12/03/2026
🙏 જનસેવા એ જ પ્રભુ સેવા 🙏
આ વિડિયોમાં આપણી સાથે ધંધુકાના રહીશ અને આદરણીય સજ્જન વ્યક્તિ શ્રી વારીશ હુસેન સૈયદ સાહેબ જોડાયા છે. તેઓ PMB દવાખાના દ્વારા કરવામાં આવતી નિઃસ્વાર્થ સેવાકીય કામગીરી વિશે વિગતવાર માહિતી આપી રહ્યા છે.
🌙 ઝકાત અને સવાબે -એ-જારિયાની નમ્ર અપીલ 🌙
"જે લોકો અલ્લાહના માર્ગમાં પોતાનું ધન ખર્ચ કરે છે, તેમનું ઉદાહરણ એવા દાણા જેવું છે જેમાંથી સાત કણસલા ઉગે અને દરેક કણસલામાં સો દાણા હોય."
માનનીય ખેરખાહ મિત્રો,
પી.એમ.બી. ટ્રસ્ટ (ધંધુકા) દ્વારા સંચાલિત પી.એમ.બી. દવાખાનું વર્ષના ૩૬૫ દિવસ ગરીબ, મિસ્કીન અને ઝકાતના હકદાર દર્દીઓની સેવામાં કાર્યરત છે. આપની ઝકાત અને લિલ્લાહની રકમનો ઉપયોગ નીચે મુજબના સેવાકીય કાર્યોમાં કરવામાં આવે છે:
🏥 સ્વાસ્થ્ય સેવાઓ:
• મફત સારવાર: ઝકાતના હકદાર દર્દીઓને દવાઓ, લેબોરેટરી તપાસ અને ઓપરેશનમાં સહાય.
• મફત સારવાર: લીલ્લાહ રકમ માંથી દર્દીઓને દવાઓ, લેબોરેટરી તપાસ અને ઓપરેશનમાં સહાય.
• અદ્યતન તપાસ: સીટી સ્કેન (CT Scan), એમ.આર.આઈ જેવી મોંઘી તપાસમાં આર્થિક મદદ.
• એમ્બ્યુલન્સ સેવા: જરૂરિયાતમંદો માટે એમ્બ્યુલન્સ સેવામાં ૧૦૦% સુધીની રાહત.
💪 સામાજિક સ્વાવલંબન (રોજગારી):
માત્ર સારવાર જ નહીં, પણ ગરીબ પરિવારો પોતાના પગ પર ઉભા રહે તે માટે ટ્રસ્ટ મક્કમ છે:
• રોજી-રોટી: ગુજરાતના અન્ય ટ્રસ્ટો સાથે મળીને ૨૫૦ જેટલી ફળ-શાકભાજીની લારીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
• મહિલા સશક્તિકરણ: બહેનોને સ્વાવલંબી બનાવવા સીલાઈ અને મહેંદી ક્લાસ ચલાવવામાં આવે છે, જેમાં ૧૪ જેટલા સીલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે.
• બહેનો માટે ફ્રી કોમ્પ્યુટર ક્લાસની સુવિધા.
ઉચ્ચ અભ્યાસ: જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પોતાનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે સ્કોલરશિપ આપતી અન્ય નામી સંસ્થાઓ સાથે સંકલન સાધીને વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અપાવવામાં ટ્રસ્ટ મદદરૂપ થાય છે.
________________________________________
અમે ટ્રસ્ટ તરફથી એવી કોશિશ કરીએ છીએ કે તમારી ઝકાતનો એક-એક રૂપિયો સાચી અને યોગ્ય જગ્યાએ વપરાય અને જરૂરિયાતમંદ હકદાર સુધી પહોંચે.
આપ આપની ઝકાતલિલ્લાહ તેમજ આપના મરહુમોના ઈસાલે સવાબ માટે આ સંસ્થાને મજબૂત બનાવવા ઉદાર હાથે દાન આપો.
📍 સંપર્ક: પી.એમ.બી. હેલ્થ સેન્ટર (P.M.B. Trust) ધંધુકા, ગુજરાત.
9824581168