17/08/2019
माननीय प्रधानमंत्रीजी
हमारा देश जीवो की हिंसा मे तथा कत्लखानो मे No.1 की ओर बढ़ता ही जा रहा है ..
कृपा करके उनपे action ले ..
हिंसा किसी भी धर्म, समाज या देश का विनाश करती है..
इस स्वतंत्रता दिवस पर उन्हें भी जीवन जीने की आजादी दे ..
*Every living being have right to Live 🇮🇳*
*માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને બે હાથ જોડીને જગતના તાતની વિનંતી*
સાદર પ્રણામ
*સાહેબ 15મી ઓગષ્ટના સ્વત્રંતાદિનની સવારે* લાલકિલ્લા ઉપરથી આપે દેશવાસીઓને જે સંબોધન કર્યું તે ખુબ જ સરાહનીય છે.પ્લાસ્ટીક,પયઁટનથી લઈને પોપ્યુલેશનની વાત જે કરી અને જે ચિંતા પર્યાવરણની તમારા મનમાં છે તેને દરેક દેશવાસીઓએ ગંભીરતાથી લેવા જેવી છે...થોડુંક કષ્ટ સહન કરવાની પણ વાત કરી...
*હવે વાત જે મારા મનની છે તે પણ આટલી ગંભીર છે અને મને વિશ્ર્વાસ છે તમે તેને ગંભીરતાથી લેશો..*
*વાત છે માંસાહારની,વાત છે પોટ્રીફામની,વાત છે મત્સ્ય ઉધોગની,વાત છે કતલખાનાની,* આ બધા માંસાહારી ચીજોની નિકાસ કરીને હુંડિયામણ વધુ મેળવીને ભારતની ઈકોનોમી 5 ટ્રીલીયન ડોલર કરવાની...?
આ માટે તમે કુદરતના નિયમોનો છડેઆમ ભંગ કરશો.?
*હિંસાથી કયારેય કોઈ વ્યક્તિ ,સમાજ,ગામ શહેર,રાજય, કે દેશની સુખ સંપતિ વધતી નથી*
ધરતી માની રક્ષા માટે તમે આપેલી શીખ બરાબર યાદ છે.જગતના તાત ને ખેતી કરવા રાસાયણીક ખાતર વાપરે છે તેનાથી ધરતીનો રસ,કસ અને તેની અન્ન આપવાની શક્તિનો નાશ થાય છે આ વાત અમને ખબર પડી..
*પણ અમારી આવક બમણી કરવા તમે અમને ખેડૂતમાંથી કસાઈ બનાવવાની યોજના અમલ કરવાની વાત છે તે મંજુર નથી.*
તમે અમને
*દેશી મુરધી આપીને ઈંડાનો વેપાર કરાવવા માંગો છો?*
*તમે અમારા પરિવારને શાકાહારીમાંથી માંસાહારી બનાવવા માંગો છો?*
પરદેશમાં જઈને પણ પોતાના સંસ્કાર- ધમઁના નિયમોનો ભંગ નહી કરનાર, નવરાત્રીમાં ઉપવાસ રાખનારા અમારા વડાપ્રધાન માટે અતિમાન છે - તે વડાપ્રધાન હવે અમારા સંસ્કારો ધમઁ ઉપર વજ્ધાત કરવાની વાત કરે છે તે બિલકુલ સ્વીકાયઁ નથી. ચંદ રૂપિયા માટે અમારા વંશને ખોટા માગેઁ ધંધો કરવાનો? ' ના'
*એક ફિલ્મમાં તમારી વાત જગજાહેર છે..તેમા તમારો ડાયલોગ છે..વાધને મારવાના મારા સંસ્કાર નથી....*
તો *માછલી,મરધી,બકરા ધેટા,દૂધાળા પશુઓને કમોતે મારવાના સંસ્કાર અમને આપવાના? આ વિચારધારા તમારી ના જ હોય...*
*કુદરત તમારી કે અમારી ખોટી વાત નથી સ્વીકારતી... થોડાક દિવસો પહેલા પાણી માટે યજ્ઞ કરતા હતા અને આજે ખમિયા કરવા હાજીજી કરીએ છીએ...*
યાદ કરો *2002નો ભૂકંપ* કચ્છ ગુજરાતનો...15 સેકન્ડમાં ખતમ કરી દીધા...150 વષઁ જેને બનાવતા તે શહેર ગામડાઓ નેશનાબૂદ થયા હતા તેને ધૂળચાટતા કરી દિધા..વાર ન લાગી...
*સુનામીઓની તબાહી પછી રીડેવલપઁ પાછળના કરોડો રૂપિયા ના ખરચવા હોય તો કુદરતને આધિન રહો...*
*જંગલો વૃક્ષો અને અબોલ પશુઓ માટે સંવેદના રાખજો...ચંદ પૈસા માટે તેનું નિકંદન ના કરો...કુદરતને સમજો...કુદરત દયાળુ છે...તેની ઉપર વિશ્ર્વાસ રાખો...*
*રાજકોટના ડો.મનીષાબેન સંધવી...રોગથી પિડીતા દિકરાની વેદના સહન ન શકનારા પિતા ઈબ્રાહીમભાઈ...દિકરો અરમાન...રોગ થેલેસેમિયા...ધંધો પોટ્રીફામઁ....આખી વાત જાણજો...કુદરત શું ચીજ છે...*
બસ છેલ્લી વાર .... *જગતના તાતને ખેતી કરવા માટે જે સાધનો ઉપલબ્ધ કરાય તે કરજો...પણ મુરધીઓ આપીને અમણે કસાઈ ના બનાવતા..*
*અમે સુકો રોટલો ખઈશું..પણ અમારો ધમઁ વટલાય અમારા સંસ્કારો નાશ થાય તેવી કોઈ યોજના અમારા માટે ના અપનાવતા...*
એક ગુજરાતના ખેડૂતની વ્યથા...આપ સહુ તમારી અમારી વેદના પ્રધાનમંત્રીને પહોંચાડજો...વધુમાં વધુ મેસેજ ફોરવડ કરીને...સુધારો કરવાની છુટ...
*વ્યથા -વેદનાની રજુઆત*
જગતભાઈ પરીખ
જૈન મહાસંધ અમદાવાદ.