Poojan Hospital

Poojan Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Poojan Hospital, Hospital, Poojan hospital, 63 c vijaynagar , behind KVO , hospital Road, Bhuj.

માતા, બાળક અને માન્યતાઓ.. શું સાચું, શું ખોટું?
08/10/2025

માતા, બાળક અને માન્યતાઓ.. શું સાચું, શું ખોટું?

*શું તમે કહેવાતા 'એનર્જી ડ્રિન્ક' ની સચ્ચાઈ જાણો છો?*જાણો આ દરેક સવાલ નો સાચો જવાબ! લેખ વાંચવા લીંક ક્લિક કરો  * શું કહે...
12/09/2025

*શું તમે કહેવાતા 'એનર્જી ડ્રિન્ક' ની સચ્ચાઈ જાણો છો?*

જાણો આ દરેક સવાલ નો સાચો જવાબ! લેખ વાંચવા લીંક ક્લિક કરો

* શું કહેવાતા 'એનર્જી ડ્રિંક'માં ખરેખર ખૂબ શક્તિ હોય છે?
* શું કહેવાતા 'એનર્જી ડ્રિંક'માં બે રોટલી અથવા ખાંડ વગરના એક કપ દૂધ કરતાં પણ ઓછી એનર્જી હોય છે?
* 'એનર્જી ડ્રિંક'માં એનર્જી ઓછી હોવા છતાં તેને આ નામ કોણે આપ્યું અને તેનો ઇતિહાસ શું છે?

https://whatsapp.com/channel/0029VaFQOZC2UPBPX8OGj91K/538

* 'એનર્જી ડ્રિંક'માં મુખ્યત્વે ખાંડ અને કેફિન હોય છે, તો આ કેફિન એટલે શું? શું તે કોફીમાં હોય છે તે જ કેફિન છે?
* કેફિન આપણા શરીર પર શું અસર કરે છે?
* વધારે પડતું કેફિન શું કોઈ આડઅસર કરી શકે?
* એક વ્યક્તિ માટે કેટલું કેફિન લેવું સલામત છે?
* બાળકો એક દિવસમાં કેટલું કેફિન લઈ શકે?
* 'એનર્જી ડ્રિંક'માં કેટલું કેફિન હોય છે?
* વયસ્ક લોકોમાં આ 'એનર્જી ડ્રિંક' શું-શું નુકસાન કરી શકે?
* શું સોફ્ટ ડ્રિંકની જેમ 'એનર્જી ડ્રિંક' દાંતને નુકસાન કરે છે?
* શું ભારતમાં બાળકોને 'એનર્જી ડ્રિંક' વેચવા પર પ્રતિબંધ છે?
* ફૂડ સેફ્ટી ઓથોરિટી અને સરકારે આટલાં પગલાં ભર્યા હોવા છતાં ભારતમાં 'એનર્જી ડ્રિંક'નું બજાર ઘટયું હશે?
* શું સરકાર દ્વારા 'એનર્જી ડ્રિંક' પર નવા GST દર વધારવામાં આવ્યા છે?
* 'એનર્જી ડ્રિંક'માં ઓછી એનર્જી અને શરીરને નુકસાન કરતા તત્વો હોવા છતાં લોકો તેને શા માટે પીએ છે?
https://whatsapp.com/channel/0029VaFQOZC2UPBPX8OGj91K/538

*જાણવા જેવું:  તાવ છે? કયા ટેસ્ટ કરવા? કયારે કરવા?*https://t.me/DrNehalVaidya/444વરસાદ પડ્યા બાદ બિમારીઓની સિઝન ખૂલે છે....
29/08/2025

*જાણવા જેવું: તાવ છે? કયા ટેસ્ટ કરવા? કયારે કરવા?*

https://t.me/DrNehalVaidya/444

વરસાદ પડ્યા બાદ બિમારીઓની સિઝન ખૂલે છે. કારણ કે આ જ વખત એવો હોય છે જ્યારે દૂષિત પાણીને કારણે કમળો, ઝાડા, ટાઈફોઈડ જેવા રોગ વધે છે. બંધિયાર અને ચોખ્ખાં પાણીમાં મચ્છર પણ ઈંડાં આપે છે અને એટલે મચ્છરોનો ઉપદ્રવ પણ વધે છે. આ કારણે મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો વધે છે.

આ ઉપરાંત હવાથી ફેલાતા વાયરસ એને બેક્ટેરિયાના રોગો તો ખરા જ. આવા સમયમાં તાવ એટલે તે શેનો તાવ છે તેનું નિદાન કરવું ખૂબ જરૂરી બને છે.

આ કામ માટે હવે આધુનિક લેબોરેટરીઓ આપણા સૌ માટે હાજર છે.
_જો કે, હંમેશાં બને તેમ જલ્દી રિપોર્ટ કરવાથી નિદાન મળી શકે છે એ વાત સાચી નથી._

*તમે કહો છો કે હંમેશાં જલ્દી રિપોર્ટ કરવાથી સચોટ નિદાન મળતું નથી. આમ કેમ કહો છો ? શું તાવ આવે તો તરત જ રિપોર્ટ ન કરવા જોઈએ ?*

આપણામાંના મોટા ભાગના લોકો એવું સમજે છે કે તાવ આવવાના પહેલા દિવસે જ જો રિપોર્ટ કરી નાખવામાં આવે તો જલ્દી નિદાન મળે છે, પણ મેડિકલ સાયન્સની દૃષ્ટિએ આ વાત સાચી નથી.

*એમ ? કેવી રીતે ?*

રિપોર્ટસની વાત કરતાં પહેલાં અદ્ભુત કુદરતની આ કરામત જાણી લ્યો : જ્યારે પણ આપણા શરીરમાં કોઈ રોગ આવે છે ત્યારે તેને શરીર પર અસર કરવામાં થોડો વખત લાગે છે. તેની શરીર પર અસર આવે પછી તેના કારણે લોહી કે પેશાબના રિપોર્ટમાં તેની અસર દેખાય છે.

_આમ, તાવના પ્રથમ દિવસે જ જો રિપોર્ટ કરીએ તો તેમાં રોગ વિશે અધૂરી માહિતી મળે છે._

- ટાઈફોઈડનો જ દાખલો લ્યો. ધારો કે તે કોઈ વ્યક્તિને ટાઈફોઈડ થયો હોય તો તેનો એન્ટિબોડી રિપોર્ટ તાવના પહેલા પાંચ દિવસ સુધી નેગેટિવ રહે છે. પાંચ દિવસના તાવ બાદ જ આ રિપોર્ટ પોઝિટિવ મળે છે.
- અને ટાઈફોઈડ માટે સૌથી વધુ વપરાતો વિડાલ (WIDAL) નામનો ટેસ્ટ તો તાવના સાત દિવસ પહેલાં પોઝિટિવ થતો નથી.

*મતલબ પહેલા દિવસે ટાઈફોઈડ વિરોધી એન્ટિબોડી ટેસ્ટ કે વિડાલ ટેસ્ટ કરવાનો કોઈ અર્થ જ નથી એમ ?*

હા. તમે બરાબર સમજ્યા. એ માત્ર પૈસાનો બગાડ છે.

*તો શું પ્રથમ દિવસે રિપોર્ટમાં પકડાય એવા કોઈ રોગ જ નથી ?*

સરસ સવાલ. આમ તો પહેલા દિવસે જ રિપોર્ટમાં પકડાય એવા મુખ્ય બે જ રોગ છે, જે આપણે રોજબરોજનાં જીવનમાં જોતા હોઈએ છીએ. તે છે મેલેરિયા અને ડેન્ગ્યુ. મેલેરિયાના જંતુ લોહીની સ્લાઈડ બનાવીએ તો રક્તકણમાં ઘૂસેલા જોઈ શકાય છે. ડેન્ગ્યુ માટે ખાસ એન્ટિજન ટેસ્ટ આવે છે, જેને ડોક્ટરી ભાષામાં NS1 (એનએસવન) કહેવામાં આવે છે.

*ડોક્ટર, એક તરફ તમે કહો છો કે મોટા ભાગના રોગમાં શરૂઆતના દિવસોમાં રિપોર્ટ કરવાનો અર્થ નથી. બીજી બાજુ આ મેલેરિયા અને ડેન્ગ્યુ પ્રથમ દિવસે જ ટેસ્ટમાં પકડાઈ શકે છે. તો ક્યા કેસમાં રિપોર્ટ પ્રથમ દિવસે કરવા અને કયા કેસમાં પ્રથમ દિવસે રિપોર્ટ ન કરવા એ ડોક્ટર નક્કી કેવી રીતે કરે છે ?*

_જવાબ ચોક્કસ આપીશું પણ આ જવાબ તમારી સામાન્ય જાણકારી માટે છે. તમે જાતે જ તે નિર્ણય કરીને પોતાના ટેસ્ટ કે સારવાર કરો તો લેવાના દેવા પડી જાય એ યાદ રાખજો._

-જો નીચેના લક્ષણો હોય તો તરત જ ડોક્ટર પાસે જવું અને તાવનો પ્રથમ દિવસ હોય તો પણ ડોક્ટરની સલાહ મુજબ રિપોર્ટ કરાવવા :

૧. જો તાવ ૧૦૩ ડિગ્રીથી વધુ હોય
૨. જો તાવ સાથે શરીર ધ્રૂજે એવી ઠંડી પડતી હોય
૩. જો તાવ સાથે ચામડી પર રેશ એટલે કે લાલાશ હોય
૪. જો તાવ સાથે ખૂબ માથાનો, ગળાનો કે છાતીનો દુઃખાવો હોય
૫. જો તાવ સાથે બંધ ન થાય તેવી ઊલટીઓ હોય
૬. જો ખોરાક બંધ થયો હોય. પેશાબ બંધ થયો હોય.

*બરાબર સમજાયું. મતલબ કે જો ઉપરના લક્ષણો હોય તો ગંભીર પ્રકારના તાવની શરૂઆત હોઈ શકે અને એટલે જ ડોક્ટરની સલાહ મુજબ તરત જ રિપોર્ટ જોવા પડી શકે. અચ્છા, હવે એ કહો કે રિપોર્ટની જરૂર ક્યારે નથી હોતી ?*

આ અગત્યનો સવાલ છે. કોઈ પણ વખતે જરૂર વગરના રિપોર્ટ કરવા એ પૈસા અને સંસાધનોનો બગાડ છે.

ઉપર વાત કરી તેવા લક્ષણો જો ન હોય અને સામાન્ય તાવ હોય તો તાવની સામાન્ય દવા પેરાસિટામોલ લઈને ત્રણ દિવસ રાહ જોઈ શકાય છે.

ખાસ તો જ્યારે સામાન્ય શરદી-ખાંસી હોય અને સામાન્ય તાવ હોય, બહુ સામાન્ય એવા ઝાડા હોય અને તાવ હોય આ બન્ને પરિસ્થિતિમાં ઓઆરએસ અને પેરાસિટામોલ લઈને ત્રણ દિવસ સુધી રાહ જોઈ શકાય છે.

_એ વાત ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ તાવ ત્રણ દિવસથી વધુ ચાલે તો ડોક્ટર પાસે જવું જ જોઈએ, જેથી કોઈ અસામાન્ય તાવ હોય તો જરૂર મુજબ નિદાન કરાવી શકાય._

*સરસ સમજાયું. જો તાવ સાથે ગંભીર લક્ષણો હોય તો બિલકુલ રાહ ન જોવી પણ જો ગંભીર લક્ષણો તમે જણાવ્યા તેવા હોય તો તરત ડોક્ટર પાસે જવું. બરાબર ને ?*

હા. એમજ. ગંભીર લક્ષણો બરાબર ફરીથી વાંચી જાવ. જરૂર લાગે તો તે ફકરો કાપીને તમારા ઘરના નોટિસ બોર્ડ પર લગાડી દો. જો એટલું તમે યાદ રાખશો તો તાવને કારણે તમે કે તમારા પરિવાર મિત્રોને જોખમ થશે નહીં.

જરૂર વખતે તરત રિપોર્ટ થશે અને જરૂર નહીં હોય તો ઘેર સામાન્ય દવાઓ પર ધ્યાન રાખી શકશો.

*અચ્છા ડોક્ટર. વાત નીકળી જ છે તો એ પણ પૂછી લઈએ કે હમણાંથી આ સીઆરપી નામનો રિપોર્ટ જોવામાં આવે છે. આ વળી શું છે ?*

છેલ્લા થોડા વરસોમાં આ સીઆરપી નામનો ટેસ્ટ સુલભ બન્યો છે. આ ટેસ્ટમાં સીઆરપી એ 'સી રિએક્ટિવ પ્રોટીન'નું ટૂંકુ નામ છે.

આપણા શરીરમાં કોઈ પણ પ્રકારે જ્યારે સોજો થાય. ઈન્ફલામેશન થાય ત્યારે આ ખાસ પ્રકારનું પ્રોટીન બનવા લાગે છે. કોરોનાકાળ યાદ કરો. એ વખતે આ ટેસ્ટ ખૂબ પોઝિટિવ મળતો, કેમ કે કોરોના વાયરસ ફેફસાં તેમજ આખા શરીરમાં ઈન્ફલામેશન કરતો હતો.

*આ સીઆરપી ટેસ્ટ જો પોઝિટિવ હોય તો શું એન્ટિબાયોટિક લેવી પડે ?*

જો ડોક્ટરને એમ લાગે કે તમારા શરીરમાં બેક્ટરિયાના ચેપને કારણે ઈન્ફલામેશન થયું છે તો ડોક્ટર તમને ચોક્કસ એન્ટિબાયોટિક આપશે. પણ આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે વાયરસના ચેપમાં એન્ટિબાયોટિક કંઈ જ કામ કરતી નથી. ઊલટું તેનાથી નુકસાન થાય છે.

આમ વાયરસના ચેપને કારણે જ ઈન્ફલામેશન હોય તો સીઆરપી ભલે પોઝિટિવ કે વધુ મળે પણ એન્ટિબાયોટિક લેવાની જરૂર હોતી નથી. સામાન્ય શરદી, ઝાડા તે આવા રોગોનાં ઉદાહરણ છે.

*મતલબ કોઈ પણ કારણસર જ શરીરમાં ક્યાંય પણ ઈન્ફલામેશન થાય તે સીઆરપી પોઝિટિવ મળે. એ શેના કારણે પોઝિટિવ મળે છે તે ડોક્ટરે પોતાની તપાસ અને અન્ય રિપોર્ટસ પરથી નક્કી કરવું પડે બરાબર ?*

હા. તમે સરસ સમજ્યા. શરીરમાં ઈન્ફલામેશન બેક્ટરિયા કે વાયરસના ચેપથી થઈ શકે. આ ઉપરાંત અકસ્માત અને ઓપરેશન પછી પણ ઈન્ફલામેશન થાય છે. આવે વખતે પણ સીઆરપી વધુ મળે છે.

હાર્ટ એટેક, સ્વાદુ પિંડનો સોજો, એપેન્ડીસાઈટિસ જેવા રોગોમાં પણ સીઆરપી વધુ મળે છે.

રોગપ્રતિકારક શક્તિના રોગો જેવા કે ઓટોઈમ્યુન ડીસીઝ, રૂમેટોઈડ આર્થરાઈટિસમાં પણ સીઆરપી વધી જાય છે.

*ઓહો. સાદી ભાષામાં કહીએ તો સીઆરપી ટેસ્ટ માત્ર એટલું કહે છે કે શરીરમાં ક્યાંક આગ લાગી છે. ક્યાં લાગી છે તે ડોક્ટરે શોધવું પડે બરાબર ?*

-તમે ખૂબ સરસ શબ્દો વાપરીને સીઆરપી ટેસ્ટ સમજાવી દીધો. ફરીથી, સીઆરપી ટેસ્ટ પોઝિટિવ હોવાનો મતલબ માત્ર એવો છે કે, શરીરમાં ક્યાંક ઇન્ફલામેશન ચાલી રહ્યું છે. તે ક્યાં છે અને શેના કારણે છે તે શોધવાનું કામ ડોક્ટરનું છે અને તે શોધાયા બાદ કઈ દવા દર્દી માટે શ્રેષ્ઠ થશે તે નક્કી કરવાનું કામ પણ ડોક્ટરનું છે.

*૦ અત્યાર સુધી આપણે વાત કરી તેના સિવાય પણ શું કોઇ રોગોમાં સીઆરપી વધી શકે ?*

-તમને જાણીને નવાઈ લાગશે કે ડાયાબિટીસમાં પણ સીઆરપીમાં સામાન્ય એવો વધારો જોવા મળી શકે છે.

*૦ રોગ ન હોય તો પણ શું સીઆરપી વધુ મળી શકે?*

-સરસ સવાલ. ઓબેસ એટલે કે જાડા લોકોમાં સીઆરપી સામાન્ય વધેલું હોઇ શકે છે. તેવી જ રીતે મેટાબોલિક સિન્ડ્રોમ પણ એવું જ બને છે.

-આ ઉપરાંત પ્રેગનન્સીના પાછળના તબક્કામાં સિઆરપી વધે છે. કોઈ બહેન બર્થ કન્ટ્રોલ પિલ્સ એટલે કે ગર્ભનિરોધક ગોળીઓ લે તો પણ સીઆરપી સામાન્ય વધે છે.

*0 શું સિગારેટ પીવાથી સીઆરપી વધે ?*

-હા. સિગારેટ કે બીડી પીવાથી પણ સીઆરપીમાં વધારો જોવા મળે છે.

*૦ આટલા બધા રોગો અને રોગો ન હોય તેવી પરિસ્થિતિમાં પણ જે સીઆરપી વધતું હોય તો આનો ટેસ્ટ કામનો શું ?*

-મુદ્દાની વાત, દરેક ડોક્ટર પોતાના દર્દીની તપાસ કર્યા બાદ ક્યા રિપોર્ટ જરૂરી છે તે નક્કી કરે છે.

સીઆરપી ટેસ્ટ ત્યારે કરવામાં આવે છે જ્યારે ડોક્ટર દર્દીના શરીરમાં કોઇ ચોક્કસ કારણસર ઇન્ફલામેશનની શક્યતા જુએ છે.

દાખલા તરીકે નવજાત શિશુમાં જ્યારે આ ટેસ્ટ પોઝિટિવ મળે ત્યારે ડોક્ટરને બેક્ટેરિયાના ચેપનો શક પાકો થાય છે. કેમ કે એ ઉંમરમાં સીઆરપી વધવાનું સૌથી કોમન કારણ બેક્ટેરિયાનો ચેપ હોય છે.

-સીઆરપીનો સૌથી સારો ઉપયોગ કોઈ પણ રોગની પ્રોગ્રેસ એટલે કે પ્રગતિ જાણવામાં થાય છે.

પહેલાં જે સીઆરપી વધુ મળતું હોય તે રોગની સારવાર થતાં ઘટવા લાગે છે. આમ, બીજીવાર રિપોર્ટ કરીને ડોક્ટર પોતાની સારવાર અસરકારક છે કે નહીં તે નક્કી કરી શકે છે.

*ટેક કેર : અહીં તાવ અને તેના ટેસ્ટની વાત તમારા સામાન્ય જ્ઞાન માટે કરી છે. આટલું વાંચીને જાતે જ રિપોર્ટ કરાવીને પોતાની જાતે જ દવા કરવાનું જોખમ લેતા નહીં. ઓકે?*

*રસ્તાનું સ્પીડ બ્રેકર તમને કેટલું નુકસાન કરે છે? આદર્શ સ્પીડ બ્રેકર કેવા હોવા જોઈએ?*https://t.me/DrNehalVaidya/434જ્યાર...
17/07/2025

*રસ્તાનું સ્પીડ બ્રેકર તમને કેટલું નુકસાન કરે છે? આદર્શ સ્પીડ બ્રેકર કેવા હોવા જોઈએ?*
https://t.me/DrNehalVaidya/434

જ્યારે પણ નવા રસ્તા બને ત્યારે સ્પીડબ્રેકરો ગાયબ થાય છે અને ફરી પાછા બિલાડીના ટોપની માફક ફૂટી નીકળે છે. આપણી આસપાસ નજર કરીએ છીએ તો લાગે છે કે સ્પીડબ્રેકર્સ બનાવવા માટે કોઈ ધારા-ધોરણો તો છે પણ સ્પીડબ્રેકર્સ બનાવનારા તેનું પાલન કરતા નથી.

*તમેય સાહેબ, આ હેલ્થનું લખવાને બદલે વળી જાહેર બાંધકામના વિષયમાં ક્યાં માથું મારવા લાગ્યા ?*

આપણી સામાન્ય સમજ એવી છે કે જાહેર બાંધકામના વિષયને જાહેર સ્વાસ્થ્યના વિષય સાથે કોઈ નિસબત નથી. - જો કે હકીકત કંઈક બીજી જ છે.

રોડ રસ્તાની હાલત અને સ્પીડબ્રેકરની બાંધણીની અસર જાહેર સ્વાસ્થ્ય પર પડે જ છે.

*એમ ? તમેય શું વળી! કોઈ મોટો ખાડો હોય તો થોડું પડી જવાય. કોઈ ખરાબ આકારનું સ્પીડબ્રેકર આવે તો થોડી કમર દુઃખી જાય. બીજું તો વળી શું થવાનું હતું ?*

એક યુવાન વ્યક્તિને કદાચ ઉબડ-ખાબડ રસ્તા અને ખરાબ આકારના સ્પીડબ્રેકરથી કદાચ ખાસ નુકસાન ન થાય પણ નાના બાળકો, સગર્ભા માતા અને વડીલોને ઘણું નુકસાન થઈ શકે છે.
અને હા, યુવાનોને પણ યુવા વયમાં લાગતા સ્પીડબ્રેકર્સના ઝાટકાની અસર વર્તાતી નથી પણ જ્યારે પણ તેમની ઉંમર વધે છે ત્યારે તેમના શરીર પર પણ આવા ઝાટકાઓની અસર વર્તાય છે.

*ઓહો, આ વાતનો તો ક્યારેય વિચાર જ નહોતો આવ્યો! અચ્છા ડોક્ટર, સામાન્ય રીતે સ્પીડબ્રેકરના ઝાટકા ખાવાથી શું નુકસાન થઈ શકે છે?*

નુકસાન ટૂંકા ગાળે અને લાંબા ગાળે એમ બન્ને રીતે થાય છે.

ટૂંકા ગાળાની અસરમાં જો કોઈ સૌથી સામાન્ય અસર હોય તો તે છે પીઠ અને ગરદનમાં દુઃખાવો. આવું ખાસ ત્યારે થાય છે જ્યારે અચાનક જ જોરથી ઉછળીને પડવાનું બને છે.

*હા. ડોક્ટર, સામાન્ય રીતે આપણા રસ્તાઓ પર સ્પીડબ્રેકર્સ રંગેલા હોતા નથી. વળી, ચેતવણીનું પાટિયું પણ લાગેલું હોતું નથી એટલે ચાલક જો ઝડપથી વાહન ચલાવતો હોય તો તેણે અચાનક જ સ્પીડબ્રેકરનો સામનો કરવો પડે છે. આવે વખતે ચાલક અને બીજા સહપ્રવાસીઓ ઉછળીને પટકાય છે. આવું થાય ત્યારે શું બને છે?*

જો ઉછાળ સામાન્ય હોય તો મુશ્કેલી થતી નથી પણ જો ઉછાળ વધારે હોય તો ગળાના સ્નાયુઓ, હાડકાં અને લિગામેન્ટ પર ઈજા થાય છે. આને “વ્હિપલેસ ઈન્જરી” કહેવાય છે.

આવી ઈજા બાદ ગરદન અને માથાના પાછળના ભાગે
સખત દુઃખાવો થાય છે. દર્દીને દિવસો સુધી માથાને ટેકો આપતો ગળાનો કોલર પહેરવો પડે છે.

દુઃખાવાની દવાઓ અને ફિઝિયોથેરાપી પણ કરવી પડે છે. આવી તકલીફ મટતા વાર કરે છે.

*આ તો બહુ તકલીફવાળું કહેવાય. આ સિવાય ટૂંકા ગાળે શું તકલીફ થઈ શકે ?*

-જેમ ગરદનના સ્નાયુ અને હાડકાં પર ઈજા થાય છે તેવી જ રીતે કમરના સ્નાયુ અને કરોડરજ્જુના હાડકાંને પણ નુકસાન થઈ શકે છે. આ કારણે કમરની નીચેના ભાગે દુઃખાવો થઈ શકે છે.

અચાનક ઉછળતા-પટકાતા હીપ જોઈન્ટ અને ઘૂંટણના સાંધા પર પણ દબાણ ખેંચાણ આવે છે એટલે ત્યાં પણ ઈજાની શક્યતાઓ રહેલી છે.

આ ઉપરાંત પ્રવાસમાં ઝાટકા લાગવાને કારણે ખૂબ થાક અનુભવાય છે.

બાઈક અને સ્કૂટર જેવા વાહનો અચાનક આવી જતા સ્પીડબ્રેકરને કારણે કાબૂ ગુમાવીને અકસ્માત નોતરી શકે છે. જેમાં જીવ પણ જઈ શકે છે.

*અને લાંબાગાળે શું નુકસાન થાય ?*

લાંબાગાળે એક તો કરોડરજ્જુની ગાદીને નુકસાન થાય છે. આ કારણે ડિસ્ક પ્રોલેપ્સ એટલે કે ગાદીનું ખસી જવું કે ડિસ્ક હર્નીએશન જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

બીજું, આપણા સાંધાઓને વારે-વારે ઝાટકા લાગવાથી લાંબે ગાળે તેની કાસ્થિઓ એટલે કે કાર્ટીલેજ ઘસાઈ જાય છે. આ કારણે સંધિવા થઈ શકે છે.

આ ઉપરાંત લાંબાગાળે ઝાટકાઓને કારણે માથાનો દુઃખાવો અને ઉઠતા બેસતા ચક્કર આવવાની સમસ્યા પણ થઈ શકે છે.

*માર્યા ઠાર ! આવી તો અમને ખબર જ નહોતી. અચ્છા ડોક્ટર, બાળકો, સગર્ભા માતા અને વડીલોને શું નુકસાન થાય છે?*

- બાળકોના હાડકાં નાજૂક હોય છે અને સામાન્ય ઉછાળ પણ તેમના માટે જીવલેણ બની શકે છે.
- ખાસ તો આજકાલ બાઈક પર પરિવાર સહિત નીકળવાનું ચલણ વધ્યું છે. ઘણા પરિવારો બાઈક પર એક ગામથી બીજે ગામ પણ જતા હોય છે. બાળકો માટે આવો પ્રવાસ ખૂબ જોખમી બની શકે છે.
- સગર્ભા માતાઓને તો ખૂબ કાળજી રાખવાની જરૂર છે. પ્રથમ ત્રણ માસ અને છેલ્લા ત્રણ માસ દરમ્યાન તો તેમણે કોઈ જ પ્રવાસ કરવો જોઈએ નહીં. અણઘડ સ્પીડબ્રેકરને કારણે તેમને એબોર્શન થઈ શકે છે. ક્યારેક ગર્ભાશયની દિવાલ પર ચોંટેલો પ્લેસેંટા ઈજા પામી શકે છે. આથી તેમને લોહી નીકળી શકે છે અને પેટમાં રહેલા બાળકોનો જીવ જોખમમાં આવી શકે છે. આ ઉપરાંત ઝાટકાને કારણે પ્રીમેચ્યોર ડિલિવરી પણ થઈ શકે છે.
- વડીલોનાં હાડકાં મજબૂત હોતાં નથી એટલે સામાન્ય ઝાટકામાં પણ તેમને ફ્રેક્ચર થઈ શકે છે. સાચું પૂછો તો ટુ-વ્હીલર અને રિક્ષામાં પ્રવાસ કરી રહેલા વડીલો માટે અણઘડ આકારના સ્પીડબ્રેકર શાપરૂપ છે.

*ડોક્ટર, તમારી વાત વાંચ્યા પછી તે એવું લાગે કે સ્પીડબ્રેકર્સ જ કાઢી નાખવા જોઈએ. ન હોય વાંસ અને ન વાગે વાંસળી ! કેમ, બરાબર ને ?*

ના. આ વાત બરાબર નથી. જો સ્પીડબ્રેકર જ ન હોય તો રોજ અનેક રાહદારીઓના જીવ, વિદ્યાર્થીઓના જીવન જોખમમાં મૂકાય.

- એ વાત બરાબર સમજો કે સાચી સમસ્યા સ્પીડબ્રેકર્સ નથી. સાચી સમસ્યા તો સ્પીડબ્રેકર્સ અને રસ્તો બનાવવાની રીત છે.

*તો શું તમે એમ કહેવા માંગો છો કે જે ઈજનેરે રસ્તા બનાવે છે અને જે લોકશાહીની સંસ્થાઓ તેમને કામ સોંપે છે. તેમને યોગ્ય રીતે રસ્તા અને સ્પીડબ્રેકર બનાવતા નથી આવડતા એમ ?*

બિલકુલ. આપણા શહેરો અને ગામડાઓમાં આપણે જે રસ્તાઓ ભોગવી રહ્યા છીએ તે ખૂબ જ પ્રાથમિક કક્ષાના છે.

કહો કે જૂના જમાનાની ગાડાવાટથી બે ડગલાં જ આગળના છે.

*એમ ? તો ખરેખર શું થવું જોઈએ ?*

- યોગ્ય રીતે રસ્તા અને સ્પીડબ્રેકર્સનું નિર્માણ થવું જોઈએ. જે દેશોમાં રસ્તા અને સ્પીડબ્રેકર્સ યોગ્ય રીતે બનાવેલા હોય ત્યાં વાહનચાલકો અને રાહદારીઓ એમ બંનેને ફાયદો મળે છે.

આપણે ત્યાં જ્યારે રસ્તાની વાત આવે ત્યારે રાજકીય પક્ષો પેરિસ જેવા રસ્તા બનાવી દઈશું કે યુરોપિયન સ્ટાન્ડર્ડના રસ્તા બનાવી દઈશું તેવું કહેતા હોય છે.

*તો શું આવા સ્ટાન્ડર્ડ વિદેશમાં જ બનાવવામાં આવ્યા છે? ભારત દેશનું પોતાનું રોડ રસ્તાની યોગ્ય બનાવટ માટે કોઈ સ્ટાન્ડર્ડ છે ખરું ?*

બિલકુલ છે. ભારતના રોડ રસ્તા અને સ્પીડબ્રેકર્સને નીતિનિયમો જે સંસ્થા બનાવે છે તેનું નામ છે : ઇન્ડીયન રોડ કોંગ્રેસ

આ સંસ્થા ભારતના રસ્તા અને સ્પીડ બ્રેકર્સ કેવા હોવા જોઈએ. તેની ગાઈડલાઈન બહાર પાડે છે.

*અચ્છા ? અહીં જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે વીસ ફુટના અંતરે બે સ્પીડ બ્રેકર લગાયેલા છે એને કોર્ટ પાસેના ઢાળ પર તો ચાર-પાંચ ત્રીસ-ત્રીસ મીટરન અંતરે મૂકી દીધેલા છે તો ઈન્ડિયન રોડ કોંગ્રેસની ગાઈડલાઈન મુજબ બે સ્પીડ બ્રેકર વચ્ચે ઓછામાં ઓછું કેટલું અંતર રાખવું જોઈએ ?*

- આઈઆરસીની ગાઈડલાઈન મુજબ બે સ્પીડબ્રેકર વચ્ચે ઓછામાં ઓછું ૧૦૦ મીટરનું અંતર હોવું જોઈએ.
- શાળાઓ અને હોસ્પિટલો હોય તો આ નિયમમાં જરૂર મુજબ છૂટ લઈ શકાય છે.

*લ્યો કરો વાત. અહીં તો ક્યાંય આવી ગાઈડલાઈનનું પાલન થતું હોય તેવું લાગતું નથી. ગમે તે અંતરે ગમે તેવા સ્પીડબ્રેકર ઊભા કરી દેવાય છે. અચ્છા ડોક્ટર, ઈન્ડિયન રોડ કોંગ્રેસ મુજબ એક આદર્શ સ્પીડબ્રેકર કેવું હોવું જોઈએ ?*

સરસ સવાલ. સામાન્ય રીતે નગરપાલિકા વિસ્તારમાં વપરાતા સ્પીડબ્રેકર રાઉન્ડેડ હંપ (Rounded Hump) પ્રકારના હોય છે. તેમની વચ્ચેના ભાગની ઉંચાઈ મૂળ રસ્તાથી ૧૦ સે.મી. હોય છે અને પહોળાઈ ૩.૭ મીટર રાખવામાં આવે છે.

આવા સ્પીડબ્રેકર પરથી ૨૫ કિ.મી./કલાકની ઝડપે જો ગાડી કે સ્કૂટર ચલાવવામાં આવે તો ચાલક અને સહપ્રવાસીઓને કોઈ જ નુકસાન થતું નથી.

*સ્પીડબ્રેકર તો આદર્શ બની જાય પણ ચાલકને ખબર કેમ પડે કે રસ્તામાં આગળ સ્પીડબ્રેકર છે? તેની કોઈ આઈ.આર.સી.ની ગાઈડલાઈન છે ?*

ચોક્કસ છે. સ્પીડબ્રેકર બન્યાથી ૪૦ મીટર દૂર ચેતવણી આપતું બોર્ડ મૂકાવું જોઈએ.

આ ઉપરાંત ચાલકને રોડ પર દૂરથી જ સ્પીડબ્રેકર દેખાઈ જાય તે માટે તેના પર સફેદ પટ્ટા કરવા ફરજિયાત છે.

*શું સ્પીડબ્રેકર ગમે ત્યાં ગમે તે લોકો બનાવી શકે ?*

- બિલકુલ નહીં. આઈ.આર.સી.ની ગાઈડલાઈન મુજબ સ્પીડબ્રેકર્સ માત્ર યોગ્ય સત્તાવાળા બનાવી શકે અને એ પણ યોગ્ય ધારાધોરણો મુજબ જ બનાવી શકે. સત્તાવાળા પણ પોતાની મરજીથી ગમે ત્યાં સ્પીડબ્રેકર બનાવી શક્તા નથી.

*આઈ.આર.સી. મુજબ ક્યાં-ક્યાં સ્પીડબ્રેકર બનાવવાની મંજૂરી છે?*


(૧)નાના રસ્તાઓ પર જ્યાં તેઓ મોટા રસ્તાને મળતા હોય
(૨) શાળા-કોલેજો, હોસ્પિટલો અને આંગણવાડી કેન્દ્રો પાસે બાળકો અને દર્દીઓની સુરક્ષા માટે
(૩) દરેક રેલવે ક્રોસિંગ પહેલાં
(૪) ગ્રામિણ રસ્તાઓ હાઈવેને મળતા હોય ત્યાં
(૫) અકસ્માત સંભવિત વિસ્તારમાં.

*તો શું આ સિવાય સ્પીડબ્રેકર પાલિકા વાળા કે પંચાયતવાળા પણ ન બનાવી શકે એમ ?*

હા, ગુજરાત હાઈકોર્ટ સ્પીડબ્રેકર્સ બનાવવાના નિયમોનું સખત પાલન કરવા સૂચના આપેલી છે. ગેરકાયદેસર અને ર્નિયમોનું પાલન કર્યા વગર બનાવેલા સ્પીડબ્રેકર્સને દૂર કરવાના આદેશ પણ થયેલા છે.

*અચ્છા, શું કોઈ એવા રોડ હોય જ્યાં સ્પીડબ્રેકર બનાવવાની મનાઈ હોય?*

હા, નેશનલ હાઈવે, એક્સપ્રેસ-વે જેવા રસ્તાઓ પર સ્પીડબ્રેકર્સ બનાવવાની મનાઈ છે. એટલે જ તેમને મળતા રસ્તાઓ પર યોગ્ય અંતરે સ્પીડબ્રેકર્સ મૂકવાની ભલામણ કરવામાં આવી છે.

*વિદેશોમાં રસ્તાઓ પર સરસ સાઈનબોર્ડ હોય છે, સૂચનાઓ હોય છે, નિશાનીઓ અને ચિહ્નો હોય છે. રસ્તા પર પણ સરસ પટ્ટાઓ દોરેલા હોય છે. આપણે ત્યાં આવું કેમ નથી ?*

– કેમ નથી એ તો બનાવનારા જ કહી શકે પણ રસ્તાઓ યોગ્ય રીતે વપરાય અને ઓછા અકસ્માત થાય તે માટે તેમને રંગવા, સૂચનાઓ મૂકવી, સફેદ પટ્ટાઓ કરવા વગેરે ખૂબ જરૂરી છે.

🌸🌸🌸

એરોપ્લેન ક્રેશ જેવી ઘટના બાદ કેવી રીતે કરાય છે મૃતકો ની ઓળખ? શું છે તેનું વિજ્ઞાન?https://t.me/DrNehalVaidya/431આપણે ક્ય...
03/07/2025

એરોપ્લેન ક્રેશ જેવી ઘટના બાદ કેવી રીતે કરાય છે મૃતકો ની ઓળખ? શું છે તેનું વિજ્ઞાન?

https://t.me/DrNehalVaidya/431

આપણે ક્યારેય ધાર્યું ન હોય તેવો ગમખ્વાર અકસ્માત અમદાવાદમાં બની ગયો. વિમાન ઉપર ચડવાને બદલે ટેક ઓફ બાદ નીચે પટકાયું, એટલે તરત અગનગોળો બની ગયું. તેમાં ભારોભાર ફ્યુઅલ હતું એ સળગી ગયું.

વિમાનના યાત્રીઓ તો બળ્યા જ, પણ તેની સાથે સાથે વિમાન જ્યાં પડ્યું, એ મેડિકલ કોલેજની હોસ્ટેલ અને મેસમાં જમી રહેલા ડોક્ટર્સ પણ ચપેટમાં આવી ગયા. અત્યારે આખો દેશ આ ઘટનાથી સ્તબ્ધ છે.

જો કે, બચાવકાર્ય તરત જ ચાલુ થયું હતું. કોઈ એક વ્યક્તિ બચી જવા પામી છે, જ્યારે અનેક લોકોનાં મોત એવી રીતે થયાં છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.

આવે વખતે મૃતદેહોની ઓળખ કરવી ખૂબ અગત્યની અને માનવીય વાત બની જાય છે.

સામાન્ય મોતના કિસ્સામાં આપણે ચહેરો જોઈને જ મૃતકને ઓળખી જઈએ છીએ, પણ જ્યારે આવી રીતે બળીને મૃત્યુ થયું હોય ત્યારે આમ કરવું અશક્ય બની જાય છે.

આવે વખતે વ્યક્તિની ઓળખ કરવા માટે વિજ્ઞાનનો સહારો લેવામાં આવે છે.

વિજ્ઞાન કેવી રીતે આ કાર્યમાં મદદ કરે છે, તે ટૂંકમાં સમજીએ :

*છાપામાં એવું વાંચ્યું કે મૃતદેહની ઓળખ કરવા માટે ફોરેસિક લેબોરેટરીની મદદ લેવામાં આવશે. ડી.એન.એ.ની તપાસથી આ ઓળખ કરવામાં આવશે. આ ડી.એન.એ.ની તપાસ એટલે શું?*

આપણું શરીર હજારો કોષોનું બનેલું છે. આ દરેક કોષનાં કેન્દ્રમાં એક કોષકેન્દ્ર હોય છે. આ કોષકેન્દ્રમાં આપણાં રંગસૂત્રો હોય છે. આ રંગસૂત્રો જે રસાયણથી બને છે, તેને કહેવાય છે ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. એટલે કે, ટૂંકમાં ડી.એન.એ.

કોઈપણ વ્યક્તિનાં શરીરમાં માતા અને પિતામાંથી રંગસૂત્રો એટલે કે ડી.એન.એ. આવે છે. આનો અર્થ એ થયો કે જો બાળક અને માતા - પિતાનું ડી.એન.એ. સરખાવવામાં આવે તો માતા - પિતાનાં ડી.એન.એ. પરથી બાળકનું ડી.એન.એ. કયું છે તે ઓળખી શકાય છે.

બીજા શબ્દોમાં બાળકનો ચહેરો જોયા વગર જ નક્કી કરી શકાય છે કે તેનાં માતા - પિતા કોણ છે.

*પણ અકસ્માતની આગમાં તો બધું જ બળી જાય છે. આવે વખતે ડી.એન.એ.સેમ્પલ મળે કેવી રીતે ?*

તમારી વાત બિલકુલ સાચી છે. જો સંપૂર્ણ વિનાશ થયો હોય તો સેમ્પલ મળવું મુશ્કેલ બનશે, પણ સામાન્ય સંજોગોમાં નિષ્ણાતો હાડકાં, દાંત કે બચી ગયેલી માંસપેશીમાંથી ડી.એન.એ. ટેસ્ટ માટે સેમ્પલ મેળવી લે છે.

*સેમ્પલ મળી ગયા બાદ શું કરાય છે?*

ડી.એન.એ. સેમ્પલ મળી ગયા બાદ તેનું શુદ્ધીકરણ કરવામાં આવે છે. આ સાથે તેનાં સંભવિત માતા - પિતા કે ભાઈ -બહેનનાં સેમ્પલ પણ લેવામાં આવે છે.

આ બધાં સેમ્પલમાંથી ડી.એન.એ. મેળવીને પછી તેની સરખામણી કરવામાં આવે છે.

સરખામણી કરવાથી ક્યાં સેમ્પલ સાથે ક્યાં સગાં-સંબંધીનું સેમ્પલ મેચ થાય છે,તે ખબર પડે છે. આવી રીતે ફાઈનલ ઓળખ શક્ય બને છે.

*આ તો બહુ જટિલ પ્રક્રિયા હશે, નહીં?*

હા. આવી પ્રક્રિયા કરવામાં નિષ્ણાતોને સાતથી ૧૪ દિવસનો સમય લાગી જતો હોય છે. જો કેસ ઘણા વધારે હોય તો વધુ વાર પણ લાગી શકે છે.

*પણ શું ડી.એન.એ. ટેસ્ટિંગથી થતી ઓળખમાં ભૂલ ન થઈ શકે ?*

-આધુનિક વિજ્ઞાન અને ટેસ્ટની પદ્ધતિ એટલી સચોટ થઈ ચૂકી છે કે આ ટેસ્ટમાં ભૂલની શક્યતા માત્ર ૦.૦૧ ટકા જેટલી કે તેનાથી પણ ઓછી છે.

- જો કે, ડી.એન.એ.નો નમૂનો લેવામાં ભૂલ હોય, નમૂનામાં ભૂલથી કોઈ બીજાનું ડી.એન.એ. ભળી ગયું હોય તો ભૂલ થવાની શક્યતા ઊભી થાય છે.
- આ ભૂલ ડી.એન.એ. ટેસ્ટિંગને કારણે નહીં, પણ ઓફકોર્સ, માનવીય ભૂલ ને કારણે થાય છે.

*ક્યારેક ડી.એન.એ. સેમ્પલ ખૂબ ઓછાં પ્રમાણમાં મળે, તો શું થાય?*

ઓછાં પ્રમાણમાં મળતા ડી.એન.એ.ના જથ્થાને વધારવાની પ્રક્રિયા એટલે જ પી.સી.આર...! યાદ કરો, કોરોનાનો ટેસ્ટ.

અત્યારે પણ કોરોના માટે પી.સી.આર. પ્રક્રિયાથી થતો ટેસ્ટ જ વપરાય છે. પી.સી.આર. એ પોલીમરેઝ ચેઈન રિએકશનનું ટૂંકું છે. આ એક એવી રાસાયણિક પ્રક્રિયા છે, જેના દ્વારા ઓછાં પ્રમાણમાં મળેલા ડી.એન.એ.ના જથ્થાને વધારી શકાય છે.

જથ્થો વધે એટલે તેને અલગ અલગ ટેસ્ટમાં સહેલાઈથી વાપરી શકાય છે.

*જબરદસ્ત વિજ્ઞાન છે આ તો! અચ્છા, આ ડી.એન.એ. ટેસ્ટ સિવાય કોઈ બીજી રીત ખરી મૃતકની ઓળખ માટે ?*

હા, બીજી પણ રીતો છે. સાચું પૂછો તો મૃતકની ઓળખ માટે એક સાથે અનેક - રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી રીતોનો સરવાળો થાય એટલે ઓળખ ઘણી પાકી બને છે.

ઘણી વખત મૃતકના દાંતના એક્સ -રે મળી આવતા હોય છે. ભૂતકાળમાં જ્યારે કોઈ ડેન્ટલ પ્રોસીજર કરવામા કરવામાં આવી હોય ત્યારે આવો રેકોર્ડ ઊભો થાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે જેમ દરેક વ્યક્તિની ફિંગર પ્રિન્ટ એકસરખી નથી હોતી, તેવી જ રીતે દાંતની ગોઠવણ પણ એક સરખી નથી હોતી. આ ઉપરાંત, કાળક્રમે દાંતમાં ધાતુ ભરી હોય, દાંત કઢાવ્યા હોય વગેરેના એક્સ–રે રેકોર્ડ પણ હોય છે.

શંકાસ્પદ મૃતકના આવા રેકોર્ડ સરખાવવામાં આવે છે. આવી રીતે તે વ્યક્તિ કોણ હતી તેની ઓળખ કરવામાં આવે છે.

_દાંતની મદદથી કાયદાકીય ગૂંચ ઉકેલવાનાં વિજ્ઞાનને ફોરેન્સિક ઓડોન્ટોલોજી કહેવાય છે._

*શું આવી જ રીતે ફિંગર પ્રિન્ટ કામ લાગી શકે?*

ચોક્કસ લાગી શકે. મૃતકની ફિંગર પ્રિન્ટને તેના આધારકાર્ડની ફિંગર પ્રિન્ટ કે અન્ય જગ્યાએ લેવાયેલી ફિંગર પ્રિન્ટ સાથે સરખાવી શકાય. જો કે, વિમાન અકસ્માતમાં સામાન્ય રીતે ખૂબ આગ લાગી હોય છે. આથી ચામડી જ બળી જતી હોય છે. આવે વખતે ફિંગર પ્રિન્ટ બચી જાય તેવું ભાગ્યે જોગે બને છે.

*જેમ દાંતના જૂના એક્સ - રે કામ લાગે, તેવી રીતે શરીરના અન્ય ભાગોના જૂના એક્સ-રે શું કામ લાગી શકે ?*

સરસ સમજ્યા તમે. શરીરના કોઈપણ ભાગના જૂના એક્સ - રે સરખામણી માટે કામ લાગી શકે. આ ત્યારે ખાસ ઉપયોગી થાય, જ્યારે મૃતકને ભૂતકાળમાં કોઈ ફ્રેક્ચર થયાં હોય, પ્લેટ બેસાડેલી હોય કે સાંધો બદલાવેલો હોય.

*ડોક્ટર, હવે વાત સમજાય છે. બળી ગયેલા મૃતકના ડી.એન.એ. ટેસ્ટ ઉપરાંત તેના જ બીજા મેડિકલ રેકોર્ડ હોય, તે મેળવીને તેની સરખામણી કરવામાં આવે છે, જેથી મૃતકની ઓળખ પાકી થાય, બરાબરને ? આ ઉપરાંત શું કંઈ કરવામાં આવે છે?*

આ ઉપરાંત, ઘણીવાર મૃતકનાં કપડાંનો ટુકડો અથવા તો મૃતકની આસપાસથી મળેલાં ઘરેણાં, પાસપોર્ટ, ઘડિયાળ વગેરે જેવી વસ્તુઓ મૃતકને ઓળખવામાં મદદરૂપ થાય છે.

આમ,મૃતકને ઓળખવાનું વિજ્ઞાન એક વિશિષ્ટ વિષય છે. ફોરેન્સિકના નિષ્ણાતો તેમની કાબેલિયતથી આ વિજ્ઞાન વાપરીને મૃતકોની ઓળખ કરી આપે છે.

*ડોક્ટર, ઘણીવાર અજાણી લાશ મળે, તો ? ઘણીવાર તો લાશ સ્ત્રીની છે કે પુરુષની, તે પણ ખબર પડે તેમ હોતું નથી. એવે વખતે ફોરેસિક વિજ્ઞાનના નિષ્ણાતો શું કરે છે ?*

- વિમાન અકસ્માતમાં તો મુસાફરોનું એક લિસ્ટ હોય છે, તે ઉપરાંત પણ ઘણા આનુષંગિક પુરાવાઓ મેળવી શકાય છે, પણ જ્યારે અજાણી, કહોવાયેલી કે કટકા કરેલી લાશ મળે છે, ત્યારે ફોરેન્સિક ડોક્ટરની સાચી કસોટી થઈ જાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આજનું ફોરેન્સિક વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે એક હાડકું મળે તો પણ તેના પર વિવિધ પરીક્ષણ કરીને નિષ્ણાતો એ કહી શકે છે કે તે હાડકું મનુષ્યનું છે કે નહીં, તે સ્ત્રીનું છે કે પુરુષનું, તેની ઉંમર કેટલી રહી હશે, તેનાં મોતને આશરે કેટલો સમય થયો હશે… આ બધી માહિતીથી કેસની તપાસ કરતી ટીમને ખૂબ મહત્ત્વની વિગતો હાથ લાગે છે અને તેઓ આરોપી સુધી પહોંચી શકે છે.

*અમે એવું સાંભળ્યું છે કે કોઈ ટચ ડી.એન.એ. નામનો ટેસ્ટ પણ થાય છે. એ શું છે વળી ?*

ટચ ડી.એન.એ. એ ડી.એન.એ. ટેસ્ટિંગની ખાસ રીત છે. આ ટેકનિકમાં ગુનાનાં સ્થળેથી પરસેવો કે મૃત ત્વચા જેવા નાના નમૂનાઓ લેવામાં આવે છે. આવા નમૂનાઓમાંથી પણ ડી.એન.એ. તારવી લેવાય છે.

ગુજરાતમાં ગાંધીનગરની ફોરેન્સિક લેબમાં આવા ટેસ્ટ કરવાની વ્યવસ્થા છે.

ઘણીવાર ગુનેગાર ગુનાનાં સ્થળે પોતાની ફિંગર પ્રિન્ટ પણ છોડતો નથી. આવે વખતે તેનો પરસેવો, વાળ કે નખની મદદથી પણ ટચ ડી.એન.એ. ટેસ્ટ થઈ શકે છે.

ગુજરાતમાં ટચ ડી.એન.એ. ટેસ્ટિંગની મદદથી પોલીસને ઘણા કેસ ઉકેલવામાં મદદ મળી છે.

*અચ્છા ડોક્ટર, ફોરેસિક નિષ્ણાત બનવું હોય તો શું કરવું પડે છે ?*

એ માટે સૌ પ્રથમ તો એમ.બી.બી.એસ. કરવું પડે છે. અન્ડર ગ્રેજ્યુએટ લેવલે સેકન્ડ એમ.બી.બી.એસ.માં ફોરેન્સિક મેડિસીન શીખવવામાં આવે છે. આ કારણે દરેક એમ.બી.બી.એસ. ડોક્ટર પોસ્ટમોર્ટમ કરવા સક્ષમ બને છે.

જેમ મેડિસીન, સર્જરી, ગાયનેકોલોજી જેવી બ્રાન્ચમાં પોસ્ટ ગ્રેજ્યુએશન થાય છે, તેવી જ રીતે એમ.બી.બી.એસ. બાદ ફોરેન્સિક મેડિસીનમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે એમ.ડી. થઈ શકાય છે.

આ ઉપરાંત, અમુક યુનિવર્સિટીમાં બી.એસસી. પણ ફોરેન્સિક સાયન્સના વિષય સાથે થઈ શકાય છે.

_તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં વિશ્વની સર્વપ્રથમ એવી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે. ભારતની તે એકમાત્ર એવી સંસ્થા છે કે જ્યાં માત્ર ફોરેન્સિક સાયન્સ જ ભણાવવામાં આવે છે_.

અહીં બી.એસસી. + એમ.એસસી. એમ પાંચ વર્ષનો ઈન્ટિગ્રેટેડ કોર્સ કરાવવામાં આવે છે.

અહીં પ્રવેશ લેવા માટે ૧૨ સાયન્સમાં ઓછાંમાં ઓછા ૬૦ ટકા ગુણ હોવા જરૂરી છે. જો તમે પછાત વર્ગમાંથી આવો છો, તો ૫૦ ટકા ગુણ જરૂરી છે. અહીં પણ પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાને “નેશનલ ફોરેન્સિક એડમિશન ટેસ્ટ' કહેવાય છે.

આ ઉપરાંત, ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી અને ભાવનગરની જ્ઞાનમંજરી યુનિવર્સિટી પણ ફોરેન્સિક સાયન્સમાં બી.એસસી. તેમજ આગળના અભ્યાસો કરાવે છે.

*ટેક કેર* : ગયેલા પાછા આવવાના નથી, પણ તેમની યોગ્ય ઓળખથી પરિવારને સાંત્વન મળવામાં મદદ મળે છે. આ ઉપરાંત, સરકારી પ્રક્રિયાઓ અને મદદમાં પણ તે કામ લાગે છે.

🌸🌸🌸

ઇન્જેક્શન લેતા પહેલાં આટલું જાણો !
19/06/2025

ઇન્જેક્શન લેતા પહેલાં આટલું જાણો !

ગરમી ની મોસમ માં તડકા થી કેવી રીતે બચવું એ તો ઘણી જગ્યાએ વાંચ્યું હશે. પણ શું તમે જાણો છો કે સવાર નો કુણો નહીં પણ બપોર ન...
14/05/2025

ગરમી ની મોસમ માં તડકા થી કેવી રીતે બચવું એ તો ઘણી જગ્યાએ વાંચ્યું હશે. પણ શું તમે જાણો છો કે સવાર નો કુણો નહીં પણ બપોર નો કાળઝાળ તડકો આપણા સારા સ્વાસ્થ્ય માટે કામનો છે?

માત્ર વિટામિન ડી જ નહીં પણ આપણા જીવન માટે જરૂરી બીજા અનેક તત્વો નું પ્રમાણ તડકા ને કારણે આપણા શરીર માં વધે છે.

વાંચો વૈજ્ઞાનિક માહિતી :

https://whatsapp.com/channel/0029VaFQOZC2UPBPX8OGj91K/419

અત્યારે અછબડા ની મોસમ ચાલી રહી છે ત્યારે વાંચો અગત્યની માહિતી: - ઓરી અછબડા માં શું ફેર છે?- અછબડા કેવી રીતે થાય છે? કેમ ...
11/04/2025

અત્યારે અછબડા ની મોસમ ચાલી રહી છે ત્યારે વાંચો અગત્યની માહિતી:

- ઓરી અછબડા માં શું ફેર છે?
- અછબડા કેવી રીતે થાય છે? કેમ બચી શકાય?
- અછબડા થાય તે બાળક ના નખ શા માટે કાપી નાખવા જોઈએ?
- સગર્ભા માતા ને અછબડા થાય તો શું થાય? તેનાથી કેવી રીતે બચી શકાય?

વાંચો અને આગળ શેર કરો:
https://whatsapp.com/channel/0029VaFQOZC2UPBPX8OGj91K/397

એસી વાપરવાની આવી વૈજ્ઞાનિક ગાઈડ તમે વાંચી નહીં હોય !જાણો એર થર્મોડાયનેમિકસ્ અને  હ્યુમન થર્મોડાયનેમિકસ્ ના આધારે એસી વાપ...
27/03/2025

એસી વાપરવાની આવી વૈજ્ઞાનિક ગાઈડ તમે વાંચી નહીં હોય !

જાણો એર થર્મોડાયનેમિકસ્ અને હ્યુમન થર્મોડાયનેમિકસ્ ના આધારે એસી વાપરવાની પરફેક્ટ ગાઈડ..!

https://whatsapp.com/channel/0029VaFQOZC2UPBPX8OGj91K/387

શું છે વેજીટેબલ ક્લીનર મશીનો ની સચ્ચાઈ ? શું ગટરમાં ઉગાડેલા શાકભાજીને તે પૂરેપૂરા સાફ કરી શકે છે ? શું શાકભાજી અને ફળોમા...
19/03/2025

શું છે વેજીટેબલ ક્લીનર મશીનો ની સચ્ચાઈ ? શું ગટરમાં ઉગાડેલા શાકભાજીને તે પૂરેપૂરા સાફ કરી શકે છે ? શું શાકભાજી અને ફળોમાં ભળી ગયેલા પેસ્ટીસાઈડ અને અન્ય રસાયણોને તે દૂર કરી શકે છે ?

જાણો >>>>
https://whatsapp.com/channel/0029VaFQOZC2UPBPX8OGj91K/383

Address

Poojan Hospital, 63 C Vijaynagar , Behind KVO , Hospital Road
Bhuj
370001

Telephone

02832229797

Website

Alerts

Be the first to know and let us send you an email when Poojan Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category