17/06/2023
પ્રેસ નોટ
ઝવેરી મંગળજી વમળશી ડિસ્પેન્સરી સંચાલિત પરીખ હોસ્પિટલ પાલનપુર ખાતે ફ્રી કેમ્પ યોજાયેલ
જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ ફ્રી સેવાનો લાભ મેળવ્યો.
-------------------------------------------------------------------------------------------------------------------------------------પાલનપુરમાં આવેલ મહાજન હોસ્પિટલના હુલામણા નામથી જાણીતી હોસ્પિટલ જે પાલનપુર અને આજુબાજુ ના ગરીબ દર્દીઓ માટે આર્શિવાદ રૂપ છે આ હોસ્પિટલમાં સમયાંતરે વિવિધ દાતાશ્રી ના સહયોગથી ફ્રી સારવાર કેમ્પ નું આયોજન થતું રહેતું હોય છે આવોજ કેમ્પ તાજેતરમાં “ પરીખ ફાઉન્ડેશન મુંબઈ” ના સહયોગ થી ગતરોજ યોજવા માં આવેલ આ કેમ્પ માં સર્જન, ફિજીશીયન,ડેન્ટલ,ઓર્થોપેડીક,ઈ.એન.ટી,સાયકયાટ્રિક,ન્યૂરોસર્જરી,મનો ચિકિત્સક જેવા વિવિધ વિભાગો માં મળીને ૯૦૬ ઉપરાંત દર્દી ને તપાસવા માં આવેલ જેમાંથી ૨૨૬ દર્દીઓ ને લેબોરેટરી ૩૨ દર્દીઓ ને કાર્ડિયોગ્રામ ૮૦ દર્દીઓ ને સોનોગ્રાફી અને ૩૦૫ દર્દીઓ ને બી એમ ડી ટેસ્ટ વિના મૂલ્યે કરી આપવા માં આવેલ આ કેમ્પ માં સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સત્યવતીબેન કોઠારી હાજર રહી જરૂરી માર્ગ દર્શન અને સૂચન આપેલ આ પ્રસંગે સીમાબેન શાહ પોપટભાઈ પંચાલ પ્રદીપભાઈ પટેલ ડી એ ઉકાવાળા [ ઓડિટર] વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી ને પ્રોત્સાહન પૂરું પાડેલ
સંસ્થા ના સુપ્રી શ્રી અમૃત ભાઈ એ જણાવેલ કે અમો આજુબાજુ ના તબીબ મિત્રો / કર્મચારીઓ સાથે સંકલન કરી ને આગામી દિવસો માં વધુ માં વધુ જરૂરિયાત મંદ વ્યકતીઓ સુધી લાભ પહોંચી એવું આયોજન કરવા માં આવનાર છે
આ સમગ્ર કેમ્પ નું સફળ સંચાલન કનૈયાલાલ રાવલ ના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલ
અંત માં હોસ્પિટલ ના એડમિનિસ્ટર ડૉ અનુરૂપસર સૌ નો આભાર વ્યકત કરેલ