30/03/2026
“આ દુનિયામાં દરેક જીવને જીવવાનો અધિકાર છે.
માનવ તરીકે આપણું કર્તવ્ય છે કે આપણે નાનાં-મોટાં દરેક જીવ પ્રત્યે દયા અને કરુણા રાખીએ.
દરરોજ થોડીક દાણા અને પાણી મૂકવાથી, આપણે માત્ર પંખીઓનું પેટ નથી ભરતી,
પણ આપણા જીવનમાં પુણ્ય, શાંતિ અને સંતોષ પણ ભરીએ છીએ.
કીડયારૂ સેવા એ માત્ર સેવા નથી,
એ આપણું સંસ્કાર, આપણી માનવતા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ છે.
ચાલો, આજે થી જ નક્કી કરીએ –
દરરોજ થોડું કીડયારૂ કરી, જીવદયા નો સાચો માર્ગ અપનાવીએ.”
“પ્રકૃતિ આપણને બધું આપે છે,
તો આપણું પણ કર્તવ્ય બને છે કે
અમે જીવદયા દ્વારા તેને પાછું આપીએ.
કીડયારૂ એ પ્રકૃતિ પ્રત્યેનો આભાર છે.”