Punarvasu Ayurvedam

Punarvasu Ayurvedam Ayurved Panchkarma Hospital for Infertility,Obecity,Thyroid,Ulcerative Colitis,Spinal Diseases.Panchakarma is the best ancient prime treatment of Ayurved

લીવર માં ફેટ વધે (ફેટી લીવર - fatty liver) તો ડાયાબિટીસ થાય .. કઈ રીતે સમજીએ .. 1) લીવરનું મુખ્ય કામલીવર દિવસ–રાત શરીરને...
21/11/2025

લીવર માં ફેટ વધે (ફેટી લીવર - fatty liver) તો ડાયાબિટીસ થાય .. કઈ રીતે સમજીએ ..

1) લીવરનું મુખ્ય કામ

લીવર દિવસ–રાત શરીરને શક્તિ (શુગર/ગ્લુકોઝ) પૂરું પાડવાનું કામ કરે છે.
ખાસ કરીને જ્યારે આપણે ભૂખ્યા હોઈએ, સૂઈએ, ઉપવાસ કરીએ— ત્યારે લીવર ગ્લુકોઝ બનાવીને શરીરને આપે છે.

⭐ હવે સમસ્યા ક્યાં બને છે?

2) લીવર માં ચરબી જમા થાય → “લીવર ઉંઘતું નથી”

જ્યારે લીવર માં બહુ ચરબી ભરાઈ જાય (Fatty Liver) ત્યારે લીવરનું સ્વભાવ બદલાઈ જાય.

→ એને લાગે છે કે શરીરને શુગરની જરૂર છે (પરંતુ હકીકતમાં જરૂર નથી.)

તો લીવર જોરજુલમથી ગ્લુકોઝ બનાવવાનું ચાલુ રાખે છે.

⭐ 3) ઈન્સ્યુલિનને સાંભળવાનું બંધ કરે છે

સામાન્ય રીતે ઈન્સ્યુલિન આ સમયે લીવરને કહે છે:

👉 “હવે ગ્લુકોઝ પૂરતું છે… બનાવવાનું બંધ કર!”

પણ ચરબી થી ભરાયેલા લીવર ઈન્સ્યુલિનની આ વાત સાંભળતું જ નથી.

➡ એટલે તેને “લિવર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ” કહેવાય છે.

⭐ 4) પરિણામે શું થાય?

લીવર કહે:

👉 “મારે તો શુગર બનાવવી જ છે…”

અને તે સતત ગ્લુકોઝ લોહીમાં છોડતું રહે છે,
ભલે દર્દી પેટ ભરેલું હોય, ભલે શુગર પહેલેથી 200–300 હોય.

⭐ 5) એટલા માટે Fatty Liver = શુગર વધારનાર મુખ્ય કારણ

લિવર માં ચરબી વધે → લિવર વધુ ગ્લુકોઝ બનાવે → ફાસ્ટિંગ તથા ડે ટાઇમ બન્ને શુગર વધે.

14/11/2025

આજે children's day છે ને. કેમ ઉજવાય એ બધું નથી જાણવું. પણ કઈ રીતે ઉજવાય એ ચોક્કસ શીખીશું..

Children’s Day એ માત્ર ઉજવણીનો દિવસ નથી—
એ બાળકના મન, ભાવનાઓ અને ભવિષ્યને સ્પર્શવાનો દિવસ છે.
આજે માતા–પિતાએ પોતાના બાળક માટે શું ખાસ કરવું જોઈએ તેની સરળ, હૃદયસ્પર્શી અને વ્યવહારિક સૂચિ નીચે આપી છે..

ચાલો જોઈએ.

🌸 Children’s Day એ માતા–પિતાએ બાળકો માટે વિશેષ શું કરવું જોઈએ?

⭐ 1) બાળક સાથે ગુણવત્તાનો સમય (Quality Time) આપો

આજે 30–60 મિનિટ ફક્ત બાળક માટે રાખો.ફોન, ટીવી, કામ—બધું એક તરફ.
બાળકને પૂછો:
“તને શું ગમે છે?”
“તું શું શીખવા માંગે છે?”
“તું ખુશ ક્યારે રહે છે?”
આ વાતચીત બાળકોના મનને અસાધારણ ખુશી આપે છે.

⭐ 2) નાનું પણ ખાસ ગિફ્ટ — મોંઘું હોવું જરૂરી નથી

બાળકોને મોંઘી વસ્તુઓ નહિ,પ્રેમભર્યું ધ્યાન વધુ ગમે છે.તમારે આપી શકાય તેવું કંઈક આપો..

નાની સ્ટોરીનું પુસ્તક
રંગો / સ્કેચ પેન
નાની નોટબુક
તેમની મનપસંદ ચોકલેટ (મર્યાદિત અને આજ માટે જ)
એક સુંદર સારા સંદેશાવાળી કાર્ડ

⭐ 3) આજે બાળકની એક ખાસ કુશળતા ઉજવો

દરેક બાળકમાં એક ખાસ કલા હોય છે:
– ગાવું
– ડ્રોઈંગ
– નૃત્ય
– ગણિત
– વાર્તા કહેવી
– કોઈ વસ્તુ બનાવવી

આજે તેની એક કુશળતા વખાણો.
“તું આમાં બહુ સરસ છે!”
આપના બાળકને એક વર્ષ સુધી પ્રેરણા આપે છે.

⭐ 4) એક ખાસ કુટુંબની activity કરો

સમય જ પરિવારને જોડે છે.
આજે કરી શકાય તેવી સરળ activity:

સાથે ભોજન બનાવવું or
સાથે બગીચામાં ફરવું or
સાથે રમવું (લુડો, કેરમ, બેડમિન્ટન) or
સાથે એક સ્ટોરી વાંચવી or
પરિવારની જૂની તસવીરો જોવા

⭐ 5) બાળકના સ્વપ્નોને સાંભળો

આજે બાળકોને પૂછો:
“તું મોટો થઈને શું બનવા માંગે છે?”
તેમનો જવાબ બદલાતો હોય તો પણ ચાલે કારણકે મહત્વનું એ છે તેમની વાત સાંભળવી. જે એને બહુ જ ગમશે.

⭐ 6) એક ‘પ્રેમની નોટ’ લખી આપો

નાનું સ્ટિકર નોટ પણ ચાલે:
“મને તારું સ્મિત ગમે છે.”
“તું હુંફાળું અને સારા દિલવાળું બાળક છે.”
“હું તારા પર ગર્વ અનુભવું છું.”

બાળકો વર્ષો સુધી આવી નોટ સાચવી રાખે છે.

⭐ 7) આજે બાળકને પસંદગી આપો

બાળકને પૂછો:
“આજે આપણે શું કરીએ?”
પાર્ક?
આઈસ્ક્રીમ?
કાર્ટૂન મૂવી?
રાંધણખાનું?
બોર્ડગેમ?

આ તેમને મહત્ત્વ મળ્યું એવી લાગણી આપે છે.

⭐ 8) માતાનો અને પિતાનો પ્રેમ બંને વ્યક્ત થવો જોઈએ

આજે આશીર્વાદનો સ્પર્શ આપો:
– માથા પર હાથ ફેરવવો (રોજ કરતા હોય તો પણ વિશેષ રીતે)
– ગળે મળવું
– "I love you" અથવા “મને તારી ઉપર ખૂબ ગર્વ છે” કહેવું

બાળકોને સુરક્ષાની અને ગૌરવ ની લાગણી મળે છે.

⭐ 9) બાળકને કંઈક નવું શીખવો

Children’s Day = Growth Day.
આજે બાળકોને શીખવો:

Sharing
Gratitude
Good touch–bad touch
Respect
Safety rules
Kindness

આવી નાની પણ ખૂબ મહત્વની શીખ જીવનમાં મોટી અસર કરે છે.

⭐ 10) આજે કોઈ ગુસ્સો નહીં – કોઈ જ શિક્ષણ નહીં

Children’s Day ખાલી પ્રેમનો દિવસ બનાવો.
કોઈ ટીકા નહીં, કોઈ તણાવ નહીં.
બાળકને જીવવા દો, હસવા દો, ઉજવવા દો.

આપને ગમ્યું હોય તો આપના પાર્ટનર ને share કરી આ દિવસ ને ખરેખર children's day બનાવો.
Share it.
Follow the channel.
But don't do copy cut paste.

લિ.
ડૉ.પિયુષ પ્રજાપતિ
9173557805
9909759365(હોસ્પિટલ)

પુનર્વસુ આયુર્વેદમ
બીજો માળ,ગંગા ગાયનેક હોસ્પિટલની ઉપર ,જામપુરા રોડ , જી. ડી. મોદી કોલેજ ની પાછળ ,પાલનપુર

07/11/2025

Superb..

06/11/2025

પ્રશ્ન - મારે પ્રેગ્નન્સી રાખવી છે. તો તેમાં શિરોધારા મદદ કરી શકે ? કઈ રીતે ?

જવાબ -
પ્રેગ્નન્સી માટે તૈયાર થવું (Conception phase) એ એક પવિત્ર અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને શિરોધારા એમાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે — જો યોગ્ય રીતે અને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવે તો.

ચાલો સમજીએ 👇

🌿 *શિરોધારા અને ગર્ભાધાન* (Pregnancy Planning)

શિરોધારા સીધું ગર્ભધારણ કરાવતું ઉપચાર નથી છતાં પણ ખૂબ જરૂરી ઉપચાર છે .. કારણકે એ ગર્ભાધાન માટેનું શારીરિક અને માનસિક વાતાવરણ (Physical + Mental condition) તૈયાર કરે છે.

💆‍♀️ 1. મન અને મગજને શાંત કરે
ગર્ભધારણ માટે મનનો સંતુલન ખૂબ જરૂરી છે.તણાવ, ચિંતા, ડર, અથવા નિરાશા ગર્ભાધાનમાં અડચણરૂપ બને છે.શિરોધારાથી મન શાંત, હોર્મોન્સ સંતુલિત, અને નિદ્રા નિયમિત થાય છે — જે સ્વાભાવિક રીતે હોર્મોનલ સિસ્ટમને સપોર્ટ કરે છે.

🌸 2. હોર્મોનલ બેલેન્સ સુધારે
શિરોધારા હાયપોથેલામસ–પિટ્યુટરી–ઓવેરીયન એક્સિસ (જે હોર્મોનલ સિસ્ટમનું કેન્દ્ર છે) પર કાર્ય કરે છે.એનાથી માસિક ચક્ર નિયમિત થાય છે. ઓવ્યુલેશન સુધરે અને ગર્ભાશયનું આરોગ્ય સુધરે છે.ગર્ભાશય નું બળ પણ પરોક્ષ રીતે વધે છે.

🩸 3. પિત્ત અને વાત શામક અસર
આજના સમયમાં બહુ સ્ત્રીઓમાં પિત્ત ( તેના લીધે તણાવ, ગરમી, ચિંતા થાય) અને વાત (તેના લીધે અશાંતિ, અનિદ્રા, સુકાપણું) વધે છે.
શિરોધારા એ બંનેને શાંત કરીને પ્રજનન તંત્રને શીતળતા અને સ્થિરતા આપે છે.

🌼 4. માનસિક સ્થિરતાની સાથે સાથે ભાવનાત્મક તૈયારીઓ માટે શિરોધારા અગત્ય ની છે.માતૃત્વ માટે અને શ્રેષ્ઠ ગર્ભ ધારણ અને નિર્માણ માટે મનનું સંતુલન અતિ મહત્વનું છે.
શિરોધારા દરમિયાન જે ઠંડુ તૈલ (જેમ કે બ્રહ્મી તૈલ, તિલતેલ, ક્ષીર ધારા) વપરાય છે, એથી મનમાં સ્નેહ, શાંતિ અને ભાવનાત્મક સ્પષ્ટતા આવે છે.

આમ સ્પષ્ટ થાય છે પ્રેગ્નન્સી એટલે કે ગર્ભ ધારણ માટે શિરોધારા એ સારવાર નો એક અભિન્ન ભાગ છે..
વધુ માહિતી માટે સંપર્ક કરી શકો.

ડૉ.પિયુષ પ્રજાપતિ
9173557805
9909759365(હોસ્પિટલ)

પુનર્વસુ આયુર્વેદમ
બીજો માળ,ગંગા ગાયનેક હોસ્પિટલની ઉપર ,જામપુરા રોડ , જી. ડી. મોદી કોલેજ ની પાછળ ,પાલનપુર

15/10/2025




दर्दी नारायण को वो मिला जो उन्हें चाहिए था।।हमें वो मिला जो हमें चाहिए था।।बस ऐसे ही दुआएं देते रहना। प्रभु, ऐसे ही साथ ...
04/10/2025

दर्दी नारायण को वो मिला जो उन्हें चाहिए था।।
हमें वो मिला जो हमें चाहिए था।।
बस ऐसे ही दुआएं देते रहना।
प्रभु, ऐसे ही साथ देना की और लोगों की मनोकामना पूर्ण करने का अवसर मिले।

Let's servicing our body..
05/08/2025

Let's servicing our body..

02/07/2025
13/06/2025

Jay dhanvantari..

11/06/2025

and

સ્નાયુ ની જકડન માં ક્વાથ થી સ્વેદન થેરાપી..

Address

Palanpur
385001

Telephone

+919173557805

Website

Alerts

Be the first to know and let us send you an email when Punarvasu Ayurvedam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Punarvasu Ayurvedam:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category