03/02/2026
🙏 ૩૮મી પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્ણ હૃદયાંજલિ 🙏
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન – સુરત ગુરુકુલના પ્રેરણાસ્ત્રોત, ગુરુકુલ પ્રણાલીના પથદર્શક અને સ્વામિનારાયણ સંપ્રદાયને નવી દિશા આપનાર પરમ પૂજ્ય ગુરુકુલદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૩૮મી પુણ્યતિથિ નિમિત્તે તેમને શત શત નમન. 🌸
તેમણે બાળકો, યુવાનો અને સમાજને સંસ્કાર, શિક્ષણ અને આધ્યાત્મિકતા તરફ દોરી અનોખું કાર્ય કર્યું છે. તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવું એ જ તેમની પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ છે.
ચાલો, આ પવિત્ર દિવસે તેમના ચરણોમાં નમન કરી સારા વિચારો, સારા સંસ્કારો અને સેવા ભાવના સાથે જીવન જીવવાનો સંકલ્પ કરીએ.
🌼 "સંતોનું જીવન સમર્પણ અને પ્રેરણાનું જીવંત ઉદાહરણ છે." 🌼