01/03/2026
આપણને શુદ્ધ અનાજ, શાકભાજી, ફ્રુટસ અને દૂધ તેમજ બીજી ખાવાની વસ્તુઓ શુદ્ધ નથી મળી રહી તો શું ખાવું ?
.
બધાં ને મૂંઝવતો આ સવાલ જ હોય છે
થોડાક મુદ્દા અહીં લખું છું બાકી ના તમારા મનમાં બીજા મુદ્દાઓ આવે તો અહીં લખજો
ખેતર માં કોઈ વસ્તુ વાવે ત્યારે અને એ ઊગી જાય એ પછી પણ જંતુનાશક દવાઓ નો ઉપયોગ થતો હોય છે અને જ્યારે માર્કેટ માં વેચાણ માં ત્યારે પણ દવાઓ નો ઉપયોગ થતો હોય છે
તો શક્ય હોય તો ઓછી જગ્યાએ જે વસ્તુ માં દવા વપરાતી હોય એવું ખાવું
જેમકે ફ્રૂટ્સ માં તમે ઓરેન્જ, દ્રાક્ષ, તરબૂચ, સફરજન , જેવા મોંઘા ફ્રૂટ્સ ને બદલે. જમરૂખ, ચણીયા બોર, ગોરસ આમલી, પપૈયા, કમરખ, લીલા નાળિયેર, કોઠા, જેવા ફ્રૂટ્સ ખાઈ શકો
( આ બધા પણ પૌષ્ટિક તો હોય જ છે. દવા વાળા પૌષ્ટિક ખાવા કરતાં દવા વગર ના ઓછાં પૌષ્ટિક સારા )
Fb.com/askdrsavaj
શાકભાજી માં દૂધી, ભીંડા, રીંગણ , ટામેટા,પાલક, મેથી, ચોળી, તુવેર, જેવા શાક ને બદલે ટીંડોરા, કારેલા, સરઘવો, પરવળ, ગલકા, વાલોલ, અને વગડાઉ વનસ્પતિઓ ના શાક બનાવી ને ખાઈ શકાય જેમકે અગથિયો, કાગડોલિયો, ડોડી, સરઘવા ના ફૂલ,
દ્રાયફ્રુટ માં સૌથી વધુ ઝેર કાજુ અને ત્યારબાદ બદામ માં હોય છે એના બદલે ખજૂર સારા, અખરોટ , પિસ્તા જેવું ખાઈ શકાય
ઓક્સીટોસીન ના ઇન્જેક્શન મારેલ પશુઓ ના દુધ ખાવા કરતાં નાળિયેર નું દૂધ ઉત્તમ ,
હોટેલ માં મળતા પંજાબી અને ચાઈનીઝ ફૂડ માં મોસ્ટ ઓફ આજીનો મોટો નાખે છે એના બદલે ઘરે બનાવી ને જમીએ તો સૌથી વધુ સારું
હોટેલ માં મળતા સૂપ કરતા ન્યુટ્રિશનલ સૂપ પીવા જોઈએ.
અનાજ માં ઘઉં , ચોખા કે મકાઈ ખાવા કરતાં બાજરી, કોદરી, નાગલી, રાજગરો, જુવાર જેવા મિલેટ્સ ખાવા પૌષ્ટીકતા ની દ્રષ્ટિએ પણ ઉત્તમ
નોંધ :- વગડાઉ અથવા ગામની પડતર જમીન કે રોડ જંગલો માં મળતી વનસ્પતિઓ ને ઓળખો અને ખોરાક માં સામેલ કરવી હિતાવહ છે.
તમે પણ આવી વસ્તુઓ ના નામ ઉમેરો
ડો.સુરેશ સાવજ