Ayurvedic Tips

Ayurvedic Tips Aayurvedic Sutras based on Rishi VAGBHATT.

10/01/2019

Don’t Gamble!

“Take risky Action in the hope of a desired result.”

Google ઉપર જુગારની વ્યાખ્યા શોધી તો મને ઉપરની વ્યાખ્યા મળી,જે કદાચ શેરબજારનાં સટ્ટોડિયાઓ માટે અક્ષરશ: સાચી છે.

હું નિ:શંકપણે કહું છું કે શરૂઆતથી જ આપણે શેરબજારમાં આપણે “Desired Profit” મેળવી લેવા માટે ગમે તેટલા “Risky actions” લઈએ છીએ,ખોટા પડીએ છીએ અને દુ:ખી થઈએ છીએ.

સાહસ કરવું એ ખોટું નથી...લીધેલા નિર્ણયમાં ખોટા પડવું પણ માન્ય છે,ઊલટાનું તેનાથી તો આપણને શાણપણ આવે છે અને ભૂતકાળની એની એ જ ભૂલ બીજી વાર કરતાં આપણે બચી શકીએ છીએ.

વોરૅન બફેટ પોતે કહે છે કે,હંમેશા Risk લો પરંતુ ગણતરીપૂર્વકનું.

પણ દુર્ભાગ્ય એ છે કે મોટા ભાગનાં રોકાણકારો પોતાની ભૂલથી કાંઈક શીખવાની જગ્યાએ...વાંચન અને માહિતીનો સંગ્રહ કરી પોતાના જ્ઞાનને વધુ વિકસાવીને નવેસરથી સાવચેતી પૂર્વક રોકાણ કરવાની જગ્યાએ પોતાની ધારણાઓનાં આધારે જ કમાઈ લેવાની એક નિરર્થક આશા લઈને બેસી જાય છે અને પોતાના તુક્કાઓને પોતાની આંતરસૂઝમાં ખપાવે રાખે છે.

સારા દિવસોની આશામાં કેટ-કેટલાય દિવસો નકામા દુ:ખમાં,નુક્સાનીમાં વિતાવે છે...અને મજા પાછી એ છે કે તેમના કહેવાતા સારા દિવસો ક્યારેય આવતા પણ નથી!

જેવી રીતે દારુ પીનાર કે સિગારેટ પીનારને પોતાને ખબર પણ નથી પડતી કે તે ક્યારે જે-તે વસ્તુઓનો વ્યસની બની ગયો છે તેવી જ રીતે તુક્કા લડાવીને શેરબજારમાં રોકાણ કરનારાઓને પણ ક્યારેય ખબર નથી પડતી કે ક્યારે તેઓ રોકાણ કરતાં કરતાં જુગાર તરફ પ્રયાણ કરી ગયા...

જ્યારે વર્ષનાં અંતે તેમનો એકાઉન્ટન્ટ તેમનો profit/loss report માંગે છે ત્યારે જ તેમની નિંદ્રાધીન આંખો ખૂલે છે!

એટલે જ યાદ રાખો...

Invest,Don’t Gamble!

🙂

06/03/2018

*ઉનાળામાં સ્વાસ્થ્યની રક્ષા માટે કુદરતી ગરમ પદાર્થોનો નિષેધ કરવો અને કુદરતી ઠંડા પદાર્થોનું સેવન કરવું*
તો ઓળખી લો:-
કલિંગર - ઠંડું
સફરજન - ઠંડું
ચીકુ - ઠંડું
લિંબુ - ઠંડું
કાંદા - ઠંડા
કાકડી - ઠંડી
પાલક - ઠંડી
કાચા ટમેટાં - ઠંડા
ગાજર - ઠંડા
મૂળા -ઠંડા
કોબીજ - ઠંડી
કોથમીર - ઠંડી
ફુદીનો - ઠંડો
ભીંડો - ઠંડો
સરગવો બાફેલો - ઠંડો
બીટ - ઠંડુ
એલચી - ઠંડી
વરિયાળી - ઠંડી
આદુ - ઠંડું
દાડમ - ઠંડું
શેરડી રસ - ઠંડો(વિના બરફ)
સંતરા - ગરમ
કેરી ખાકટી - ગરમ
બટાકા - ગરમ
કારેલા - ગરમ
મરચું - ગરમ
મકાઈ - ગરમ
મેથી - ગરમ
રિંગણા - ગરમ
ગુવાર - ગરમ
પપૈયુ - ગરમ
અનાનસ - ગરમ
મધ - ગરમ
લીલું નારિયેળ - ઠંડું
પાકી કેરી (દુધ સાથે) - ઠંડી
પંચામૃત - ઠંડું
મીઠું - ઠંડું
મગનીદાળ - ઠંડી
તુવેરદાળ - ગરમ
ચણાદાળ - ગરમ
ગોળ - ગરમ
તલ - ગરમ
બાજરી - ગરમ
નાચણી - ગરમ
હળદર - ગરમ
ચહા - ગરમ
કૉફી - ઠંડી
જુવાર - ઠંડી
પનીર - ગરમ
માંસ મટન મુર્ઘી - ગરમ
સૉફ્ટડ્રીંક - ગરમ
કાજુ બદામ - ગરમ
અખરોટ ખજૂર - ગરમ
શીંગદાણા - ગરમ
આઇસક્રીમ - ગરમ
શિખંડ - ગરમ
ફ્રીજનું પાણી - ગરમ
માટલાનું પાણી - ઠંડું
ભાંગ - ઠંડી
તુલસી - ઠંડી
નીરો - ઠંડો (ઊત્તમ)
તુલસીનાં બીજ - ઠંડા (ઊત્તમ)
તકમરિયા - ઠંડા (ઊત્તમ)
એરંડા તેલ - અતિ ઠંડું
દહીંછાશ - ઠંડા(વિના બરફ)
ઘી દુધ - ઠંડા(વિના બરફ)
પાઉં બિસ્કિટ - ગરમ
બાફેલા ઈંડા (સફેદી) - ઠંડા

*નૈસર્ગિક રીતે ઠંડા પદાર્થ ઉનાળામાં આરોગવાથી ગરમીથી થનાર ત્રાસથી શરીરનો બચાવ થાય છે*
🙏🏻🙏🏻

19/02/2018
03/02/2018
03/02/2018
02/02/2018

*નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે.*

એક ૬૨ વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવા નુ સરુ થયુ ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી તપાસ કરતા એવુ નિસ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખ ની રક્તવાહિની સુકાતી હોઈ તેવા રીપૉટ આવિયા હવે તેવો તે આખ થી જીવનભર જોઈ નહિ શકે. આવુ કહે મા આવિયુ....મિત્રો એવૂ સક્ય નથી..

તો મિત્રો આપણુ શરીર એ પરમાત્મા ની એક અદભુત દેન છે...ગર્ભની ઉત્પત્તિ નાભિના પાછળ થાયે છે અને એને માતાની સાથે જોડેલ નાડ થી પોષણ મળે છે અને એટલેજ મૃત્યુ પછી ૩ કલાક સુધી નાભિ ગરમ હોય છે.

ગર્ભના નિર્માણ પછી ૨૭૦ દિવસ એટલે કે નવ મહિના પછી એક સંપૂર્ણ બાળ સ્વરૂપ થાય છે. ગર્ભ સાથે સર્વે નસો નું જોડાણ નાભિ દ્વારા હોવાથી નાભિ એ અદભુત ભાગ છે...

નાભિ ની પાછળ ના ભાગ માં "પેચોટી" હોય છે જેમાં ૭૨૦૦૦ થી વધુ રક્તવાહિની આવેલી હોય છે.આપણા શરીરની કૂલ રક્તવાહિની ની લંબાઈ એટલે પૃથ્વી ના વર્તુળ બે વખત થાય એટલી લંબાઇ હોય છે.

નાભિ મા સુધ ગાય નુ ઘી અને તેલ લગાવા થી ઘણાબધા શારીરિક દુર્બલતા ના ઉપાય થાય છે.

*આંખોનો સુકાવુ , નજર કમજોર થવી , ચમકદાર ત્વચા અને વાળ માટે ના ઉપાયો ...*

સુતા પહેલા ત્રણ થી સાત ટીપા શુદ્ધ ઘી અને ખોપરેલ તેલ નાભિમા નાખવુ અને નાભિની આજુબાજુ દોઢ ઇંચ ના વર્તુળ મા પસરાવી નાખવુ .

*ઘૂંટણના દર્દમાં*

સુતા પહેલા ત્રણ થી સાત ટીપા એરંડિયા નું તેલ નાભિમા નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચમાં પસરાવી નાખવુ

*સરીર મા ધ્રુજારી તથા સાંધા નું દુખવુ તથા સુકી ત્વચા ના ઉપાય માટે*

રાત્રે સુતા પહેલા ત્રણ થી સાત ટીપા રાઈનું તેલ નાભિમાં નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચના વર્તુળમાં પસરાવી નાખવુ
*મોઢા ઉપર તથા વાસા મા થતા ખીલ માટે* લીંબડા નુ તેલ ત્રણ થી સાત ટીપા..
*નાભિમા તેલ નાખવાનુ કારણ*

નાભિને ખબર હોય છે કે કઈ રક્તવાહિ ની સુકાઈ રહી છે, એટલે એમા એ તેલ ને પસાર કરીને નાખે છે.

જયારે બાળક નાનું હોય છે અને એના પેટ માં દુખતું હોય ત્યારે આપણે હિંગ તથા પાણી અથવા તેલ નું મિશ્રણ એના પેટ અને નાભિ ની આજુબાજુ લગાવતા. અને તરતજ બાળકનું પેટ દુ:ખવુ મટી જતુ , બસ તેલનું પણ એવુજ કામ છે.

*ઘી અને તેલ ને નાભી માં નાખવા માટે ડ્રોપર નો ઉપયોગ કરુવો જેથી ઘી અને તેલ નાખવુ સરળ રહે .*

*આપણા સ્નેહીજન , મિત્રો , પરિજનો , તથા સર્વ પરિચિતો સાથે નાભિ મા ઘી, તેલ ના ઉપયોગ અને એના ફાયદા શેયર કરો..*

“નીરોગી રહેવા માટે દાતણ કેમ કરવું?”     સામાન્ય રીતે આપણો સમાજ દાતણ તરીકે મોટા ભાગે બાવળનો ઉપયોગ કરે છે.જ્યારે કેટલાક લો...
09/11/2017

“નીરોગી રહેવા માટે દાતણ કેમ કરવું?”

સામાન્ય રીતે આપણો સમાજ દાતણ તરીકે મોટા ભાગે બાવળનો ઉપયોગ કરે છે.જ્યારે કેટલાક લોકો લીંબડાનું દાતણ પણ અવારનવાર વાપરે છે.ભારતીય આયુર્વેદમાં દંતધાવનની ક્રિયા માટે બીજી અનેક વનસ્પતિઓનો ઉપયોગ સૂચવાયો છે અને એમાંય ચોક્કસ પ્રકારનાં રોગોમાં ચોક્કસ પ્રકારની વનસ્પતિનું દાતણ કરવું જોઈએ તેવું આપણા પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે.

રોગને નજર સામે રાખીને જે જે વનસ્પતિઓનો ઉપયોગ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે:

આવતા તાવમાં દાતણ કરવાની મનાઈ છે,આથી તાવ ઉતરી ગયા પછી અને દોષો પરિપક્વ થઈ ગયા પછી દોષોનું પાચન-શોધન કરવા માટે આયુર્વેદશાસ્ત્રમાં કડવા અને તીખા રસ-સ્વાદવાળી વનસ્પતિઓનાં દાતણ કરવાની ભલામણ કરવામાં આવી છે અને એ દ્રષ્ટિએ લીંમડો,કણઝી,ઈંન્દ્રજવ,અધેડો વગેરેનો ઉપયોગ થઈ શકે છે.

ઝાડા,મરડો,સંગ્રહણી જેવાં દરદોમાં સંગ્રાહી તાકાત પેદા કરે તેવાં તૂરા રસવાળાં ગ્રાહી દ્રવ્યો વાપરવાનાં હોય છે અને એ દ્રષ્ટિએ બીલી,ઉંબરો,બાવળ,ખેર,બહેડાં,દાડમડી,ધોળાં ફૂલનો ચિત્રક વગેરે લેવાની ભલામણ કરવામાં આવી છે.

રક્તપિત્ત જેવા કોઈને કોઈ જગ્યાએથી લોહી પડતું હોય તેવા દરદમાં પણ આંબળાં,આંબો,ખેર,આવળ-બાવળ તથા ઉંબરાનું દાતણ કરી શકાય છે.

વારંવાર મોઢું આવી જતું હોય તેવા મુખપાકના વ્યાધિમાં પણ દાતણ મહત્ત્વનો ભાગ ભજવે છે અને એમાં ખેર,ઉંબરો,વડ અને આવળનું દાતણ હિતકર મનાય છે.

શરીરમાં લોહી ઓછું હોય એવા પાંડુરોગમાં ચિત્રક,વડ,બાવળ અને ખેરનું દાતણ ઉપયોગી બને છે.
આંતરડાની પાચનશક્તિ મંદ પડી હોય,ખોરાક ન પચે ત્યારે ગેસ થતો હોય એવા મંદાગ્નિ અને વાતજન્ય વ્યાધિમાં લીંબડો,સરસડો,ચંપક,ઈંદ્રજવ,ચિત્રક અને જૂઈનું દાતણ હિતકર બનશે.

આંતરડામાં કૃમિ પેદા થતાં હોય એવા લોકો માટે લીંબડો,દાડમ,ખાખરો વગેરેનાં દાતણ કરવાથી કૃમિજન્ય દોષો દૂર થાય છે અને આંતરડામાં કૃમિ પેદા થતાં અટકે છે.

હરસ જેવા દરદમાં બોરડી,ઈંદ્રજવ,ચિત્રકનું દાતણ કરવાથી સારો ફાયદો થાય છે.
ક્ષયજન્ય રોગોમાં કે ધાતુક્ષયને કારણે આવેલી નબળાઈમાં વડની વડવાઈ કે પીપળાની વડવાઈનું દાતણ કરવાથી બળ,બુદ્ધી અને મેઘા વધે છે.
હ્રદયરોગમાં અર્જુન સાજડથી હ્રદયની વિષમ ગતિ,તીવ્ર-ઝડપી ધબકારા અને ગભરામણ દૂર થાય છે એવો નિર્દેશ છે.

કોઈ એમ કહેશે કે માત્ર દાતણ દાંતે ઘસીને દંતધાવનની ક્રિયા પતાવી લેવાથી શું જે ફલશ્રુતિનો નિર્દેશ કરવામાં આવ્યો છે એ મળે ખરી?આ પ્રશ્ન ખૂબ જ આવશ્યક અને મહત્ત્વનો પણ છે.આજે જે રીતે આપણો સમાજ દાતણ કરે છે,એ કેવળ મુખશુદ્ધિ માટે જ કરે છે,રોગશુદ્ધિ માટે નથી કરતો.રોગશુદ્ધિ માટે આજે જે રીતે દાતણ કરવામાં આવે છે એથી ફાયદો થવાનો સંભવ નથી.
સાચી રીતે આ દંતધાવનની ક્રિયાના બે ભાગ પાડવા જોઈએ:એક મુખશુદ્ધિ અને બીજી રોગશુદ્ધિ.પ્રથમ ભાગમાં આજે જે રીતે દાતણ કરવાની પ્રથા છે એ કરી લીધા પછી બીજા ભાગમાં દાતણને ખૂબ ચાવીને એમાંથી જે રસ છૂટે એ રસ ગળે ઉતારતાં જવો જોઈએ અને કૂચો ફેંકતા જવો જોઈએ.જે વનસ્પતિનું દાતણ કરવાનું હોય એ વનસ્પતિને આ રીતે ખૂબ જ ચાવીને એનો રસ ઉતારવાથી એની ગુણશક્તિ સીધેસીધી લોહી પર અસર કરે છે;કારણ કે ચાવવાની ક્રિયાથી મોઢાનાં પાચક રસો પુષ્કળ પ્રમાણમાં છૂટે છે અને સાથે જ વનસ્પતિની ગુણશક્તિને વધારે બળવત્તર બનાવે છે.

આપણો સમાજ જો કેવળ દાતણની આ બે પ્રકારની ક્રિયા જ ચીવટ,ધીરજ અને સમજણપૂર્વક કરશે તોય દવા વિના નીરોગી રહેવાનું બળ મેળવશે.

આપણી દીનચર્યાનું પહેલું કાર્ય:દંતધાવન      દાતણ-દંતધાવન એ દીનચર્યાનું પ્રથમ કાર્ય છે.માનવજીવનમાં એની એકેએક ક્રિયાની પાછળ...
08/11/2017

આપણી દીનચર્યાનું પહેલું કાર્ય:દંતધાવન

દાતણ-દંતધાવન એ દીનચર્યાનું પ્રથમ કાર્ય છે.માનવજીવનમાં એની એકેએક ક્રિયાની પાછળ શુદ્ધ અને ઉદ્દાત આરોગ્યપ્રાપ્તિની ભાવના રહી છે અને આ આરોગ્યની દ્રષ્ટિને નજર સામે રાખીને જ દીનચર્યાની દરેક પ્રવૃત્તિની રચના કરવામાં આવી છે.

દંતધાવનથી દાંત,જીભ અને મોઢાની આંતરિક કફજ કળાઓ ઉપર જે વિજાતીય દ્રવ્યો રાત દરમિયાન ભેગા થયાં હોય તે દૂર કરવામાં આવે છે અને એ માટે આમશોધક અને પાચક,રસોત્પાદક ગુણધર્મવાળી વનસ્પતિઓ અને દ્રવ્યોનો ઉપયોગ સ્વીકારાયો છે.

રોજિંદા જીવનમાં દાતણ કરવું જ જોઈએ એવો આગ્રહ રાખતું આયુર્વેદ કેટલીક સ્થિતિમાં દાતણ ન જ કરવું જોઈએ એવી પણ ભલામણ કરે છે.પ્રાચીન આચાર્યો કહે છે કે ગળાનાં,તાળવાનાં,હોઠનાં,જીભનાં અને મોં આવ્યું હોય તેવા દરદમાં દાતણ ન કરવું જોઈએ.દમ ઉપડ્યો હોય ત્યારે,તેમજ ખાંસી,હેડકી અને ઊલટીનાં દરદમાં પણ દાતણ ન કરવું જોઈએ.અજીર્ણ થયું હોય છતાંય જેણે ખાધું હોય,મૂર્છાથી પીડાયેલા હોય એવા મંદપીડિત મનુષ્યોએ દાતણ ન કરવું જોઈએ.માથાની વેદના હોય,ખૂબ જ તરસ લાગી હોય,ખૂબ જ થાકી ગયા હોય તેમજ અડદીયો વા(મોઢાનો પક્ષઘાત-લકવો) થયો હોય તેમજ તાવ આવ્યો હોય તેવા રોગી માટે પણ દાતણ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

દાતણ એ એક એવી ક્રિયા છે કે જેમાં દાતણનો તૂરો,કડવો અને રસ આમનું શોધન,દીપન અને પાચન કરે છે.પરંતુ આ દીપન અને પાચનની ક્રિયા-રોગાવસ્થામાં જ્યારે આમ વિકૃત સ્વરૂપમાં હોય ત્યારે જ્યાં સુધી પરિવક્વ થઈને સહેલાઈથી શરીરમાંથી છૂટો પડે નહિં ત્યાં સુધી થઈ શકે નહિં.જો એને બળવૂર્વક દૂર કરવામાં આવે તો આમની સાથે જીભ કે મોઢાની આંતરત્વચાને પણ ઘસારો લાગે છે અને પરિણામે રોગજન્ય સ્થિતિ પ્રગટે છે.આથી તાવ જેવા દરદમાં કે જેમાં આમજ દોષ રહ્યો હોય છે તેમાં પણ આ આમને દૂર કરવા માટે કોઈપણ ઔષધિય માર્ગનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.આવતા તાવમાં ત્રણથી ચાર દિવસ સુધી દવા જ ન આપવાનો અને ઉપવાસ દ્વારા જ એની સારવાર કરવામાં આવે એવો જે આગ્રહ રાખવામાં આવે છે તેની પાછળ આ દ્રષ્ટિ પડી છે.

07/11/2017

“મુખશુદ્ધિ અને ટૂથપેસ્ટ”

જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થતો જાય છે તેમ તેમ માણસ વધારે ને વધારે અસહાય,અજ્ઞાની અને ભ્રમિત બનતો જાય છે અને કેટલીક વખત તો સાદી એવી સમજણ તરફ પણ એ ઉપેક્ષા કરે છે.

દાખલા તરીકે જ્યારથી આપણે ત્યાં પરદેશી સંસ્કૃતિનું આગમન થયું છે ત્યારથી આપણા સમાજમાં લીલાં,તાજા દાતણ કરવાને બદલે સવારના પેસ્ટ અને બ્રશ તરફનું વલણ વધી રહ્યું છે.વિજ્ઞાને એમ સમજાવ્યું છે કે એથી દાંત સાફ થાય છે,જંતુઓ નાશ પામે છે અને દાંતની શક્તિ વધે છે.પરંતુ આ વાત સાચી છે કે ખોટી તેનો આપણે વિચાર કરતાં નથી.

મુખશુદ્ધિ એ રોગમુક્ત રહેવાનો માર્ગ છે.અને તેથી જ દિનચર્યાનાં પ્રથમ કાર્ય તરીકે તેનું મહત્ત્વ સ્વીકારાયું છે.આ મુખશુદ્દધિ માટે આટલી સમજણ મહત્ત્વની બને છે.

રાત્રિ દરમ્યાન મોઢામાં અને જીભ ઉપર જામેલી આમજન્ય ચીકાશના લેપનને દૂર કરવા માટે જ આપણા પ્રાચીન આચાર્યોએ તૂરા,કડવા,તીખા રસપ્રધાન દાતણનો નિર્દેશ કર્યો છે,કારણ કે તૂરો રસ-આમનુ શોષણ કરે છે,પેઢાનું સંકોચન કરે છે અને સાથે જ રોગોત્પાદક જંતુઓનું મારણ કરે છે.આમ છતાંય દાંતણનાં મમધ્યવર્તી વિચારમાં મોઢાની ચીકાશ દૂર કરવી એ જ એનો અંતિમ હેતુ છે.

આ દંતધાવનની ક્રિયા સાથે એક બીજી વિગત પણ વિચારવાની રહે છે.મોઢું એક એવું અવયવ છે કે જેમાં રસોત્પાદક ગ્રંથિઓ આવી છે.સેલાઈવા નામના રસો છોડનારી આ ગ્રંથિઓ જો કામ કરતી અટકી જાય તો અપચન,અજીર્ણ વધે અને આથી જ એને શુદ્ધ-સાફ રાખવાની રહે છે.

કોઈ પણ સમજુ માણસ જરા સ્થિરચિત્તે વિચારશે તો એને લાગશે કે કોઈ પણ ગ્રંથિને સાફ કરવા માટે એની ઉપર જામેલી ચીકાશ દૂર કરવી જોઈએ.આવી સ્પષ્ટ સ્થિતિમાં આપણાં ટૂથ-પેસ્ટો પોતે જ ચીકણાં હોવાથી આ ચીકાશ દૂર કરી શક્શે ખરાં?

આરોગ્યશાસ્ત્રના પંડિતો તો કહે છે કે આ ગ્રંથિઓને કાર્યરત રાખવા માટે એક તો એના ઉપરની ચીકાશ દૂર થાય અને બીજું આ અવયવો ઉત્તેજિત બની એમાંથી પાચક રસો છૂટે તેવાં સ્ત્રાવવર્ધક દ્રવ્યોનો ઉપયોગ કરવો જોઈએ.
આજે જે હજારો ચીકાશદાર પેસ્ટો જોવા મળે છે તેમાં આ શક્તિ દેખાય છે?એમાંના થોડાં સુગંધી દ્રવ્યોથી પ્રસન્નતા જરુર આવે છે,પણ આરોગ્યની દ્રષ્ટિએ હેતુ સરતો હોય એવું દેખાતું નથી.

મારા આ વિચારને દંતરોગનાં પ્રથમ કોટિનાં નિષ્ણાત ડૉ. જે.જે.મોદી કે જેઓ મુંબઈની ગ્રાંટ મેડિકલ કોલેજના દંતવિદ્યા વિભાગના આચાર્યપદે છે,એમનું સમર્થન મળે છે.

તેઓ કહે છે કે 'મારા મત પ્રમાણે તો ટૂથ-પેસ્ટો તદ્દન નકામા છે.ટૂથ-પેસ્ટોમાં મોટે ભાગે લેનોલીન તેલ,ગ્લિસરીન અને સાબુ આટલી ચીજો મુખ્ય હોય છે.એટલે,ખરી રીતે આ ટૂથ-પેસ્ટો દાંતને સ્નિગ્ધ(LUBRICANT) રાખે છે-દંતમંજનોની માફક દંતશુદ્ધિકર નથી.વળી આ ટૂથ-પેસ્ટોનાં દ્રવ્યો એવાં છે કે જેમાં સહેલાઈથી ઉત્સેચન ક્રિયા(FERMENTATION) થાય છે.અને આથી દાંતના સંસર્ગમાં તે કદી ન આવવાં જોઈએ.આ સ્નિગ્ધ દ્રવ્યો એવાં છે કે જેમાં સહેલાઈથી ઉત્સેચન ક્રિયા(FERMENTATION) થાય છે.અને આથી દાંતના સંસર્ગમાં તે કદી ન આવવાં જોઈએ.આ સ્નિગ્ધ દ્રવ્યો દાંત સાથે ચોંટી રહે છે અને પછી ત્યાં ઉભરાણની ક્રિયા ઉત્પન્ન થાય છે.લાંબા વખતનાં ઉપયોગથી દાંતનાં પેઢાં અને દાંત ઉપરનું પડ(ઈનેમલ) બંને નરમ પડે છે.દાંતનાં પેઢાં આખરે ફૂલે છે અને એમાંથી લોહી અને પરુ વહેવા માંડે છે.
આ નિર્ણય વધુ આકરો તો છે જ,પરંતુ અનેક અખતરાઓ અને નિરિક્ષણો પછી જ તે ઉચ્ચારેલો છે.જો આમ છે તો પછી મને કોઈ પૂછશે,"તો પછી લોકો ટૂથ-પેસ્ટ વાપરતાં કેમ થઈ ગયાં?"

હું કહું છું કે ભભકાભરી ભાષાઓમાં છપાતી મોહક જાહેરખબરોથી જ અંધશ્રદ્ધાળુ લોકો આજે ટૂથ-પેસ્ટો વાપરતા થઈ ગયા છે.ઈટાલીનાં વિશ્વવિખ્યાત દંતશાસ્ત્રી ડૉ. લારબો કહે છે કે "Tooth pastes are snare and a delusion"(ટૂથ-પેસ્ટો જાળ અને ભ્રમ છે.)

આ નિર્દેશન ખૂબ જ સ્પષ્ટ અને આપણી ભ્રમણાઓને દૂર કરનારું છે.આથી જ દંતરોગોમાં દંતમંજનને સ્થાન આપવામાં આવ્યું છે.આયુર્વેદના પંડિતો કહે છે કે મુખસ્ત્રાવ વધારનારાં દ્રવ્યોમાં સિંધવ,સૂંઠ,મરી,પીપર,લવિંગ,કપૂર,તેજબળ,અક્કલકરો વગેરે ગરમ સુગંધયુક્ત ઔષધો મેળવેલ મંજનનો ઉપયોગ કરવો અને મોઢાનાં ક્લેદ,ભીનાશ શોષી લેવા માટે ચોક,કોલસા,ફટકડી,માયાં,બદામનાં છોડાંની રાખ વગેરે વાપરવાં જોઈએ.

આપણો સમાજ આ સનાતન સત્યને સ્વીકારશે?

Address

Himala
383001

Telephone

9409074374

Website

Alerts

Be the first to know and let us send you an email when Ayurvedic Tips posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category