Narayan Eye Hospital, Bharuch

Narayan Eye Hospital, Bharuch Narayan Eye Hospital is the center of excellence for cataract surgery.It is run by Dr Chetan Parikh who has been awarded Gold medal by Governor of Gujarat.

અમિતાભ બચ્ચન તેમની આંખની મોતિયાની સર્જરી અંગે:અદભુત વિશ્વઅત્યાર સુધી ઘણું બધું સ્પષ્ટ જોવાનું મિસ કર્યું. રંગો આકાર કદ બ...
15/03/2021

અમિતાભ બચ્ચન તેમની આંખની મોતિયાની સર્જરી અંગે:
અદભુત વિશ્વ
અત્યાર સુધી ઘણું બધું સ્પષ્ટ જોવાનું મિસ કર્યું. રંગો આકાર કદ બધું જ બદલાઈ ગયું. મોતિયાનું ઓપરેશન એ જીવનશૈલીને અસર કરતું જરૂરી પગલું છે.
અત્યાર સુધી ઉજાસ ભર્યું વિશ્વ જે મોતિયાને કારણે ઢંકાયેલું હતું તે વિશ્વ તેના રંગ બેરંગી વૈવિધ્ય થી ભરપુર લાગે છે
થોડો પણ મોડો નિર્ણય અંધત્વ લાવી શકે છે આથી મોતિયાના ઓપરેશન અંગે તુરંત નિર્ણય લો.
- અમિતાભ બચ્ચન

ઝામર તેમજ ડાયાબીટીસબન્ને આંખમાં નુકશાન કરતા હોય પણ છેલ્લે સુધી ખબર ન પડે તેવા રોગો છે.તે જ રીતે myopia ચશ્મા ના વધુ પડતા...
09/02/2021

ઝામર તેમજ ડાયાબીટીસ
બન્ને આંખમાં નુકશાન કરતા હોય
પણ છેલ્લે સુધી ખબર ન પડે તેવા રોગો છે.
તે જ રીતે myopia ચશ્મા ના વધુ પડતા નંબર
પણ પડદાની અચાનક તકલીફ થવા સાથે સંકળાયેલા છે.

આ બધી તકલીફ નિયમીત આંખની સંપૂર્ણ કરાવતા રહેવાથી નિવારી શકાય છે.

નારાયણ આંખની હોસ્પિટલ ફલશ્રુતિ નગર
ભરૂચ
સંપર્ક: 02642 260366 M 9426490366

• Blue light specs - Are they worth the hype??Are eyeglasses with special blue light-blocking filters worth the expense?...
07/02/2021

• Blue light specs - Are they worth the hype??
Are eyeglasses with special blue light-blocking filters worth the expense?
By absorbing the excess blue light from our devices, the eyeglasses claim to:
• improve sleep
• reduce digital eye strain
• and prevent eye disease
We all want to do these things, but it’s not necessary to spend money on special eye wear for computer use.

Here’s why:
• Blue light from computers will not lead to eye disease. It is true that overexposure to blue light and UV light rays from the sun can raise the risk of eye disease, but the small amount of blue light coming from computer screens has never been shown to cause any harm to our eyes.
• Sleep can be improved without special eyeglasses. You don’t need to spend extra money on blue light glasses to improve sleep— simply decrease evening screen time and set devices to night mode.
• Digital eye strain is not caused by blue light. The symptoms of digital eye strain are linked to how we use our digital devices, not the blue light coming out of them.

આંખો શુષ્ક થવાના કારણો:ઉંમરધ્રુમપાનવધેલો મોબાઈલ અને કોમ્પ્યુટર નો ઉપયોગએર કન્ડીશનઅમુક રોગો જેવા કે સંધિવાકોન્ટેક્ટ લેન્સ...
06/02/2021

આંખો શુષ્ક થવાના કારણો:
ઉંમર
ધ્રુમપાન
વધેલો મોબાઈલ અને કોમ્પ્યુટર નો ઉપયોગ
એર કન્ડીશન
અમુક રોગો જેવા કે સંધિવા
કોન્ટેક્ટ લેન્સ, નંબર ઉતારવાનું ઓપરેશન, અમુક દવાઓ
હોર્મોનલ change
વિટામીનની ખામીઓ

કોમ્પ્યુટર વાપરતી વખતે૨૦-૨૦-૨૦ નો નિયમ:દર ૨૦ મિનીટ કોમ્પ્યુટર પર કામ કર્યા બાદ૨૦ સેકંડ માટે૨૦ ફુટ દુરની વસ્તુ પર ધ્યાન આ...
06/02/2021

કોમ્પ્યુટર વાપરતી વખતે
૨૦-૨૦-૨૦ નો નિયમ:
દર ૨૦ મિનીટ કોમ્પ્યુટર પર કામ કર્યા બાદ
૨૦ સેકંડ માટે
૨૦ ફુટ દુરની વસ્તુ પર ધ્યાન આપો

અને ડિજિટલ સ્ટ્રેન માં થી રાહત મેળવો.



આંખોની તકલીફ માટે જાતે દવા શરૂ કરવી અને સમજ્યા વગર  સ્ટીરોઈડનો ઉપયોગ દ્રષ્ટિ માટે જોખમી  અને હાનિકારક સાબિત થાય છે.એક 18...
17/01/2021

આંખોની તકલીફ માટે જાતે દવા શરૂ કરવી અને સમજ્યા વગર સ્ટીરોઈડનો ઉપયોગ દ્રષ્ટિ માટે જોખમી અને હાનિકારક સાબિત થાય છે.

એક 18 વર્ષીય તેજસ્વી વિદ્યાર્થીએ તાજેતરમાં જ મારી સલાહ લીધી, કારણ કે તેને તેની આંખોમાં અચાનક દુખાવો થયો હતો અને દ્રષ્ટિની તીવ્રતા ઓછી થઈ હતી. છેલ્લા 10 મહિનાથી તેની આંખોમાં લાલાશ આવે છે અને તે એક સ્ટીરોઈડ આઇડ્રોપનો ઉપયોગ કરી રહ્યો છે જે તેણે ફાર્મસીની દુકાનમાં કાઉન્ટર પર ખરીદી લીધો હતો. કોવિડ -19 -19 રોગચાળાને લીધે, તે કોઈ પણ હોસ્પિટલની મુલાકાત લેતા ડરી ગયો હતો. ટીપાં થોડા દિવસોમાં તેને જાદુની જેમ રાહત આપતા હતા પરંતુ તેને બંધ કર્યા પછી લાલાશ પાછી આવતાં અને ટીપા ચાલુ કરી દેતા ..
જ્યારે મેં તેની તપાસ કરી, ત્યારે તેની આંખના દબાણમાં ભારે વધારો થયો હતો અને આંખની નસને ભારે અસર થઈ હતી. આંખનું દબાણ વધવાથી આંખની નસને મટી ના શકે તેવું નુકસાન થઈ શકે છે. હવે અમે તેના સ્ટીરોઈડ ટીપાં બંધ કરી દીધા છે અને આંખના દબાણને ઘટાડવા માટે તેને ટીપાં પણ શરૂ કર્યા છે.
આંખોની લાલાશ એ એક સામાન્ય લક્ષણ છે જે વિવિધ કારણોસર હોઈ શકે છે. તે સામાન્ય રીતે એલર્જી, આંખના થાક, વધારે પડતાં મોબાઈલ અને કોમ્પ્યુટર ના ઉપયોગથી, કોન્ટેક્ટ લેન્સ વધારે સમય સળંગ પહેરવાથી અથવા આંખના સામાન્ય ચેપ (conjunctivitis) ને કારણે થાય છે. જો કે, આંખની લાલાશ ક્યારેક આંખોની વધુ ગંભીર સ્થિતિ અથવા રોગ જેવા કે ગ્લુકોમાનું સંકેત આપી શકે છે.

બીજા એક કિસ્સામાં 35 વર્ષના ગૃહિણી આંખ મા લાલાશ અને ખૂંચતું હોવાથી થતા, ઘરમાં પડેલ ( તેમના સાસુના ઓપરેશનના ) ટીપાનો ઉપયોગ શરૂ કરી દીધો, કમનસીબે તેમને કોર્નીયામાં અલ્સર હતું, જે વધી જતા આખી કોર્નીયા પાકી ગઈ અને હવે તેમને કીકી બદલવાનું મોટું ઓપરેશન કરાવવું પડશે.
સ્ટીરોઇડ આઇ ડ્રોપ્સ અથવા જાતે શરુ કરેલ દવાઓના આડેધડ ઉપયોગથી ગંભીર આડઅસર થઈ શકે છે અને તે દ્રષ્ટિને જોખમકારક હોઈ શકે છે.
તમારી લાલ આંખોનું કારણ નક્કી કરવા અને સારવારના સૌથી અસરકારક વિકલ્પો પ્રાપ્ત કરવા માટે તમારા આંખના સર્જનની સલાહ લો.

ઉતરાયણ માં આકાશ સામે જોતા કાળા ટપકા, તાર, જાળા જેવું દેખાયું હોય તો તુરત અમારો સંપર્ક કરોડો. ચેતન પરીખ9426490366 (હો)
14/01/2021

ઉતરાયણ માં આકાશ સામે જોતા કાળા ટપકા, તાર, જાળા જેવું દેખાયું હોય તો તુરત અમારો સંપર્ક કરો
ડો. ચેતન પરીખ
9426490366 (હો)

10/01/2021

આજકાલ કમ્પ્યુટર અને મોબાઈલ નો સ્ક્રીન ટાઈમ બહુ વધી રહ્યો છે. કોમ્પ્યુટર અને મોબાઈલ જોવા આંખને વધારે હાર્ડવર્ક કરવું પડે ...
08/01/2021

આજકાલ કમ્પ્યુટર અને મોબાઈલ નો સ્ક્રીન ટાઈમ બહુ વધી રહ્યો છે. કોમ્પ્યુટર અને મોબાઈલ જોવા આંખને વધારે હાર્ડવર્ક કરવું પડે છે.એને કારણે કોમ્પ્યુટર વિઝન સિંડ્રોમ તકલીફ થાય છે.

લક્ષણો :
*આંખો દુખવી
*માથાનો દુખાવો
*ઝાંખપ આવવી
*આંખોમાં શુષ્કતા આવી જાય તેમજ
*ખભા અને ગરદન ના દુખાવો રહેવો.

તેના કારણમાં

કારણ નં 1:

આંખોના પલકારા એક મિનિટમાં એવરેજ 20 જેટલા થતા હોય છે જે screen time વખતે ઘટીને ૧૦ જેટલા થઈ જતા હોય છે .આને કારણે આંખનું કુદરતી આંસુનું લુબ્રિકેશન નું નવું લેયર બદલાતું રહેતું નથી અને dryness આવી જાય છે. આના રિસ્પોન્સ માં જે આંસુ આવે છે તેમાં લુબ્રિકેશન હોતું નથી.

ઉપાય:

યાદ કરીને આંખના પલકારા વધારે મારો. આંખની ડ્રાયનેસ માટે લુબ્રિકેશન ડ્રોપ દિવસમાં બેથી ત્રણ વખત નાખવા. ડ્રોપ સપ્લીમેન્ટ છે, જેથી નાખો એટલા દિવસ ફાયદો રહે પણ કાયમ માટે નાખી શકાય

કારણ નં 2:

વારે ઘડીએ નોટ્સ વાંચવા માટે અને કોમ્પ્યુટર સામે જોવા ફોકસ, રી ફોકસ કરવું પડતું હોય છે, તેમજ ફોકસ ની વસ્તુ ફરતી રહેતી હોય છે કે બદલાતી હોય છે. આથી આંખો ને બહુ જોર કરવું પડતું હોય છે .

ઉપાય:

૨૦-૨૦-૨૦ નિયમ યાદ રાખો .એટલે કે ૨૦ મિનીટ સ્ક્રીન ટાઇમ પછી ૨૦ સેકન્ડ બ્રેક લઇ ૨૦ ફૂટ દૂરની વસ્તુ પર ધ્યાન આપવું. જેથી આંખો રિલેક્સ થાય. તેમજ ડોક્યુમેન્ટ હોલ્ડર મોનિટર ની પાસે રાખી શકાય.
દર બે કલાકે 15 મિનિટનો બ્રેક લેવો જોઈએ.

કારણ નં 3:

કોમ્પ્યુટરના કોન્ટ્રાસ્ટ, રિફલેક્ષન, ગ્લેરને કારણે ,

ઉપાય:

કોમ્પ્યુટર કે મોબાઈલ માં કોન્ટ્રાસ્ટ વધુ પડતો ન રાખો. મોબાઇલમાં નાઈટ સેટિંગ પણ વાપરી શકાય. અંધારા રૂમમાં કામ ના કરો ,એક લાઈટ ચાલુ રાખો. રૂમમાં વધુ પડતી લાઈટ પણ ઓછી કરી નાખો. કોમ્પ્યુટર ઉપર એન્ટી ગ્લેર સ્ક્રીન પણ લગાવી શકાય. સ્ક્રીન ઉપર reflection ના આવે તેનું ધ્યાન રાખો.
ચશ્માં પહેરતા હોય તો એન્ટિ ગ્લેર કોટિંગ કરી શકાય બ્લુ બ્લોકિંગ ગ્લાસ પણ કરાવી શકાય. કોઈ સ્પેશિયલ ચશ્મા આવતા નથી

કારણ નં ૪:

ચશ્મા ની ખબર જ ન હોય, ચશ્માની જરૂર હોય પણ કરાવ્યા ન હોય,ચશ્મા હોય પણ ના પહેરતા હોય અથવા ખોટા નંબરના પહેરતા હોય.

ઉપાય:

આંખના ડોક્ટર પાસે જ તુરંત ચશ્મા ની તપાસ કરાવો તેમજ તેમની પાસે જ ચશ્મા બનાવવાનું શક્ય હોય તો ત્યાં જ બનાવો અને સલાહ પ્રમાણે પહેરો.

કારણ નં ૫:

શિયાળાનું સૂકું વાતાવરણ, સતત એસી વાળા વાતાવરણ માં બેસવાનું

ઉપાય:

એસીની હવા મોઢા પર આવે તેમ ન બેસવું. કુલિંગ ઓછુ રાખો.

કારણ નં ૬ :

કોમ્પ્યુટર ટેબલ ની ગોઠવણી તેમજ બેસવાની મુદ્રા (posture) યોગ્ય ન હોય

ઉપાય:

કોમ્પ્યુટર આંખના લેવલથી અઢીથી ત્રણ ઇંચ નીચે રાખો. આંખોથી અઢીથી ત્રણ ફૂટ જેટલું દૂર રાખો. ખુરશી ની હાઈટ એવી હોવી જોઈએ કે ફ્લોર પર પગના આખા તળિયાને સપોર્ટ મળે.પીઠને સપોર્ટ મળવો જોઈએ તેમજ પીઠ અને માથું ટટ્ટાર રહેવું જોઈએ.કોણીથી નીચેના હાથને સપોર્ટ આપો. ટાઇપ કરતી વખતે કાંડુ કીબોર્ડ પર ન રહેવું જોઈએ.

તમને જો  આંખ ની એલર્જી  છે તેમ ડોક્ટરે કહ્યું હોય તો*એલર્જી બહારના પવન તડકા અને ધૂળની હોય છે. ખાવાથી નથી થતી. *ઘરની સફાઈ...
05/01/2021

તમને જો આંખ ની એલર્જી છે તેમ ડોક્ટરે કહ્યું હોય તો
*એલર્જી બહારના પવન તડકા અને ધૂળની હોય છે. ખાવાથી નથી થતી.
*ઘરની સફાઈની ધુળથી થઈ શકે
*સાથે જો નાકમાં અને ગળામાં એલર્જી હોય તો શરદી થવી, છીંકો આવવી વિગેરે તકલીફ પણ થઈ શકે.
*કોઈકને તે ઠંડી ઓછી થઈ રહી હોય તેટલા જ મહિનામાં તકલીફ થતી હોય છે. કોક ને બારેમાસ થતી હોય છે.
કોઈકને ફરવા ગયા હોય ત્યારે, કોઈકને નવી જગ્યાએ રહેવા ગયા હોય ત્યારે થાય.
*છોકરાઓ નાના હોય ત્યારે ધૂળમાં રમતા હોય ત્યારે તકલીફ વધારે થાય. મોટા અને સમજુ થાય ત્યારે સાચવે કે ઓટોમેટિક ધૂળમાં રમવાનું ઓછું થાય ત્યારે તકલીફ ઓછી થાય.
* ચળ મીઠી કહેવાય જેથી એક વાર આંખો ચોળવાનું શરૂ કરો એટલે ચળ ચાલુ રહે છે અને આંખો વધુ ચોળવાનું મન થાય છે.
*આંખો ચોળવાથી લાલ થઈ જાય, બળતરા થાય ,આંખની કીકીની આજુબાજુની ચામડી ફૂલી જાય, આંખ પીળાશ પડતી કે મેલી દેખાય, આંખની આજુબાજુની ચામડી કાળી પડી જાય
*તેનો કાયમી કોઈ ઉપાય નથી. પવન, ધૂળથી સાચવવું તેજ મહત્વનું છે.
*આ માટે મુસાફરી કરતી વખતે કારની, બસની, ટ્રેનની બારીઓ બંધ રાખવી, રિક્ષામાં વચ્ચે બેસવું, બાઈક પર આગળ બેસવું નહીં safety goggles ટાઈપના ચશ્મા કે ગોગલ્સ પહેરવા
*છોકરાઓએ ધૂળમાં રમવું નહીં.
* તમને આપેલા બે પ્રકારના ટીપાંમાંથી એક ટીપા (મોટેભાગે લીલા રંગની બોટલ ના) લુબ્રિકેશનના છે તે કાયમ પણ નાખી શકાય. બીજી દવા એલર્જીની માટેની છે જે કહ્યા પ્રમાણે નાખવી , તેનાથી વધુ જાતે નાખવી નહીં.

,

Address

22, 23 Ist Floor Amardeep Complex , Falshrutinagar, Nr S. T. Depot
Bharuch
392001

Telephone

+91 2642 260 366

Website

Alerts

Be the first to know and let us send you an email when Narayan Eye Hospital, Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram