Samvedna Clinic, Savli

Samvedna Clinic, Savli Samvedna Clinic ran by Dr. Shikha Talati, First & only lady doctor who is doing General Practice in town of Savli

05/04/2022
09/12/2021

ઓમિક્રોન

આ વાઇરસ આલ્ફા, બીટા , ડેલ્ટા, ગામા વગેરે જાતના
કોરોના વાઇરસ નાં પ્રકારોનું મિશ્રણ છે

ઑમિકોન એ એક વેશપલટો કરીને આવેલો આશીર્વાદ રૂપ વાયરસ છે સામાન્ય શરદી , રારીરનો દુખાવો, માથાનો દુખાવો ,સ્નાયુનો દુખાવો જેવા સામાન્ય લક્ષણો ધરાવે છે. જેનો ફેલાવો ઝડપથી થાય છે પણ કદાચ આના પછી કોરોના અંતિમ ચરણમાં હશે એવું અનુમાન છે એક આવકાર્ય ફેરફાર જે ડેલ્ટા વાઇરસ નો અંત લાવશે.આ ફેરફાર વાઈરસની તીવ્રતા ઘટાડશે અને લોકોની immunity વધારશે.

ડૉ દેવસેના રાધાકૃષ્ણન
મદ્રાસ મેડિકલ કોલેજ.

સ્વસ્થ રહો , આશ્વસ્ત રહો , તંદુરસ્ત રહો, ખોટી અને મોંઘી દાટ સારવારથી બચો.

અમારી કોરોનાના બીજા wave વખતની ચોક્ક્સ અને પ્રમાણિક અને નિર્ભિક સારવારનો અનુભવ યાદ રાખશો.

Dr. Shikha Talati
Savli

20/06/2021

આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હસો કે "બારેય મેઘ ખાંગા થયા"

પણ કોઈને ખબર નથી "બાર મેઘ" શું છે.?

ગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે
૧. ફરફર
૨. છાંટા
૩. ફોરા
૪. કરા
૫. પછેડીવા
૬. નેવાધાર
૭. મોલ મેહ
૮. અનરાધાર
૯. મુશળધાર
૧૦. ઢેફાભાંગ
૧૧. પાણ મેહ
૧૨. હેલી

૧. ફરફર
જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ

૨. છાંટા
ફરફર થી થોડો વધારે વરસાદ

૩. ફોરા
છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ

૪. કરા
ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ

૫. પછેડીવા
પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ

૬. નેવાધાર
છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ

૭. મોલમેહ
મોલ - પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ

૮. અનરાધાર
એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ

૯. મુશળધાર
અનરાધાર થી વધુ હોય એવો વરસાદ
મુશળ - સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે

૧૦. ઢેફાં
વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ

૧૧. પાણ મેહ
ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ

૧૨. હેલી
અગિયાર પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે.

20/05/2021

બાળકોમાં કોરોના નાં લક્ષણો
૧.શરદી ખાંસી
૨. ગંધ જવી
૩.ભૂખ ઓછી લાગવી.
૪.અશક્તિ
૫.ઝાડા ઉલટી
બાળકોને કેવી રીતે બચાવવા?
ફળફળાદી અને લીલી શાકભાજી ખવડાવવા.
તડકામાં બેસાડો.
મલ્ટી વિટામિન આપો.
સંપૂર્ણ આરામ કરવો

12/05/2021

ધ્યાન રાખજો ફરી એ જ ખેલ થવાની તૈયારીમાં છે, થોડાક કેસ ઘટ્યા નથી કે 'કોરોનાના વળતા પાણી' 'કોરોના હાર્યો' 'હોસ્પિટલોમાં બેડ ખાલી પડ્યા' વગેરે હેડલાઈન્સ ચાલુ થઇ ગઈ!!

આપણી એક તકલીફ છે, આપણે કોરોનાથી નથી ડરતા, એના આંકડાઓથી ડરીએ છીએ! કેસ વધે એટલે બીવાનું અને ઘટે એટલે રાજા!

આમાં મરો બિચારા સિન્સિયર-નિષ્ઠાવાન લોકોનો છે. બધું જ વ્યવસ્થિત પાળે છે, ધ્યાન રાખે છે અને જયારે બધું નોર્મલ થશે ત્યારે આમાંથી છુટાશે એવી આશામાં જીવે છે. થોડી આશા બંધાય છે ત્યાં બેજવાબદાર લોકોની બેદરકારી બધા ઉપર પાણી ફેરવી દે છે.

આ ખેલ ત્યાં સુધી ચાલતો રહેશે જ્યાં સુધી લોકો એ સમજવામાં નિષ્ફળ જશે કે દરેકે પોતે જ જાગ્રત થવાનું છે, પોતે જ સંયમથી વર્તવાનું છે. સરકાર સારવાર મફત કરશે પરંતુ કોવીડ મટ્યા પછી નુકસાન પામેલા ફેફસાનું ઓક્સિજન નહીં વધારી આપે.

યાદ રાખજો બજારમાં નવા ફેફસા મળતા નથી એટલે પૈસા ખિસ્સામાં રહી જશે અને તમે હાંફતા રહી જશો!!

03/05/2021



Covid 19  .Shikha
25/04/2021

Covid 19

.Shikha

23/04/2021

આજની તારીખમાં અન્યથા સાબિત ન થાય ત્યાં સુધી
દરેક તાવ કોરોના છે ભલે આપનો રેપિડ ટેસ્ટ અથવા RTPCR પોઝિટિવ ન હોય
ઘરના દશ સભ્યોમાં ૩-૪ જણ પોઝિટિવ હોય અને બીજા નેગેટિવ હોય તો પણ
બધાને કોરોના ગણવા, નેગેટિવ ટેસ્ટથી ખુશ
થવાની જરૂર નથી
દવા ચાલુ કરી દો અને સ્વબચાવ કરો 🙏

22/10/2020

આ શેર કરવાનું મન થયું. લોકડાઉનના સમયગાળા દરમિયાન ભાવનગરની બજરંગદાસ બાપા હોસ્પિટલમાં એક વૃદ્ધ મહિલા તેમના પતિની સારવાર માટે આવ્યા. ગંભીર રીતે બીમાર થયેલા તેમના પતિને દાખલ કરવામાં આવ્યા. લોકડાઉનને કારણે તેમના સંતાનો અમદાવાદથી ભાવનગર આવી શકે તેમ નહોતા.

ક્રિટીકલ કેર સ્પેશીયલીસ્ટ ડૉ. દર્શન શુક્લા અને ડૉ. વિપુલ પારેખે પૂરા ખંત અને નિષ્ઠાથી દર્દીની સારવાર કરી પરંતુ તેમને ન બચાવી શકાયા. દર્દીના મૃત્યુ પછી જ્યારે વૃદ્ધ મહિલા હોસ્પિટલનું બીલ ચુકવવા માટે ગયા, ત્યાં બિલીંગ સેક્શનમાંથી કોઈએ તેમને કહ્યું કે તેમનું સમગ્ર બીલ માફ કરવામાં આવ્યું છે અને તેમણે કશું જ ચુકવવાનું રહેતું નથી.

આ બંને ડૉક્ટર મિત્રોને હું પર્સનલી ઓળખું છું અને પોતાની હોસ્પિટલમાં તેઓ અવારનવાર જરૂરીયાતમંદ દર્દીઓને સાઈઝેબલ ડિસ્કાઉન્ટ આપતા હોય છે. પણ આ રીતે કોઈનું આખું બીલ માફ કરી દેવું, એ યુનિક ઘટના હતી.
‘બીલ શું કામ માફ કરી દેવામાં આવ્યું ?’ એ જાણવા માટે મહિલા બંને ડૉક્ટર્સને મળવા પહોંચ્યા. તેમણે બે હાથ જોડીને કહ્યું, ‘હું તમને લોકોને ઓળખતી પણ નથી. તો પછી આટલી બધી ઉદારતા કેમ ?’

બંને ડૉક્ટર્સે સ્માઈલ કરીને કહ્યું, ‘તમે ભલે અમને ન ઓળખતા હોવ. અમે તો તમને ઓળખીએ છીએ ને ! તમે દક્ષિણામૂર્તિમાં અમારા શિક્ષક હતા. જેમણે અમને અહિયાં સુધી પહોંચાડ્યા, એમની પાસેથી કશું લેવાનું ન હોય. એમને તો હવે આપવાનું હોય.’

વિદ્યાર્થીઓએ દાખવેલી ઉદારતા સામે શિક્ષિકા-બહેન પણ હરિફાઈમાં ઉતર્યા. તેમણે કહ્યું, ‘તમે મારા પતિની સારવાર કરી છે. જે રૂપિયા પર તમારો હક હોય, એ હું ન રાખી શકું. ગમે તેમ થાય, આ બીલની રકમ હું ઘરે ન લઈ જાઉં.’

અંતે તેમણે એક વચ્ચેનો રસ્તો શોધ્યો. ૩૧,૦૦૦ જેવી વેવ-ઓફ કરાયેલી રકમમાં એક નિવૃત પેન્શનર શિક્ષિકાએ ૧૦,૦૦૦ રૂપિયા વધુ ઉમેરીને તેમની માતૃ-સંસ્થા દક્ષિણામૂર્તિને રૂ.૪૧,૦૦૦નું ડોનેશન આપ્યું. એ શિક્ષિકાનું નામ જયાબેન આઈ. ત્રિવેદી.

મેં આ લખવાની શરૂઆત કરી ત્યારે મારા મનમાં ઉઠેલો સૌથી મોટો પ્રશ્ન એ હતો કે વધુ ઉદાર કોણ ? શિક્ષક કે વિદ્યાર્થીઓ ? કોણ વધારે મહાન ? આ લખતી વખતે મને આ સ્ટોરીનો ત્રીજો એન્ગલ રીયલાઈઝ થયો અને જવાબ મળી ગયો. ન શિક્ષક, ન વિદ્યાર્થી. સૌથી મહાન કોઈ હોય તો એ સંસ્થા છે.

મબલખ અને સારી ગુણવત્તાવાળા પાક માટે ખેડૂત હંમેશા જમીનની ફળદ્રુપતાને ક્રેડિટ આપે છે. વર્ષો પહેલા વાવેલા બીજ, આ રીતે ઓચિંતા છાંયો આપશે
આ શેર કરવાનું મન થયું. લોકડાઉનના સમયગાળા દરમિયાન ભાવનગરની બજરંગદાસ બાપા હોસ્પિટલમાં એક વૃદ્ધ મહિલા તેમના પતિની સારવાર માટે આવ્યા. ગંભીર રીતે બીમાર થયેલા તેમના પતિને દાખલ કરવામાં આવ્યા. લોકડાઉનને કારણે તેમના સંતાનો અમદાવાદથી ભાવનગર આવી શકે તેમ નહોતા.

ક્રિટીકલ કેર સ્પેશીયલીસ્ટ ડૉ. દર્શન શુક્લા અને ડૉ. વિપુલ પારેખે પૂરા ખંત અને નિષ્ઠાથી દર્દીની સારવાર કરી પરંતુ તેમને ન બચાવી શકાયા. દર્દીના મૃત્યુ પછી જ્યારે વૃદ્ધ મહિલા હોસ્પિટલનું બીલ ચુકવવા માટે ગયા, ત્યાં બિલીંગ સેક્શનમાંથી કોઈએ તેમને કહ્યું કે તેમનું સમગ્ર બીલ માફ કરવામાં આવ્યું છે અને તેમણે કશું જ ચુકવવાનું રહેતું નથી.

આ બંને ડૉક્ટર મિત્રોને હું પર્સનલી ઓળખું છું અને પોતાની હોસ્પિટલમાં તેઓ અવારનવાર જરૂરીયાતમંદ દર્દીઓને સાઈઝેબલ ડિસ્કાઉન્ટ આપતા હોય છે. પણ આ રીતે કોઈનું આખું બીલ માફ કરી દેવું, એ યુનિક ઘટના હતી.
‘બીલ શું કામ માફ કરી દેવામાં આવ્યું ?’ એ જાણવા માટે મહિલા બંને ડૉક્ટર્સને મળવા પહોંચ્યા. તેમણે બે હાથ જોડીને કહ્યું, ‘હું તમને લોકોને ઓળખતી પણ નથી. તો પછી આટલી બધી ઉદારતા કેમ ?’

બંને ડૉક્ટર્સે સ્માઈલ કરીને કહ્યું, ‘તમે ભલે અમને ન ઓળખતા હોવ. અમે તો તમને ઓળખીએ છીએ ને ! તમે દક્ષિણામૂર્તિમાં અમારા શિક્ષક હતા. જેમણે અમને અહિયાં સુધી પહોંચાડ્યા, એમની પાસેથી કશું લેવાનું ન હોય. એમને તો હવે આપવાનું હોય.’

વિદ્યાર્થીઓએ દાખવેલી ઉદારતા સામે શિક્ષિકા-બહેન પણ હરિફાઈમાં ઉતર્યા. તેમણે કહ્યું, ‘તમે મારા પતિની સારવાર કરી છે. જે રૂપિયા પર તમારો હક હોય, એ હું ન રાખી શકું. ગમે તેમ થાય, આ બીલની રકમ હું ઘરે ન લઈ જાઉં.’

અંતે તેમણે એક વચ્ચેનો રસ્તો શોધ્યો. ૩૧,૦૦૦ જેવી વેવ-ઓફ કરાયેલી રકમમાં એક નિવૃત પેન્શનર શિક્ષિકાએ ૧૦,૦૦૦ રૂપિયા વધુ ઉમેરીને તેમની માતૃ-સંસ્થા દક્ષિણામૂર્તિને રૂ.૪૧,૦૦૦નું ડોનેશન આપ્યું. એ શિક્ષિકાનું નામ જયાબેન આઈ. ત્રિવેદી.

મેં આ લખવાની શરૂઆત કરી ત્યારે મારા મનમાં ઉઠેલો સૌથી મોટો પ્રશ્ન એ હતો કે વધુ ઉદાર કોણ ? શિક્ષક કે વિદ્યાર્થીઓ ? કોણ વધારે મહાન ? આ લખતી વખતે મને આ સ્ટોરીનો ત્રીજો એન્ગલ રીયલાઈઝ થયો અને જવાબ મળી ગયો. ન શિક્ષક, ન વિદ્યાર્થી. સૌથી મહાન કોઈ હોય તો એ સંસ્થા છે.

મબલખ અને સારી ગુણવત્તાવાળા પાક માટે ખેડૂત હંમેશા જમીનની ફળદ્રુપતાને ક્રેડિટ આપે છે. વર્ષો પહેલા વાવેલા બીજ, આ રીતે ઓચિંતા છાંયો આપશે એવી અપેક્ષા પણ જેમને નથી હોતી અને તેમ છતાં જે બીજ વાવવાની મહેનત, નિયત અને હિંમત રાખે છે, એ શિક્ષક છે. જે છાંયો વાવે છે, એ શિક્ષક છે.

ડૉક્ટર બની જવું, એ શિક્ષણ છે. પરંતુ ડૉક્ટર બનીને આવું જેસ્ચર કરી દેખાડવું, એ કેળવણી છે. તબીબો અંગેની નેગેટીવ વાતો વધુ ચર્ચામાં રહે છે. નેગેટીવીટી વધારે TRP અને એટેન્શન ખેંચે છે એટલે તેમની પોઝીટીવ વાતો જલદીથી બહાર નથી આવતી. તબીબોની ઉજળી બાજુ પણ હોય શકે, આ બંને મિત્રો તેની સાબિતી છે.

But it all boils down to one thing, તમારી માતૃ-સંસ્થાને યાદ કરીને તમને ગુઝ-બમ્પ્સ આવે છે? આ લખતી વખતે જે પાણી મારી આંખોમાં આવ્યું, એ જ પાણી તમારી નિશાળને યાદ કરીને તમારી આંખોમાં પણ આવે છે ? જો હા, તો આપણે બધા આવું કંઈક કરી શકીએ. એવું કંઈક કે નિશાળની જર્જરિત ઈમારત પોતાની ડોક ટટ્ટાર અને છાતી પહોળી કરીને ગર્વભેર કહી શકે કે ‘એ મારા વિદ્યાર્થીઓ છે.’

માહિતી : ડૉ. ધીરેન્દ્ર મુની

આલેખન : ડૉ. નિમિત્ત ઓઝા (કોઈ મને પૂછે કે તમારી નિશાળ ક્યાં આવી ? તો હું સરનામું નથી આપતો. હ્રદય પર હાથ મૂકીને કહેતો હોઉં છું કે અહિયાં.)

10/10/2020

*સંપત્તિ કરતાં સંસ્કાર ચઢિયાતા છે સાહેબ...* *કારણકે...* *સંપત્તિ હોય તો "વીલ" બને છે અને* *સંસ્કાર હોય તો "ગુડવીલ"* *બને છે* *કોઈ મારૂ ખરાબ કરે એ એનું "કર્મ".....* *પણ હું કોઇનું ખરાબ ના કરૂ એ "મારો ધર્મ".....*

🌹🌹🌹🌹સુપ્રભાત🌹🌹🌹🌹

09/10/2020

Earn Relations, Not only Money 💰

👌👌👌વાંચજો મિત્રો...
ખૂબ સરસ છે આ પ્રસંગ .....
-----------
એક દિવસ હું મારા એક મિત્ર સાથે તત્કાલ કેટેગરીમાં પાસપોર્ટ બનાવવા અમદાવાદ પાસપોર્ટ ઓફીસ ગયો હતો.

લાઈન માં ઉભા રહીને અમે પાસપોર્ટ નું તત્કાલ ફોર્મ ભર્યું. ઘણો સમય થઇ ગયો હતો, હવે અમારે પાસપોર્ટ ની ફીઝ જમા કરવાની હતી. જેવો અમારો નંબર આવ્યો કે તરતજ ઓફિસર સાહેબે બારી બંધ કરી દીધી અને કહ્યું કે ટાઇમ પૂરો થઇ ગયો છે હવે કાલે આવજો.

મેં સાહેબને ખુબ આજીજી કરી, કહ્યું અમે ખુબ દૂરથી આવ્યા છીએ, અમે આખો દિવસ આ કામ માં ખરચ્યો છે અને હવે માત્ર ફીઝ ભરવાની બાકી રહી ગઈ છે. મહેરબાની કરને આ ફીઝ જમા કરીલો.

ઓફિસર તો ગુસ્સે થઇ ગયા.
બોલ્યા: તમે આખો દિવસ ખરચ્યો તો એના માટે શું હું જવાબદાર છું?
અરે સરકારને કહો કે વધારે ઓફિસર ની ભરતી કરે.
હું તો સવારથી મારું કામ જ કરી રહ્યો છું!!

ખેર, મારો મિત્ર ઉદાસ થઈને બોલ્યો, ચાલ હવે કાલે આવીશું..
મેં એને રોકીને કહ્યું, ઉભો રહે. ફરી એકવાર કોશિશ કરી જોઉં.

ઓફિસર સાહેબ પોતાનો થેલો લઈને કેબીન માંથી બહાર ગયા, હું કઈ બોલ્યો નહિ, ચુપચાપ એમની પાછળ ગયો. એ એક કેન્ટીન માં ગયા અને થેલા માંથી પોતાનું લંચ-બોક્ષ કાઢીને ધીમે ધીમે એકલા ખાવા લાગ્યા.

હું એમની સામેની બેંચ પર જઈને બેઠો. મેં કહ્યું તમારી પાસે તો ખુબ કામ છે, રોજ નવા નવા લોકોને મળવાનું થતું હશે.
એમને કહ્યું હા, હું રોજ મોટા મોટા અધિકારીઓ ને મળું છું, કોઈ આઈ.એ.એસ, કોઈ આઈ.પી.એસ, વિધાયક નેતા બધા અહી આવે છે. મારી ખુરસી ની સામે મોટા મોટા લોકો રાહ જુવે છે.

પછી મેં એમને પૂછ્યું તમારી પ્લેટ માંથી એક રોટલી હું પણ ખાઈ લઉં?
એમને 'હા' કહ્યું,
હું પ્લેટ માંથી એક રોટલી ઉઠાવીને શાક જોડે ખાવા લાગ્યો.
મેં ખાવાના વખાણ કરતા કહ્યું તમારી પત્ની ખુબ સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે.

મેં એમને કહ્યું, સાહેબ તમે ખુબ મહત્વપૂર્ણ સીટ પર બેઠા છો, મોટા-મોટા લોકો તમારી પાસે આવે છે. પણ શું તમે તમારી ખુરસી ની ઈજ્જત કરો છો.?

તમે ખુબ ભાગ્યશાળી છો કે તમને આટલી મહત્વની જવાબદારી મળી છે, પણ તમે તમારા કામની ઈજ્જત નથી કરતા.

એમને મને પૂછ્યું: એવું તમે કેવી રીતે કહી શકો?
મેં કહ્યું: જો તમે તમારા પદની ઈજ્જત કરતા હોત તો તમે આવા રુસ્ટ અને ક્રોધી સ્વભાવ વાળા ન હોત.
જુઓ તમારો કોઈ મિત્ર પણ નથી, તમે રોજ કન્ટીન માં એકલા જમો છો. તમારી ખુરસી પર પણ ઉદાસ થઇને બેસો

Address

Near Old Court, Main Bazar
Savli
391770

Telephone

8238239296

Website

Alerts

Be the first to know and let us send you an email when Samvedna Clinic, Savli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Samvedna Clinic, Savli:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category