Askdrsavaj

Askdrsavaj Dr.Suresh Savaj D.H.M.S, D.S.A, P.G.D.I.T , A doctor of Homoeopathic medicine, Herbal medicine

અહી જણાવેલ પ્રયોગો ડોકટર અથવા વૈદ્ય ની સલાહ અનુસાર જ કરવા .

15/02/2026
લસણ નાં ફાયદાઓ અને નુકશાનભારતીય ખોરાકમાં લસણ નું આગવું મહત્વ છે , આયુર્વેદની દ્રષ્ટિએ અને ભોજનનો સ્વાદ વધારવા માટે બહોળા...
07/02/2026

લસણ નાં ફાયદાઓ અને નુકશાન

ભારતીય ખોરાકમાં લસણ નું આગવું મહત્વ છે , આયુર્વેદની દ્રષ્ટિએ અને ભોજનનો સ્વાદ વધારવા માટે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આપણા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લસણનું પણ ખૂબ જ મહત્વ છે તેથી ભોજનમાં તેનો વધારેમાં વધારે સમાવેશ થાય છે લસણનું સેવન ક્યારે કરવું જોઈએ એ મહત્વનું છે લસણનું સેવન અધિકતર સવારે કરવામાં આવે છે તો તેનો લાભ વધુમાં વધુ મળી શકે છે લસણનું સેવન જો થોડી માત્રામાં કરવામાં આવે તો ઘણા રોગો ને ઉગતા જ ડામી દેવા માટે ઉપયોગી છે લસણ શાકભાજીમાં બહોળા પ્રમાણમાં વપરાય છે પણ તમારા શરીરના કોઈપણ રોગો માટે જો સવાર નો સમય પસંદ કરવામાં આવે તો એ વધારે યોગ્ય રહેશે
આયુર્વેદમાં લસણને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે

તો મિત્રો આજે આપણે સવારે ખાલી પેટે લસણ ખાવાના ફાયદા વિષે ચર્ચા કરીશું
સવારે ખાલી પેટે લસણ ખાવાના અદભુત ફાયદાઓ છે
(૧) પહેલા તો હૃદયને તે હેલ્ધી રાખે છે એક સર્વેમાં એવું સાબિત થઈ ચૂક્યું છે કે લસણમાં રહેલા તત્વો થી શરીરમાં લોહી જામી જતું નથી હાર્ટની કોઈપણ સમસ્યા હોય લોહી જાડું થતું હોય તો એલોપેથી ડોક્ટરો પણ લસણ ખાવાની સલાહ આપે છે
(૨) લસણ હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે લસણમાં રહેલા તત્વો શરીરના લોહીના પરિભ્રમણમાં અદભુત ફાળો આપે છે
(૩) હાઇબ્લડપ્રેશર પીડાતા દર્દીઓને સવારના ભૂખ્યા પેટે ૩ કળી લસણ ની ખાવાની સલાહ આપવામાં આવે છે,જે બહોળા પ્રમાણ માં ફાયદો કરે છે
(૪) ખાલી પેટે સવારે લસણની કળીઓ ચાવીને ખાવાથી પાચનક્રિયા સુધરે છે
(૫) પેટની કોઈપણ સમસ્યા હોય કબજિયાત હોય કે અપચો હોય આ સમસ્યાને નાથવા માં લસણ વધારે અસરકારક છે છે લસણની કળીઓ નું ગરમ પાણીમાં ઉકાળીને પી જવું જોઈએ આથી પેટની સમસ્યાઓ દૂર થઈ જાય છે
(૬) લસણ ખાવાથી શરદી ખાંસી તાવ ઉધરસ જેવી સમસ્યાઓનો છુટકારો મળે છે
(૭) લસણ પાચનક્રિયાને ઉત્તેજિત કરે છે અને ભૂખ વધારે છે આપની પાચનશક્તિ મંદ પડી ગઈ હોય તો લસણથી એ રેગ્યુલર થઈ જાય છે
(૮) જ્યારે આપણે તણાવ ટેન્શન માં હોઈએ ત્યારે પેટમાં એસિડ વધારે બને છે આ એસિડ ને નાથવા માટે લસણ એક રામબાણ ઈલાજ છે
(૯) લસણ એ પરજીવીઓ (કરમિયા) થી બચાવે છે,
(૧૦) ડાયાબિટીસ જેવા રોગોમાં પણ લસણ ઉપયોગી છે
(૧૧) લસણ શ્વસનતંત્રના રોગો જેવા કે શરદી,ખાંસી,ન્યુમોનિયા અને બ્રોન્કાઇટીસ વગેરેમાં પણ ખૂબ જ અસરકારક છે
(૧૨) ટી.બી.ની બીમારી પણ લસણના અદ્ભુત પરિણામ આવ્યા છે
(૧૩) લસણમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ તત્વો રહેલા છે એટલે જ એ શરીરની ઘણી બીમારીઓમાં ઉપયોગી છે.
(૧૪) ગેસ એસિડિટી અપચો જેવી સમસ્યાઓ માટે લસણ ઉપયોગી છે શરીરની મેટાબોલિઝમ સિસ્ટમ સુધારે છે અને ભૂખને પણ વધારે છે આ એક જમા પાસું છે
(૧૫) પુખ્ત વયનાં લોકો અને નાના બાળકોમાં કરમિયા ની તકલીફ વધારે રહેતી હોય તો આ લસણ પણ તે ઉપયોગી છે નાના બાળકોમાં મધના થોડાં ટીપાં સાથે લસણની કળીઓનો રસ મિક્સ કરીને આપવાથી ઘણી રાહત થાય છે
(૧૬) મોટા વ્યક્તિઓને પણ કરમીયાની સમસ્યા હોય તો તે સવારે બે કળી ગળી જવાથી પણ મોટા પ્રમાણમાં ફાયદો થાય છે
લસણ ખાવાથી મોઢામાં દુર્ગંધ ની એક સમસ્યા રહે છે,લસણ ખાધા પછી બ્રશ કરીને જીભ સાફ કરવી જોઈએ આજ કારણથી લસણની દુર્ગંધ આવતી હોવાથી મોટાભાગના લોકો સવારે લસણ ખાવાનું ટાળે છે

લસણ કઈ કઈ પરિસ્થિતિ મા ન ખાઇ શકાય ?

(૧) જે લોકોને તાવ આવતો હોય એ લોકોએ લસણ ખાવાનું ટાળવું જોઈએ
(૨) લસણ કેટલું ખાવું જોઈએ કેટલી માત્રામાં અને ક્યારે ખાવું જોઈએ એની સલાહ યોગ્ય આયુર્વેદ ડૉક્ટર પાસેથી લેવી જરૂરી છે જો તમે વધારે પડતું લસણ નું સેવન કરશો તો પણ નુકસાનકારક છે માટે યોગ્ય આયુર્વેદાચાર્ય સાથે ચર્ચા કર્યા પછી લસણનું યોગ્ય સેવન કરવું હિતાવહ છે.

Fb.com/askdrsavaj

આપણે જોઈએ કે ગુજરાતમાં એવું કોઈપણ રસોડુ બાકી નહિ હોય કે ત્યાં લસણ ન મળે,અને મસાલા તરીકે આપણા ખોરાકમાં પણ તેનો ભરપૂર ઉપયોગ થાય છે

(૩) જે લોકો ને બીપી ઓછું હોય લો-બીપીની સમસ્યા હોય તેને લસણ ખાવું હિતાવહ નથી તે ખાસ સમજી લેવું જરૂરી છે
(૪) સગર્ભા સ્ત્રીઓએ કાચુ લસણ ખાવું નહીં કારણકે લસણનો ગુણ ગરમ હોય છે. આથી કાચુ લસણ ખાવાથી તે નુકસાન કરે છે અને ઘણી વાર ગર્ભપાત પણ થઈ જાય છે માટે સગર્ભા સ્ત્રીઓએ કાચું લસણનું સેવન ન કરવું એ ખાસ ધ્યાન રાખવું
(૫) જે લોકોને એનિમિયા ને તકલીફ હોય એટલે કે લોહીના ટકા ઓછા હોય તે વ્યક્તિએ લસણનું સેવન ન કરવું
(૬) જે લોકોને ઓપરેશન કરાવવાનું બાકી હોય કે ઓપરેશન થઇ ગયું હોય તેવા વ્યક્તિઓએ લસણનું સેવન ન કરવું, ઓછામાં ઓછો લસણનું સેવન એક મહિના સુધી ના કરવો
(૭) જે લોકોને જૂની એસિડીટી હોય પેટમાં એસિડ ની સમસ્યા વધારે હોય એ લોકોએ કાચું લસણ ન ખાવું કારણકે કાચું ખાવાથી પેટમાં એસિડ ની માત્રા વધી જાય છે અને એસીડીટી પણ વધે છે એટલે જૂની એસિડીટી વાળા દર્દીઓએ લસણનો ઉપયોગ ન કરવો

ડો.સુરેશ સાવજ

આપણે સૌ પુસ્તકો માં વાંચ્યું છે અને જાણીએ છીએ  કે  આત્મા પવિત્ર છે અમર છે મંદિર માં  મુકેલ  ભગવાન  ની મૂર્તિ  માં  આપણે ...
06/02/2026

આપણે સૌ પુસ્તકો માં વાંચ્યું છે અને જાણીએ છીએ કે આત્મા પવિત્ર છે અમર છે
મંદિર માં મુકેલ ભગવાન ની મૂર્તિ માં આપણે સાક્ષાત ભગવાન અનુભવીએ છીએ
એટલે જ મંદિર ને સ્વચ્છ અને સુઘડ રાખીએ છીએ.

તો શરીરમાં રહેલ પવિત્ર આત્મા નું મંદિર જેવા શરીર માં કચરો શામાટે નાખો છો?

तुलसीदल दस लीजिए, उठकर प्रातःकाल, सेहत सुधरे आपकी, तन-मन मालामाल..
02/02/2026

तुलसीदल दस लीजिए,
उठकर प्रातःकाल,
सेहत सुधरे आपकी,
तन-मन मालामाल..

कफ से पीड़ित हो अगर, खाँसी बहुत सताय, अजवाइन की भाप लें, कफ तब बाहर आय..
02/02/2026

कफ से पीड़ित हो अगर,
खाँसी बहुत सताय,
अजवाइन की भाप लें,
कफ तब बाहर आय..

મજબૂત ફેફસા માટૅ ખોરાક(Strong Lungs Foods): શરીરમાં ફેફસાંનું શું મહત્વ છે તે દરેક વ્યક્તિ જાણતા હશે. ફેફસાં ઓક્સિજન ને ...
24/01/2026

મજબૂત ફેફસા માટૅ ખોરાક(Strong Lungs Foods):

શરીરમાં ફેફસાંનું શું મહત્વ છે તે દરેક વ્યક્તિ જાણતા હશે. ફેફસાં ઓક્સિજન ને ફિલ્ટર કરવાનુ કામ કરે છે. હમેશા સ્વસ્થ રહેવા માટે, ફેફસાં ને કોઇ ખામી વગર કામ કરવું જરૂરી છે. ફેફસાંને મજબૂત બનાવવા માટે આહાર અથવા મજબૂત ફેફસાંના આહાર માટે ખોરાક ખૂબ મહત્વપૂર્ણ છે.

કેવી રીતે મજબૂત ફેફસાં મેળવવા :

શરીરમાં ફેફસાંનું શું મહત્વ છે તે તમને બધાને ખબર છે. ફેફસાંનો મોટો ફાળો હોઇ છે શરીરને સ્વસ્થ રાખવામાં. શરીરના અડધાથી વધુ ભાગો ફેફસાં પર ચાલે છે,

તેવામા ફેફસાંને સ્વસ્થ રાખવાની રીત (ફેફસાંને સ્વસ્થ રાખવાના રસ્તા) તમારા સ્વસ્થ સ્વાસ્થ્યને ગતી આપી શકે છે. ફેફસાં એટલે કે લન્ગ્સ(Lungs) એ શરીરનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે.જો ફેફસાં અસ્વસ્થ રહે તો કેટલીક બીમારી થઇ શકે છે. જેવી કે અસ્થમા, બ્રોન્કાઇટિસ, ન્યુમોનિયા, ક્ષય રોગ, ફેફસાના કેન્સર વગેરે જેવા ઘણા રોગો થઈ શકે છે. ફેફસાં ઓક્સિજન નુ ફિલ્ટર કરવાનુ કામ કરે છે. હમેશા સ્વસ્થ રહેવા માટે, ફેફસાં ને કોઇ ખામી વગર કામ કરવું જરૂરી છે.

ફેફસાંને મજબૂત બનાવવા માટે આહાર અથવા મજબૂત ફેફસા માટૅ આહાર માટે ખોરાક ખૂબ મહત્વપૂર્ણ છે. ફેફસાં શરીરના ઘણા કાર્યો(ભાગો) ઉત્તમ રીતે ચલાવે છે.

ફેફસાંને નુકસાન થવાથી તમારા શરીરમાં શુદ્ધ ઓક્સિજન મેળવવા માટે ઘણી મુશ્કેલી થઈ શકે છે. હવે તમારા ફેફસાંની સરખી સંભાળ લેવી એ પહેલા કરતાં પણ વધુ મહત્વનું બની ગયું છે.

ઘણા લોકો સવાલ કરે છે કે ફેફસાંને મજબૂત બનાવવા માટે શું ખાવું? અથવા ફેફસાંને મજબૂત કરવાનાં ઉપાય શું છે? આવી સ્થિતિમાં કેટલાક ખોરાક એવા છે કે જે ફેફસાંને હંમેશા માટૅ સ્વસ્થ રાખે છે. અહીં તેવા કેટલાક ખોરાક કહેવામા આવ્યા છે જેનો આહારમાં સમાવેશ કરી શકાય છે કે જે તમારા ફેફસાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

તમારા ફેફસાંને મજબૂત રાખવા માટે નો ખોરાક :-

૧. સફરજન : નિયમિત રુપે સફરજન ખાવાથી ફેફસાના કાર્ય શ્મતા વધારવામા મદદ મળી શકે છે. એટલા માટે એન્ટીઓકિસડન્ટો, ફ્લેવોનોઇડ્સ અને વિટામિન સી જવાબદાર હોઈ શકે છે.

૨. હળદર: હળદરમાં હાજર કર્ક્યુમિનમાં એન્ટીઓકિસડન્ટ હોય છે જે તમારા ફેફસાના કાર્ય કરવા માટે ખૂબ ઉત્તમ છે.

૩.હર્બલ ટી(ચા): આદુ, હળદર, લીંબુ, મધ અથવા તજમાંથી બનેલી ચા ફેફસાના કાર્યક્ષમતા સુધારવા માટે ફાયદાકારક હોઈ શકે છે. આ ઉપરાંત, ગ્રીન ટી(ચા)માં કેટેચીન હોય છે જેમાં એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે

૪. લાલ કોબી: એન્થોકાયનિન એ રંગીન છોડ છે જે લાલ કોબીને તેના શ્યામ રંગ આપે છે. અભ્યાસમા મલ્યુ છે કે એન્થોકયાનિન ફેફસાના કાર્યમાં થતા ઘટાડા ને ઘટાડે છે.

૫. ઓલિવ તેલ: ઓલિવ તેલમાં એન્ટીઓકિસડન્ટ, પોલિફેનોલ અને વિટામિન ઇ હોઇ છે, તે બધા અસ્થમાથી થતા શ્વસન પરિસ્થિતિઓથી બચાવવામાં મદદગાર થઈ શકે છે.

6. દાળ : દાળમાં મેગ્નેશિયમ, આયર્ન, કોપર અને પોટેશિયમ તત્વ હોય છે, જે ફેફસાના કાર્યને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

૭. ટામેટાં : ટામેટાંમાં લાઇકોપીન હોય છે.તેમા કેરોટીનોઇડ એન્ટીઓકિસડન્ટ થાય છે જે ફેફસાના આરોગ્યમા સુધારવામાં ફાયદાકારક હોઇ છે. અભ્યાસમા એ પણ બતાવ્યું છે કે ટામેટાંમા અસ્થમાના દર્દીઓના વાયુમાર્ગની બળતરા ઘટાડી શકે છે અને સીઓપીડીવાળા લોકોમાં ફેફસાના કાર્યમાં સુધારો કરી શકે છે.

૮. બ્લુબેરી : તે ફેફસાના ચેપ સામે રક્ષણ સહિતના ઘણા સ્વાસ્થ લાભો પૂરા પાડે છે. લાલ કોબીની જેમ, તેમાં પણ એન્થોકાયનિન હોય છે. તે્મા શક્તિશાળી રંગદ્રવ્યો છે જે ફેફસાંને ઓક્સિડેટીવ નુકસાનથી સુરક્ષિત કરી શકે છે.

આ ખોરાક ઉપરાંત તમે કફ જન્ય વસ્તુઓ જેમકે મેંદો, ખાંડ ઠંડા પીણાંઓ અને ફ્રીઝ માં રાખેલ વસ્તુઓ નો ઉપયોગ ન કરશો.
પ્રાણાયમ, યોગાસન અને કસરત પણ ફેફસાને મજબૂત બનાવે છે

ડો.સુરેશ સાવજ

We treat GOD cures
22/01/2026

We treat GOD cures

Urticaria...શીળસસવારે ભૂખ્યા પેટે એક ચમચી અજમા પાંચ દિવસ સુધી ગળી જવાત્યારબાદ  અડધો કલાક સુધી કાંઈ જ ખાવું  નહીં.
22/01/2026

Urticaria...
શીળસ

સવારે ભૂખ્યા પેટે એક ચમચી અજમા પાંચ દિવસ સુધી ગળી જવા
ત્યારબાદ અડધો કલાક સુધી કાંઈ જ ખાવું નહીં.

નાકમાં ઔષધ મૂકવું તેનું નામ નસ્ય, પ્રતિમર્ષ નામનાં આ નસ્ય માં ફકત બેજ ટીપાં  નાક માં મૂકીને સુંઘવાનું હોય છે. ..સામાન્ય ...
20/01/2026

નાકમાં ઔષધ મૂકવું તેનું નામ નસ્ય,

પ્રતિમર્ષ નામનાં આ નસ્ય માં ફકત બેજ ટીપાં નાક માં મૂકીને સુંઘવાનું હોય છે. ..સામાન્ય રીતે અનુનાસિક માર્ગોને પોષણ આપવા અને લુબ્રિકેટ કરવાનો હેતુ ધરાવે છે અને માથા અને ગરદનના પ્રદેશ માટે વિવિધ ફાયદાઓ કરી શકે છે

અવપીડન પ્રકાર નાં આ નસ્ય માં વનસ્પતિ નાં કલ્ક નાં ટીપાં નાક માં મુકવામાં આવે છે.

શિરોવિરેચન પ્રકાર નું નસ્ય છીંકો લાવનાર તેમજ નાક માં દવા મૂકવાથી અંદરથી ખૂબ બગાડ કાઢે છે.

ડો.સુરેશ સાવજ

ચામડી ના આ જાણીતા રોગ વિશે જાણવા જેવુંLichen simplex chronicus (LSC) (also known as neurodermatitisલાઈક્ન સીમ્પ્લેક્ષ ક્...
20/01/2026

ચામડી ના આ જાણીતા રોગ વિશે જાણવા જેવું

Lichen simplex chronicus (LSC) (also known as neurodermatitis

લાઈક્ન સીમ્પ્લેક્ષ ક્રોનીક્સ ... આ એક ચામડી નો રોગ છે
જેમાં સતત ખંજવાળઆવતી હોય છે. જેમાં ચામડી જાડી , ડાર્ક કલર ની અનેે ઘણીવખત ઉપસેલી બની જતી હોય છે . 35 થી 50 ની વય વચ્ચે એલએસસી વધુ સામાન્ય છે અને પુરુષોની તુલનામાં સ્ત્રીઓમાં લગભગ બમણી વાર જોવા મળે છે

એલએસસીની સૌથી સામાન્ય સાઇટ્સ, ગરદનની બાજુઓ, ખોપરી ઉપરની ચામડી, પગની ઘૂંટી, અને ગુપ્તભાગ માં થતું હોય છે

તે એવી વસ્તુથી શરૂ થઈ શકે છે જે ચામડીને ઘસારો આપે ,, બળતરા કરે છે અથવા સ્ક્રેચેસ કરે છે, જેમ કે કપડા.
આનાથી વ્યક્તિ અસરગ્રસ્ત વિસ્તારમાં ઘસડી અથવા ખંજવાળ કરે છે. સતત ખંજવાળ કારણે ચામડી વધારે જાડીં થાય છે.
જાડી ત્વચા , વધુ ખંજવાળ પરિણમે છે, વધુ જાડી ચામડી થવાથી વધુ ખંજવાળ આવે છે અને વધુ ભાગ માં ફેલાય છે
અસરગ્રસ્ત વિસ્તાર ઝડપથી શરીરના બાકીના ભાગમાં ફેલાય છે.

એલએસસી એક રીતે તો માનસિક વ્યાધી થી જ પરીણમે છે . તે ગભરાટ, અસ્વસ્થતા, ડિપ્રેશન અને અન્ય મનોવૈજ્ઞાનિક વિકારો સાથે પણ સંકળાયેલ હોઈ શકે છે. એલ.એસ.સી. સાથે ઘણા લોકો દિવસ દરમિયાન કરેલા ખંજવાળથી વાકેફ હોય છે, પરંતુ તેઓ તેમની ઊંઘમાં જે ખંજવાળ કરે છે તેનાથી વાકેફ હોતા નથી. એલએસસી એટોપી, અથવા એટોપિક ત્વચાકોપ (ખરજવું) સાથે પણ સંકળાયેલ છે.

આ બીમારી એક ઓટો ઈમ્યુન બીમારી જેવી હોવાથી હોમિયોપેથીક મેડીસીન જો વ્યવસ્થિત રીતે કેસ સ્ટડી કરી ને આપવામાં આવે તો સંપૂર્ણ પણે મટી શકે છે
જેના માટે વ્યક્તિ ના માનસિક સ્થિતિ , વિચારો , અને પડતી તકલીફો ની પુછપરછ કરી સારવાર કરવામાં આવે છે
જેમાં લાયકોપોડિયમ , રૂમેક્ષ , સ્ટેફીસેગ્રીયા , આર્સેનિક , કાલી આર્સ , ક્રીઓસોટમ , સેપિયા , સલ્ફર , plantago ..વગેરે જેવી અલગ અલગ દવાઓ આવતી હોય છે

સામાન્ય રીતે પેશન્ટ નો કેસ સ્ટડી કર્યા પછી ..miasmatic મેડીસીન અને constitutional મેડીસીન આપવાથી પેશન્ટ ખુબ જલ્દી આ બીમારી થી છુટકારો મેળવી શકે છે .

ડો.સુરેશ સાવજ

Address

Surat

Opening Hours

Monday 10am - 12pm
5:30pm - 8pm
Tuesday 10am - 12pm
5:30pm - 8pm
Wednesday 10am - 12pm
5:30pm - 8pm
Thursday 10am - 12pm
5:30pm - 8pm
Friday 9am - 12pm
5:30pm - 5pm
Saturday 10am - 12pm
5:30pm - 8pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Askdrsavaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram