાવો, અનિદ્રા. ઊંઘની તો વાત જ જવા દો; આપણે ખરેખર જાગીએ છીએ ખરા? આપણે વર્તમાન ક્ષણ, present moment માં છીએ ખરા? દુખાવો, ઓછી ભૂખ, અપચો કે માથાનો દુખાવો એ દરેક વખતે મેડિકલી તકલીફ નથી હોતી, કોઈ મોટી બીમારી નથી હોતી.
આવો, આપણા પોતાના જબરજસ્ત શરીર સાથે દરેક પળે જોડાવાનો પ્રયત્ન કરીએ. મનનું રિચાર્જ કરવા આપણે કાંઈ જ આપવાનું નથી. આ બેટરી ધીમી પડે કે જરાક ઉતરી જાય તો થોડા ઊંડા શ્વાસ લેજો, રૂમની બહાર નીકળી ખુલ્લામાં ઊભા રહેજો કે અગાસીમાં જઈ ઉંચે નજર કરજો. આપણી શરીર-મનની બેટરીને ચાર્જ કરવા માટે આખું બ્રહ્માંડ તત્પર છે. આભાર, મુકેશ પટેલ(કોઈને સંવેદના જાગે તો ટ્રસ્ટને મદદ માટે 9409921244 ઉપર મેસેજ મોકલી શકો છો), મેનેજિંગ ટ્રસ્ટી, નિહાર ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.

18/12/2025

બી.પી. ઘટી જવાની તકલીફ. કારણો અને સહજ ઇલાજ.

16/12/2025

યાદશક્તિ ઘટવી, ડિમેન્શિયા, અલ્ઝાઈમર્સમાં નિરાશા ખંખેરો, પ્રયત્નો કરો.

Address

Nihar Aarogya Mandir, 7, Samadhan Soc. , Ranip
Ahmedabad
382480

Opening Hours

Monday 9:30am - 6:30pm
Tuesday 9:30am - 6:30pm
Wednesday 9:30am - 6:30pm
Thursday 9:30am - 6:30pm
Friday 9:30am - 6:30pm
Saturday 9:30am - 6:30pm

Telephone

+919913230263

Website

https://www.youtube.com/@NiharNatureCure

Alerts

Be the first to know and let us send you an email when Mukesh Patel Health Immunity Natural Science posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Mukesh Patel Health Immunity Natural Science:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Our Story

Nihar Aaroga Mandir established in 1994. For several years, many patients have availed naturopathy treatment with minimum or free of cost. Initially started at Bakarsha’s Wadi at Pirana, Ahmedabad. Then at Swaminarayan Temple as well as at Ranip, Ahmedabad. At Swaminarayan temple also a large number of patients took free naturopathy consultations. In 1994 itself, at Sabarmati Jail, Ahmedabad imparted Habits, Diet & Yoga training in an innovative and easy way to a batch of forty prisoners for three months while they were serving a life sentence.In 2000, a center for free naturopathy treatment was run at Preksha Vishwa Bharati Kendra ( a Jain institution) for some time where many patients had benefited. From July 2011 to December 2011, several villages in Kapadwanj Taluka were provided free treatment through Nihar Charitable Trust. Officially, Nihar Charitable Trust started in 2008. Nonaffording patients have received free treatment, several booklets and e booklets and magazines published by Nihar have been distributed and this has made it possible for the free e-booklets and free e-magazine Anupan to reach many Gujarati readers. From 2011, on various TV channels, people get health knowledge regularly.

Our mission is serving simple as well as effective home remedies to people. Also, we try to educate people about their own miraculous body which having tremendous inert healing power.

Actually, we try to make people fearless. If people are free of fear, their journey towards health will start with a rapid speed.