12/04/2026
..... યાદશક્તિ ઘટવી, memory issue અને એનાં અસરકારક ઇલાજ. જેને મેમરી લોસ છે એ વ્યક્તિને તો ખબર પડવી જોઈએ ને કે પોતાને મેમરી લોસ છે..! બોસ કે મોટા સાહેબ હોય તો સ્ટાફ થોડો કહેવાનો છે? પતિ, પત્નીમાંથી કોઈને હોય તોય, વિવાદથી બચવા ચૂપ રહે છે..!
ફ્રિજ ખોલ્યા બાદ કેમ ખોલેલું એ યાદ ન આવે, કોઈનું નામ ભૂલી જવાય, ખરીદી કરવા ગયા તો શું ખરીદવા આવેલા એ યાદ ન આવે. આવા અનેક પ્રશ્નો છે.
પણ..; કોરોના પછી ટેન્શનને કારણે, ધંધો-નોકરી બંધ થવાને કે બદલાઈ જવાને કારણે જે પરિસ્થિતિ પેદા થઈ છે એમાં અનેક લોકોને રિએક્ટિવ મેમરી લોસ આવ્યો છે. બાકી હતું તો ઘણાનો હવે ફેબ્રુઆરીથી ચાલી રહેલી લડાઈ પછી મેમરી લોસ આવ્યો છે.
ઇલાજ: બપોરે અને રાત્રે ભોજન બાદ અડધી ચમચી બ્રાહ્મી પાવડર પાણી સાથે લઈ શકાય. બ્રાહ્મીથી કુદરતી રૂપમાં સેરેટોનિન, ડોપામીન મળે છે. આ બંને ન્યૂરો ટ્રાન્સમીટર્સ આપણને તણાવ અને ડિપ્રેશનથી બચાવી શકે છે.
નિયમિત રીતે 20 થી 30 મિનિટનો પ્રાણાયામ આપણા મગજને તરબતર કરી નાખે છે. મગજને લોહી અને ઓક્સિજન ઓછા પડે એટલે આપણને કંટાળો આવે છે, કારણ વગરનો થાક લાગે છે. પ્રાણાયામથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને મગજને સારા પ્રમાણમાં લોહી અને ઓક્સિજન પહોંચે છે.
આપણા મગજને,આશરે 20 % અને હૃદયને 15 % ઓક્સિજનની નિયમિત જરૂર પડે છે. ઓક્સિજન ઓછો પડે એટલે સ્ટ્રેસ હોર્મોન, કોર્ટિસોલ વધી શકે છે. પરંતુ, આપણે નિયમિત પ્રાણાયામ કરતાં રહીએ તો કોર્ટિસોલ પણ બેલેન્સ રહે છે.
દોસ્તો, સવારમાં કોર્ટિસોલ વધે તો આપણી અંદર ઉત્સાહ આવે અને ધમધમાટ દિવસ શરૂ થાય. પણ, સાંજે ઘેર આવ્યા પછી કોર્ટિસોલ વધે તો નવરા મગજનાં ખોટા વિચારોનો ધમધમાટ શરૂ થાય. ટૂંકમાં સાજા રહેવું હોય અને બહુ વિજ્ઞાન યાદ ન રાખવું હોય તો નિયમિત સવાર, સાંજ પ્રાણાયામ કરવા જોઈએ. વાંચવા બદલ આભાર. વાંચો, અમલ કરો અને.., સ્વસ્થ રહો, મસ્ત રહો, મુકેશ પટેલ, નિહાર આરોગ્ય મંદિર, અપોઇન્ટમેન્ટ માટે: 7874744676, 9913238263, અમદાવાદ..