Askdrsavaj

Askdrsavaj Dr.Suresh Savaj D.H.M.S, D.S.A, P.G.D.I.T , A doctor of Homoeopathic medicine, Herbal medicine

અહી જણાવેલ પ્રયોગો ડોકટર અથવા વૈદ્ય ની સલાહ અનુસાર જ કરવા .
(1)

મજબૂત ફેફસા માટૅ ખોરાક(Strong Lungs Foods): શરીરમાં ફેફસાંનું શું મહત્વ છે તે દરેક વ્યક્તિ જાણતા હશે. ફેફસાં ઓક્સિજન ને ...
24/01/2026

મજબૂત ફેફસા માટૅ ખોરાક(Strong Lungs Foods):

શરીરમાં ફેફસાંનું શું મહત્વ છે તે દરેક વ્યક્તિ જાણતા હશે. ફેફસાં ઓક્સિજન ને ફિલ્ટર કરવાનુ કામ કરે છે. હમેશા સ્વસ્થ રહેવા માટે, ફેફસાં ને કોઇ ખામી વગર કામ કરવું જરૂરી છે. ફેફસાંને મજબૂત બનાવવા માટે આહાર અથવા મજબૂત ફેફસાંના આહાર માટે ખોરાક ખૂબ મહત્વપૂર્ણ છે.

કેવી રીતે મજબૂત ફેફસાં મેળવવા :

શરીરમાં ફેફસાંનું શું મહત્વ છે તે તમને બધાને ખબર છે. ફેફસાંનો મોટો ફાળો હોઇ છે શરીરને સ્વસ્થ રાખવામાં. શરીરના અડધાથી વધુ ભાગો ફેફસાં પર ચાલે છે,

તેવામા ફેફસાંને સ્વસ્થ રાખવાની રીત (ફેફસાંને સ્વસ્થ રાખવાના રસ્તા) તમારા સ્વસ્થ સ્વાસ્થ્યને ગતી આપી શકે છે. ફેફસાં એટલે કે લન્ગ્સ(Lungs) એ શરીરનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે.જો ફેફસાં અસ્વસ્થ રહે તો કેટલીક બીમારી થઇ શકે છે. જેવી કે અસ્થમા, બ્રોન્કાઇટિસ, ન્યુમોનિયા, ક્ષય રોગ, ફેફસાના કેન્સર વગેરે જેવા ઘણા રોગો થઈ શકે છે. ફેફસાં ઓક્સિજન નુ ફિલ્ટર કરવાનુ કામ કરે છે. હમેશા સ્વસ્થ રહેવા માટે, ફેફસાં ને કોઇ ખામી વગર કામ કરવું જરૂરી છે.

ફેફસાંને મજબૂત બનાવવા માટે આહાર અથવા મજબૂત ફેફસા માટૅ આહાર માટે ખોરાક ખૂબ મહત્વપૂર્ણ છે. ફેફસાં શરીરના ઘણા કાર્યો(ભાગો) ઉત્તમ રીતે ચલાવે છે.

ફેફસાંને નુકસાન થવાથી તમારા શરીરમાં શુદ્ધ ઓક્સિજન મેળવવા માટે ઘણી મુશ્કેલી થઈ શકે છે. હવે તમારા ફેફસાંની સરખી સંભાળ લેવી એ પહેલા કરતાં પણ વધુ મહત્વનું બની ગયું છે.

ઘણા લોકો સવાલ કરે છે કે ફેફસાંને મજબૂત બનાવવા માટે શું ખાવું? અથવા ફેફસાંને મજબૂત કરવાનાં ઉપાય શું છે? આવી સ્થિતિમાં કેટલાક ખોરાક એવા છે કે જે ફેફસાંને હંમેશા માટૅ સ્વસ્થ રાખે છે. અહીં તેવા કેટલાક ખોરાક કહેવામા આવ્યા છે જેનો આહારમાં સમાવેશ કરી શકાય છે કે જે તમારા ફેફસાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

તમારા ફેફસાંને મજબૂત રાખવા માટે નો ખોરાક :-

૧. સફરજન : નિયમિત રુપે સફરજન ખાવાથી ફેફસાના કાર્ય શ્મતા વધારવામા મદદ મળી શકે છે. એટલા માટે એન્ટીઓકિસડન્ટો, ફ્લેવોનોઇડ્સ અને વિટામિન સી જવાબદાર હોઈ શકે છે.

૨. હળદર: હળદરમાં હાજર કર્ક્યુમિનમાં એન્ટીઓકિસડન્ટ હોય છે જે તમારા ફેફસાના કાર્ય કરવા માટે ખૂબ ઉત્તમ છે.

૩.હર્બલ ટી(ચા): આદુ, હળદર, લીંબુ, મધ અથવા તજમાંથી બનેલી ચા ફેફસાના કાર્યક્ષમતા સુધારવા માટે ફાયદાકારક હોઈ શકે છે. આ ઉપરાંત, ગ્રીન ટી(ચા)માં કેટેચીન હોય છે જેમાં એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે

૪. લાલ કોબી: એન્થોકાયનિન એ રંગીન છોડ છે જે લાલ કોબીને તેના શ્યામ રંગ આપે છે. અભ્યાસમા મલ્યુ છે કે એન્થોકયાનિન ફેફસાના કાર્યમાં થતા ઘટાડા ને ઘટાડે છે.

૫. ઓલિવ તેલ: ઓલિવ તેલમાં એન્ટીઓકિસડન્ટ, પોલિફેનોલ અને વિટામિન ઇ હોઇ છે, તે બધા અસ્થમાથી થતા શ્વસન પરિસ્થિતિઓથી બચાવવામાં મદદગાર થઈ શકે છે.

6. દાળ : દાળમાં મેગ્નેશિયમ, આયર્ન, કોપર અને પોટેશિયમ તત્વ હોય છે, જે ફેફસાના કાર્યને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

૭. ટામેટાં : ટામેટાંમાં લાઇકોપીન હોય છે.તેમા કેરોટીનોઇડ એન્ટીઓકિસડન્ટ થાય છે જે ફેફસાના આરોગ્યમા સુધારવામાં ફાયદાકારક હોઇ છે. અભ્યાસમા એ પણ બતાવ્યું છે કે ટામેટાંમા અસ્થમાના દર્દીઓના વાયુમાર્ગની બળતરા ઘટાડી શકે છે અને સીઓપીડીવાળા લોકોમાં ફેફસાના કાર્યમાં સુધારો કરી શકે છે.

૮. બ્લુબેરી : તે ફેફસાના ચેપ સામે રક્ષણ સહિતના ઘણા સ્વાસ્થ લાભો પૂરા પાડે છે. લાલ કોબીની જેમ, તેમાં પણ એન્થોકાયનિન હોય છે. તે્મા શક્તિશાળી રંગદ્રવ્યો છે જે ફેફસાંને ઓક્સિડેટીવ નુકસાનથી સુરક્ષિત કરી શકે છે.

આ ખોરાક ઉપરાંત તમે કફ જન્ય વસ્તુઓ જેમકે મેંદો, ખાંડ ઠંડા પીણાંઓ અને ફ્રીઝ માં રાખેલ વસ્તુઓ નો ઉપયોગ ન કરશો.
પ્રાણાયમ, યોગાસન અને કસરત પણ ફેફસાને મજબૂત બનાવે છે

ડો.સુરેશ સાવજ

We treat GOD cures
22/01/2026

We treat GOD cures

Urticaria...શીળસસવારે ભૂખ્યા પેટે એક ચમચી અજમા પાંચ દિવસ સુધી ગળી જવાત્યારબાદ  અડધો કલાક સુધી કાંઈ જ ખાવું  નહીં.
22/01/2026

Urticaria...
શીળસ

સવારે ભૂખ્યા પેટે એક ચમચી અજમા પાંચ દિવસ સુધી ગળી જવા
ત્યારબાદ અડધો કલાક સુધી કાંઈ જ ખાવું નહીં.

નાકમાં ઔષધ મૂકવું તેનું નામ નસ્ય, પ્રતિમર્ષ નામનાં આ નસ્ય માં ફકત બેજ ટીપાં  નાક માં મૂકીને સુંઘવાનું હોય છે. ..સામાન્ય ...
20/01/2026

નાકમાં ઔષધ મૂકવું તેનું નામ નસ્ય,

પ્રતિમર્ષ નામનાં આ નસ્ય માં ફકત બેજ ટીપાં નાક માં મૂકીને સુંઘવાનું હોય છે. ..સામાન્ય રીતે અનુનાસિક માર્ગોને પોષણ આપવા અને લુબ્રિકેટ કરવાનો હેતુ ધરાવે છે અને માથા અને ગરદનના પ્રદેશ માટે વિવિધ ફાયદાઓ કરી શકે છે

અવપીડન પ્રકાર નાં આ નસ્ય માં વનસ્પતિ નાં કલ્ક નાં ટીપાં નાક માં મુકવામાં આવે છે.

શિરોવિરેચન પ્રકાર નું નસ્ય છીંકો લાવનાર તેમજ નાક માં દવા મૂકવાથી અંદરથી ખૂબ બગાડ કાઢે છે.

ડો.સુરેશ સાવજ

ચામડી ના આ જાણીતા રોગ વિશે જાણવા જેવુંLichen simplex chronicus (LSC) (also known as neurodermatitisલાઈક્ન સીમ્પ્લેક્ષ ક્...
20/01/2026

ચામડી ના આ જાણીતા રોગ વિશે જાણવા જેવું

Lichen simplex chronicus (LSC) (also known as neurodermatitis

લાઈક્ન સીમ્પ્લેક્ષ ક્રોનીક્સ ... આ એક ચામડી નો રોગ છે
જેમાં સતત ખંજવાળઆવતી હોય છે. જેમાં ચામડી જાડી , ડાર્ક કલર ની અનેે ઘણીવખત ઉપસેલી બની જતી હોય છે . 35 થી 50 ની વય વચ્ચે એલએસસી વધુ સામાન્ય છે અને પુરુષોની તુલનામાં સ્ત્રીઓમાં લગભગ બમણી વાર જોવા મળે છે

એલએસસીની સૌથી સામાન્ય સાઇટ્સ, ગરદનની બાજુઓ, ખોપરી ઉપરની ચામડી, પગની ઘૂંટી, અને ગુપ્તભાગ માં થતું હોય છે

તે એવી વસ્તુથી શરૂ થઈ શકે છે જે ચામડીને ઘસારો આપે ,, બળતરા કરે છે અથવા સ્ક્રેચેસ કરે છે, જેમ કે કપડા.
આનાથી વ્યક્તિ અસરગ્રસ્ત વિસ્તારમાં ઘસડી અથવા ખંજવાળ કરે છે. સતત ખંજવાળ કારણે ચામડી વધારે જાડીં થાય છે.
જાડી ત્વચા , વધુ ખંજવાળ પરિણમે છે, વધુ જાડી ચામડી થવાથી વધુ ખંજવાળ આવે છે અને વધુ ભાગ માં ફેલાય છે
અસરગ્રસ્ત વિસ્તાર ઝડપથી શરીરના બાકીના ભાગમાં ફેલાય છે.

એલએસસી એક રીતે તો માનસિક વ્યાધી થી જ પરીણમે છે . તે ગભરાટ, અસ્વસ્થતા, ડિપ્રેશન અને અન્ય મનોવૈજ્ઞાનિક વિકારો સાથે પણ સંકળાયેલ હોઈ શકે છે. એલ.એસ.સી. સાથે ઘણા લોકો દિવસ દરમિયાન કરેલા ખંજવાળથી વાકેફ હોય છે, પરંતુ તેઓ તેમની ઊંઘમાં જે ખંજવાળ કરે છે તેનાથી વાકેફ હોતા નથી. એલએસસી એટોપી, અથવા એટોપિક ત્વચાકોપ (ખરજવું) સાથે પણ સંકળાયેલ છે.

આ બીમારી એક ઓટો ઈમ્યુન બીમારી જેવી હોવાથી હોમિયોપેથીક મેડીસીન જો વ્યવસ્થિત રીતે કેસ સ્ટડી કરી ને આપવામાં આવે તો સંપૂર્ણ પણે મટી શકે છે
જેના માટે વ્યક્તિ ના માનસિક સ્થિતિ , વિચારો , અને પડતી તકલીફો ની પુછપરછ કરી સારવાર કરવામાં આવે છે
જેમાં લાયકોપોડિયમ , રૂમેક્ષ , સ્ટેફીસેગ્રીયા , આર્સેનિક , કાલી આર્સ , ક્રીઓસોટમ , સેપિયા , સલ્ફર , plantago ..વગેરે જેવી અલગ અલગ દવાઓ આવતી હોય છે

સામાન્ય રીતે પેશન્ટ નો કેસ સ્ટડી કર્યા પછી ..miasmatic મેડીસીન અને constitutional મેડીસીન આપવાથી પેશન્ટ ખુબ જલ્દી આ બીમારી થી છુટકારો મેળવી શકે છે .

ડો.સુરેશ સાવજ

આજકાલ ની દોડધામ વાળી જિંદગી માંમહદઅંશે વાયુપ્રકૃતિ વાળા કેસ વધુ જોવા મળે છે.દિવેલ ને  ખોરાક માં લેવાનું આપણે ભૂલી ગયા ને...
19/01/2026

આજકાલ ની દોડધામ વાળી જિંદગી માં
મહદઅંશે વાયુપ્રકૃતિ વાળા કેસ વધુ જોવા મળે છે.
દિવેલ ને ખોરાક માં લેવાનું આપણે ભૂલી ગયા ને દિવેલિયા ડાચા લઇ ને ફરતાં થઈ ગયા છીએ..

જો તમે આંકડા ના ફૂલ ના તોરણ બાંધો તો વાયરલ ઇન્ફેક્શન થી  બચવા ના ચાન્સ વધુ
16/01/2026

જો તમે આંકડા ના ફૂલ ના તોરણ બાંધો તો વાયરલ ઇન્ફેક્શન થી બચવા ના ચાન્સ વધુ

જ્યારે દર્દી ની દવાઓ પેક થઈ રહી હોય કે દર્દી નો કેસ ની વિગત લખાય  ત્યારે ભગવાન ના નામ નું મનમાં રટણ થતું હોય છે
16/01/2026

જ્યારે દર્દી ની દવાઓ પેક થઈ રહી હોય કે દર્દી નો કેસ ની વિગત લખાય ત્યારે ભગવાન ના નામ નું મનમાં રટણ થતું હોય છે

16/01/2026
આપણાં રંગસૂત્રો માં ભળી ને આવ્યું હોય એ ખવાયઆવું ફિલ્મો ના સ્ટાર ના કોઈ ડાયેટીશયન કહેતા હતા.એમાંય જો આયુર્વેદ જે આપણાં ર...
16/01/2026

આપણાં રંગસૂત્રો માં ભળી ને આવ્યું હોય એ ખવાય
આવું ફિલ્મો ના સ્ટાર ના કોઈ ડાયેટીશયન કહેતા હતા.

એમાંય જો આયુર્વેદ જે આપણાં રંગસૂત્રો માં વણાઈ ને આવ્યું છે. રોજિંદા આહાર માં આવી રહ્યું છે. આપણી આસપાસ ના વાતાવરણ માં આપણી પાસે જ છે એવી વનસ્પતિઓ માથી બનાવેલી હોમિયોપેથીક દવાઓ અને આપણી પ્રકૃતિ ને અનુરૂપ, ઋતુચક્ર ને અનુરૂપ ખોરાક ખાવા થી શરીર માં બિમારી આવવાની શક્યતા ઓ નહિવત જ રહે.
(હવે જાણ્યું ને કે હું ખેતરો અને જંગલો માં કેમ વધુ રખડુ છું )
બસ આવી જ રીતે
વડ, પીપળો, લીમડો, કાંસકી, કાગડોલિયો, ભાંગરો, અશ્વગંધા, કૌચા, હળદર, મરચું, અજમાં, સૂંઠ, કારેલા, મરી, પપૈયા, આંકડો, શતાવરી, કોયલવેલ, લિંડી પીપર, પારિજાત, બારમાસી જેવી ઘણી બધી વનસ્પતિઓ માંથી દવાઓ ખૂબ કારગત નીવડે છે.

નક્કી આપણે જ કરવાનું છે કે સડી ગયેલા તૈયાર પેકેટ ખાઈ ને અનેક બિમારીઓ સાથે જીવવું છે કે પછી પ્રકૃતિ ના નિયમો નું પાલન અને એને અનુસરી ને જીવવું છે.
થોરા માં ઘણું સમજજો

ડો.સુરેશ સાવજ
સુરત

Address

Surat

Opening Hours

Monday 10am - 12pm
5:30pm - 8pm
Tuesday 10am - 12pm
5:30pm - 8pm
Wednesday 10am - 12pm
5:30pm - 8pm
Thursday 10am - 12pm
5:30pm - 8pm
Friday 9am - 12pm
5:30pm - 5pm
Saturday 10am - 12pm
5:30pm - 8pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Askdrsavaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram